________________
१११५
<d
अनेकान्तजयपताका
चित्रस्वभावता धूमस्य, ( २६६ ) धूममात्रप्रतिभासजननस्वभावाधिकस्वभावभावात्, अन्यथा तन्मात्रप्रतिभासाविशेषात्, तन्मात्रादुत्पत्तेः, तत्तदाभासावसायाभाव इति ।
(પશ્ચમ:
* બાળા ફૂ
जन्यस्वभावत्वस्य भावेन । किमित्याह - शक्रमूर्द्धादेरप्यग्नित्वप्रसङ्गात् अग्निजन्यस्वभावधूमजननकत्वेन । न चैतदेवमिति चित्रस्वभावता धूमस्य । इहैवोपपत्तिमाह - धूममात्रप्रतिभासजननस्वभावाधिकस्वभावभावात् । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह- अन्यथा तन्मात्रप्रतिभासाविशेषात्-धूममात्रप्रतिभासाविशेषात् । अविशेषश्च तन्मात्रात्-धूममात्रादुत्पत्तेः, * અનેકાંતરશ્મિ
થઈ જાય...)
પ્રશ્ન : વલ્ભીકજન્ય ધૂમ ધૂમાભાસ ન રહે, અર્થાત્ વાસ્તવિક ધૂમ બને, તો તેમાં વાંધો શું ? ઉત્તર : અરે ! તો તો તે વલ્ભીક પણ અગ્નિ હોવાનો પ્રસંગ આવશે ! કારણ કે તે વલ્ભીક, અગ્નિજન્યસ્વભાવી ધૂમનો જનક છે. એટલે તાદશ ધૂમજન્યસ્વભાવને લઈને વલ્ભીક પણ અગ્નિરૂપ જ ફલિત થયો... પણ રાફડો તે અગ્નિ નથી. એટલે માનવું જ રહ્યું કે, અગ્નિજન્યસ્વભાવ માત્ર અગ્નિજન્ય ધૂમમાં જ છે, વલ્ભીકજન્ય ધૂમમાં નહીં. આવું હોવાથી, લિંગરૂપ ધૂમની ચિત્રઅનેકસ્વભાવતા ફલિત થશે (ધૂમસ્વભાવ, ધૂમપ્રતિભાસ-જનનસ્વભાવ, અગ્નિજન્યત્વસ્વભાવ... એમ જુદા જુદા અનેક સ્વભાવ સિદ્ધ થશે...)
(૨૬૬) તેથી ચિત્રસ્વભાવતા સિદ્ધ કરવા જ, ગ્રંથકારશ્રી એક યુક્તિ આપે છે - ધૂમમાં, જેમ ધૂમપ્રતિભાસજનન (=ધૂમજ્ઞાનને ઉત્પન્ન કરવાનો) સ્વભાવ છે, તેમ બીજો કોઈ અધિક સ્વભાવ પણ હોવો જ જોઈએ (માત્ર ધૂમપ્રતિભાસજનનસ્વભાવ જ નહીં...)
(અન્યથા=) જો લિંગરૂપ ધૂમમાં બીજો કોઈ અધિક સ્વભાવ નહીં માનો, તો, તેનાથી (=લિંગરૂપ ધૂમથી) ઉત્પન્ન થનાર ધૂમપ્રતિભાસ અને વીકજન્ય ધૂમાભાસથી ઉત્પન્ન થનાર ધૂમપ્રતિભાસ - તે બે ધૂમપ્રતિભાસમાં કોઈ વિશેષ (=ભેદ) જ નહીં રહે. કારણ કે તે બંને પ્રતિભાસની ઉત્પત્તિ ધૂમમાત્રથી થયેલ છે.
(જો લિંગરૂપ ધૂમને ચિત્રસ્વભાવી માનીએ, તો આ દોષ ન રહે, કારણ કે ચિત્રસ્વભાવ હોવાથી, વલ્ભીકજન્ય ધૂમથી આ ધૂમનો ભેદ પડે અને તો તે બે જુદા જુદા ધૂમથી થનાર પ્રતિભાસ પણ જુદા જુદા સંગત થઈ શકે. પણ તમે તો ચિત્રસ્વભાવ ન માન્યો હોવાથી, બંને ધૂમ સરખા થશે અને તો તેમનાથી થનાર પ્રતિભાસ પણ સરખા માનવા પડશે...)
પ્રશ્ન : વહ્નિજન્ય ધૂમ અને વલ્ભીકજન્ય ધૂમ - તે બંને ધૂમથી થનાર પ્રતિભાસ અવિશેષ (=સમાન) થાય તો વાંધો શું ?
Jain Education International
ઉત્તર ઃ તો તો, વહ્નિજન્ય ધૂમનો ધૂમરૂપે અને વલ્ભીકજન્ય ધૂમનો ધૂમાભાસરૂપે - એમ જે જુદા જુદારૂપે ધૂમ-ધૂમાભાસનો પ્રતિભાસ (=અવસાય–બોધ) થાય છે, તે સંગત થશે નહીં. (કારણ કે તમે તો બંનેથી થનાર પ્રતિભાસને અવિશેષ માની લીધા...)
For Personal & Private Use Only
www.jainelibrary.org