________________
व्याख्या-विवरण-विवेचनसमन्विता
८७४ (२०) न चासावमूर्तः, अग्रहणप्रसङ्गात्, मूर्तानुवेधेऽपि स्वभावानुज्झनात्, अन्यथा कथञ्चित् तद्रूपतापत्तेरिति ।(२१)न चार्थे सत्यपि तद्ग्रहणोपायः समस्ति, युक्त्ययोगात् ।
વ્યારા .. न चासौ-अवयवी अमूर्तः । कुत इत्याह-अग्रहणप्रसङ्गादाकाशवत् मूर्त्तानुवेधेऽपि सति अवयवापेक्षया स्वभावानुज्झनात्, अमूर्त्तत्वापरित्यागात् इत्यर्थः । अन्यथा-एवमनभ्युपगमे कथञ्चित्-केनचित् प्रकारेण तद्रूपतापत्तेः-मूर्तावयवरूपतापत्तेरित्यवयव्यपि न युज्यत
અનેકાંતરશ્મિ ....
* અવયવીની અમૂર્તતાનો નિરાસ* (૨૦) વૈશેષિકઃ જે પદાર્થ અમૂર્ત હોય, તેમાં ગુરુત્વ (=ભારેપણું) હોય જ નહીં... એટલે જો અવયવીને અમૂર્ત માની લઈએ, તો તો તેના ભારેપણાની અનુપલબ્ધિ સંગત થઈ જશે ને ? (અવયવોની સાથે અવયવીનું વજન ભેગું મળી, વધારે વજન કેમ દેખાતું નથી? – એ પ્રશ્નનું પણ સમાધાન મળી જશે ને ?).
બૌદ્ધ : પણ એ રીતે અવયવીને અમૂર્ત માનવામાં તો, આકાશની જેમ, પટાદિરૂપ અમૂર્ત અવયવીનું ઇન્દ્રિયથી ગ્રહણ જ નહીં થઈ શૈકે. - વૈશેષિકઃ તે અવયવી ભલે અમૂર્ત હોય, પણ તેનો મૂર્ત એવા અવયવો સાથે અનુવેધ (=જોડાણ) હોવાથી, તે (અવયવોની) અપેક્ષાએ તેના ગ્રહણની સંગતિ ન થઈ શકે?
બૌદ્ધઃ ના, બિલકુલ નહીં, કારણ કે મૂર્તિ એવા અવયવોનો અનુવેધ થવા છતાં પણ, અવયવી તે પોતાનો અમૂર્તસ્વભાવ છોડી દેતો નથી, તેનો અમૂર્તસ્વભાવ તો તદવસ્થ જ રહે છે.
વૈશેષિકઃ (અન્યથા=) મૂર્તિ અવયવોનો અનુવેધ થતાં, તે અવયવીના અમૂર્તસ્વભાવનો ત્યાગ માની લઈએ તો? (પછી તો તેનું ગ્રહણ સંગત થઈ જશે ને ?).
બૌદ્ધઃ અરે ! તો તો તે અવયવીને કથંચિત્ મૂર્ત એવા અવયવસ્વરૂપ માનવાનો પ્રસંગ આવશે ! વૈશેષિક: તો તે અવયવીને કથંચિત્ મૂર્ત એવા અવયવરૂપ માની લઈએ તો?
બૌદ્ધઃ તો તો તમારા અભ્યાગમનો પ્રકોપ થશે, કારણ કે તમે તો અવયવીને અવયવોથી એકાંતભિન્ન માનો છો...
સાર: ઉપરોક્ત યુક્તિઓથી, બાહ્યર્થ તરીકે અવયવીને માનવો બિલકુલ યોગ્ય નથી એમ સ્થિત થાય છે.
જ વૈશેષિકોના મતે અમર્ત એવા કાળ-દિશાદિ પદાર્થો પ્રત્યક્ષથી અગહીત મનાય છે. એટલે તેઓની પટાદિ અવયવી પણ અગૃહીત માનવાનો પ્રસંગ આવે, જે અનિષ્ટ છે...
* આમ, (૧) પરમાણુ, (૨) પરમાણુસમૂહ, કે (૩) અવયવી - આ ત્રણમાંથી એકેને બાધાર્થ તરીકે માની શકાય નહીં... ફલતઃ ઘટાદિ કોઈ બાહ્ય પદાર્થનું અસ્તિત્વ જ નથી, એમ યોગાચારે પોતાનો બાહ્યાર્થઅભાવ પક્ષ બતાવ્યો... હજી આગળ, બાહ્યર્થનાં નાસ્તિત્વ માટે, એક સચોટ યુક્તિ બતાવે છે...
१. 'स्वभावान्तराभवनात् अन्यथा' इति ग-पाठः। २. 'समस्त्ययुक्त्ययोगात्' इति क-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org