SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ११२८ -> अद्वये बोधमात्रे ग्राह्यादिप्रपञ्चाभावात्, भावे वाऽद्वयत्वविरोधात्, निमित्तासिद्धेश्च । तथाहिकिमस्य निमित्तम् ? अनिमित्तत्वेऽभावप्रसङ्गः । (२७७ ) बोधमात्रनिमित्तत्वे सदापत्तिः । अविद्या निमित्तमिति चेत्, बाह्यार्थसिद्धिः । बोधमात्रमेवाविद्येति चेत्, ननूक्तो दोषः । व्याख्या न, अद्वये बोधमात्रे तत्त्वे ग्राह्यादिप्रपञ्चाभावात्, भावे वा ग्राह्यादिप्रपञ्चस्य अद्वयत्वविरोधात् । तथा निमित्तासिद्धेश्च ग्राह्यादिप्रपञ्चस्य । तथाहि - किमस्य - ग्राह्यादिप्रपञ्चस्य निमित्तम् ? अनिमित्तत्वे सत्यभावप्रसङ्गोऽस्य । बोधमात्रनिमित्तत्वे सदापत्तिस्तस्यापवर्गेऽपि भावात् । अविद्या निमित्तम् । इति चेत्, एतदाशङ्कयाह-बाह्यार्थसिद्धिः, बोधमात्रतोऽन्यत्वात् * અનેકાંતરશ્મિ 1 કેમ ન મનાય ?) સ્યાદ્વાદી : તમારી વાત ઉચિત નથી. તેનું કારણ એ કે, આકારદ્વયથી રહિત શુદ્ધ બોધમાત્ર જ પારમાર્થિક હોય, તો ગ્રાહ્ય-ગ્રાહકાદિ જુદા જુદા આકારવાળા પ્રપંચનું અસ્તિત્વ જ ન રહે. અથવા જો ગ્રાહ્યાદિ-આકારવાળા પ્રપંચનું અસ્તિત્વ માનો, તો તે બોધની શુદ્ધ-અદ્રયરૂપતાનો વિરોધ થશે. (કારણ કે આવા જુદા જુદા આકારના પ્રપંચવાળો બોધ, શુદ્ધ-અક્રયરૂપ ન જ હોય...) વળી, ભવને તમે ગ્રાહ્યાદિપ્રપંચરૂપ કહો છો, પણ વાસ્તવમાં ગ્રાહ્યાદિપ્રપંચનું કોઈ નિમિત્ત પણ સિદ્ધ થતું નથી (અર્થાત્ તમારા મતે, તે ગ્રાહ્યાદિ જુદા-જુદા આકારના પ્રપંચનું, કોઈ કારણ જ સિદ્ધ થતું નથી.) તે આ પ્રમાણે - ગ્રાહ્યાદિ પ્રપંચને નિમિત્ત વિનાનું (=કારણવિહોણું) તો ન જ મનાય, નહીંતર તો શશશૃંગની જેમ, તેનો પણ અભાવ માનવો પડશે ! (કાં'તો આકાશની જેમ સદા-મોક્ષમાં પણ ભાવ માનવો પડશે. કહ્યું છે કે – ‘કારણવિહોણા પદાર્થનું કાં’તો નિત્ય સત્ત્વ હોય અથવા તો નિત્ય અસત્ત્વ હોય ?’) એટલે તેનું (=ગ્રાહ્યાદિ પ્રપંચનું) કોઈકને કોઈક નિમિત્ત તો માનવું જ રહ્યું. તો તેના ‘નિમિત્ત’ તરીકે તમે કોને માનશો ? (૨૭૭) બૌદ્ધ : શુદ્ધબોધમાત્રને... (અર્થાત્ તે શુદ્ધ બોધમાત્રથી જ ગ્રાહ્યાદિ પ્રપંચો ઊભા થાય છે.) સ્યાદ્વાદી : તો તો તે પ્રપંચનું સદા અસ્તિત્વ માનવું પડશે, કારણ કે મોક્ષમાં પણ શુદ્ધબોધનું અસ્તિત્વ છે જ અને તો મોક્ષમાં પણ પ્રપંચો હોવાનું ફલિત થશે. (આશય એ કે, તે પ્રપંચનું કારણ તમે શુદ્ધબોધ માન્યો. હવે એ શુદ્ધબોધ તો મોક્ષમાં પણ હોવાથી, ત્યાં પણ તેના કાર્યભૂત ગ્રાહ્યાદિપ્રપંચનું અસ્તિત્વ માનવું પડશે.) બૌદ્ધ ઃ તો તેના નિમિત્ત તરીકે ‘અવિદ્યા’ને માનીશું (તે અવિદ્યા મોક્ષમાં નથી. એટલે મોક્ષમાં ૧. ‘વાદ્યાર્થસિદ્ધ:’ કૃતિ -પાત: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy