________________
८७३ अनेकान्तजयपताका
(પશ્ચમ: भावेन समाहार्यान्तरभावात् तदधिकगुरुत्वोपलब्धिप्रसङ्गादिदोषतोऽघटमान एवेत्यपकर्णयितव्यः॥
વ્યાહ્યા यविभावेन हेतुना समाहार्यान्तरभावात् कारणात् तदधिकगुरुत्वोपलब्धिप्रसङ्गादिदोषतःअवयवाधिकगुरुत्वोपलब्धिप्रसङ्गादिदोषात् कारणात् । 'आदि'शब्दाद् भेदोपलब्धिप्रसङ्गग्रहः । किर्मित्याह-अघटमान एवेत्यपकर्णयितव्यः ॥
—- અનેકાંતરશ્મિ ... ... વજન નથી દેખાતું... તેમ અવયવોથી અલગ અવયવોના સમાહારરૂપ અવયવીનું ગુરુત્વ પણ ન જ દેખાય... (ટૂંકમાં સમાહારગુરુત્વની જેમ, અવયવીનું ગુરુત્વ પણ અનુપલબ્ધ જ છે...) બાકી સમાહારની જેમ, અવયવીનું અસ્તિત્વ તો છે જ..” - તે લોકોનાં મંતવ્યનો પણ નિરાસ થાય છે...
પ્રશ્નઃ પણ આ પક્ષમાં દોષ શું છે ?
ઉત્તર : જુઓ - સાત પૂળીનો સમાહાર - આ વચનથી તમે, ખરેખર તો સાત પૂળીથી અતિરિક્ત, (અને એટલે જ) સમાહાર કરવા યોગ્ય સાત પૂળીથી અલગ અવયવી જેવા ‘સમાહાર' નામના કોઈ અલગ પદાર્થનો જ સ્વીકાર કર્યો...
પ્રશ્નઃ તો અવયવી જેવા, સમાહારરૂપ અલગ પદાર્થનો સ્વીકાર કરીએ તો વાંધો શું?
ઉત્તરઃ તો તો અહીં પણ પૂર્વોક્ત દોષો આવશે જ... કારણ કે તે સમાહારને, સમાહાર કરવા યોગ્ય સાત પૂળીથી તમે અલગ માનો છો, એટલે તો (૧) સાત પૂળીનું વજન + અલગ એવા સમાહારનું વજન - બંનેનું વજન ભેગું મળી વધારે ભારેપણાનો પ્રસંગ, અને (૨) સાતપૂળીથી અતિરિક્તરૂપે સમાહાર જેવા અવયવીદ્રવ્યની ઉપલબ્ધિ થવાનો પ્રસંગ આવશે !
એટલે આ પક્ષ પણ અઘટિત હોવાથી, સાંભળવા યોગ્ય જ નથી...
સાર: “જેમ સમાહારના ગુરુત્વની ઉપલબ્ધિ નથી થતી, તેમ અવયવીના ગુરુત્વની પણ ઉપલબ્ધિ નથી થતી” – એવો બચાવ કરવો બિલકુલ સંગત નથી... ફલતઃ અવયવી જેવા અલગ તત્ત્વની અસિદ્ધિ તદવસ્થ જ છે...
हार्यान्तरभावात् कारणात् । अयमर्थ:-सप्तानां पूलानां समाहार इति वाक्यसामर्थ्यात् सप्तपूलव्यतिरिक्तं समाहाराभिधानं समाहार्यान्तरं प्राप्तमवयविकल्पम् । ततोऽत्रापि त एव तदधिकगुरुत्वोपलब्धिप्रसङ्गादयो તોષા રૂતિ છે.
૨. “હાર્યાન્તરામાવત્' તિ વ-પાઠ:
૧. “પ્રસફર' તિ -પતિ:
રૂ. ‘ત્યાદ-ઘટમાન' તિ ટુ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org