________________
વિક્ષર)
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
११३६
भेदायोगात् शुद्धबोधभेदेषु तदनुपपत्तेः । एवमपि तदङ्गीकरणे इष्टबाधा शुद्धबोधानामपि क्लिष्टेतरत्वप्रसङ्गात्, तेषामपि मिथो भेदात्, तन्मात्रस्य च तद्भावहेतुत्वात्,
- વ્યાડ્યા ... तत्त्वासिद्धेः तदतिरिक्तस्य च-बोधमात्रातिरिक्तस्य च अभावाद् । बोधभेदमात्रस्य च केवलस्य अप्रयोजकत्वात् । कथमित्याह-तस्मिन् सत्यपि-बोधभेदमात्रे जातिभेदायोगात् । अयोगश्च शुद्धबोधभेदेषु नानासन्तानान्तरवर्तिषु तदनुपपत्तेः-जातिभेदानुपपत्तेः । एवमपिबोधभेदमात्रतायां तदङ्गीकरणे-जातिभेदाङ्गीकरणे इष्टबाधा । कथमित्याह-शुद्धबोधानामपि सन्तानान्तरवर्तिनां क्लिष्टेतरत्वप्रसङ्गात् । प्रसङ्गश्च तेषामपि-शुद्धबोधानां मिथः-परस्परं भेदात्, तन्मात्रस्य च-भेदमात्रस्य च तद्भावहेतुत्वात्-क्लिष्टेतरभावहेतुत्वात् । अन्यथा-एवमनभ्यु
- અનેકાંતરશ્મિ ... તેથી તમારા મતે ક્લિષ્ટ-અક્લિષ્ટ બોધ બિલકુલ સંગત નથી.
(૨૮૫) બૌદ્ધ : બંને બોધ ભિન્ન-ભિન્ન છે. તો તેમની ભિન્નતાને લઈને જ, ક્લિષ્ટઅક્લિષ્ટરૂપે તેમનો જાતિભેદ માની લઈએ તો?
સ્યાદ્વાદી: પણ તેવું ન મનાય, કારણ કે તે તે બોધનો ભેદ; તે જ તેમની જુદી જાતિઓ માનવામાં પ્રયોજક નથી (અર્થાત્ બોધભેદ હોવા માત્રથી જાતિભેદ ન માની લેવાય.) તેનું કારણ એ કે, અલગઅલગ બુદ્ધમાં રહેલ જ્ઞાનોમાં, બોધભેદ હોવા છતાં પણ, જાતિભેદની અસંગતિ જણાય છે. એટલે તે (બોધભેદો હોવા માત્રથી જાતિભેદ ન ઘટે.
| ભાવાર્થ બધા બુદ્ધપુરુષોનાં જ્ઞાનો, અદ્વયબોધરૂપે સરખા છે, તેમાં કોઈ જાતિભેદ નથી. હવે જો બોધમાત્રથી પણ જાતિભેદ મનાતો હોય, તો તો અલગ-અલગ બુદ્ધપુરુષનાં જ્ઞાનોમાં પણ જાતિભેદ માનવો પડશે (અને તો તેમના જ્ઞાનો પણ ક્લિષ્ટ-અક્લિષ્ટ રૂપે જુદા જુદા માનવા પડશે) જે બિલકુલ સંગત નથી. તેથી તેવું ન મનાય. તેમ છદ્મસ્થ-બુદ્ધના બોધ પણ ભિન્ન હોવા માત્રથી તેમનો જાતિભેદ ન મનાય (વ્યક્તિભેદ છે, જાતિભેદ નથી.)
બૌદ્ધ : (અવમfપ.) અમે બોધભેદ હોવા માત્રથી જ જાતિભેદ માની લઈએ તો?
સ્યાદ્વાદીઃ તો તો તમને જે ઇષ્ટ છે, તેનો બાધ થશે. તે આ પ્રમાણે – અલગ અલગ યોગી પુરુષોનાં જ્ઞાનો (શુદ્ધ-અદ્વયબોધરૂપે) સરખા હોવા તમને ઇષ્ટ છે, પણ હવે તેનો બાધ થશે.
તેનું કારણ એ કે, તે યોગીઓનાં જ્ઞાનો પણ પરસ્પર ભિન્ન-ભિન્ન છે (એક યોગીનું જ્ઞાન જ બીજા યોગીનું નથી. પણ બંનેનું જ્ઞાન જુદું જુદું છે) અને તમે માત્ર બોધભેદને જ, ક્લિષ્ટ-અક્લિષ્ટ એમ જુદી જુદી જાતિઓનું કારણ માનો છો. એટલે તો જુદા જુદા યોગીઓમાં રહેલ શુદ્ધબોધો પણ, ક્લિષ્ટ-અક્લિષ્ટ એમ જુદી જુદી જાતિવાળા માનવા પડશે ! (જે તમને ઇષ્ટબાધક છે.)
બૌદ્ધ : ( વમનસ્યુપામે –) તો અમે બોધભેદમાત્રથી જાતિભેદ નહીં માનીએ, પણ તે જ્ઞાનોમાં
૨. “વૃદ્ધોધા' કૃતિ -પાઠ:
. “વૃદ્ધોધા' કૃતિ -પઢિ: 1 રૂ. 'વૃદ્ધોધાનાં' તિ ૩-પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org