________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
न सा हेतुप्रतिभासस्य तथायोग्यतां विहाय इति चेत्, अस्त्येतत् किन्त्वसौ नार्वाग्दर्शिना तथाऽवगन्तुं पार्यते, तथाऽप्रतीतेः, अवगमेऽपि बलात् कारणात् कार्यावसायप्रसङ्गः,
* બાલા
११०६
भासयोग्यताऽनुभवे हि तदैवाग्निप्रतिभासापत्तेरिति भावनीयम् । तदुत्तरेत्यादि । तदुत्तरकालमेवधूमप्रतिभासोत्तरकालमेव योग्यताप्रतीतिव्यवधानमन्तरेण क्वचिदग्निप्रतिभासानुभूतेः कारणात् । न सा-अनुभूति: हेतुप्रतिभासस्य - अधिकृतस्य तथा-तेन प्रकारेण योग्यतां विहाय । इति चेत्, एतदाशङ्कयाह-अस्त्येतद् यदुक्तं भवता, किन्त्वसौ - योग्यता नार्वाग्दर्शिना-पृथग्जनेन प्रमात्रा तथा-तेन प्रकारेण अवगन्तुं पार्यते । कुत इत्याह- तथाऽप्रतीतेः कारणात् । अवगमेऽपि कथञ्चिद् योग्यताया बलात् कारणात् कार्यावसायप्रसङ्गः । कथमित्याह... અનેકાંતરશ્મિ
<so
*
જો કારણના બોધ વખતે જ, તેમાં રહેલી અગ્નિપ્રતિભાસજનનયોગ્યતાનો અનુભવ થઈ જાય, તો તો ત્યારે જ (કારણરૂપ અનગ્નિનિર્ભાસના બોધ વખતે જ) અગ્નિપ્રતિભાસ થઈ જવાની આપત્તિ આવશે ! (કારણ કે, અગ્નિપ્રતિભાસજનનયોગ્યતાનો અનુભવ થાય, ત્યારે તે યોગ્યતા-અંતર્ગત અગ્નિપ્રતિભાસનો પણ અનુભવ થઈ જાય અને તો અગ્નિપ્રતિભાસ થાય જ...) તેથી તમે જે યોગ્યતાનો અનુભવ કહો છો, તે માની શકાય નહીં.
બીજી વાત, ક્યારેક તો ધૂમપ્રતિભાસ પછી તરત જ અગ્નિપ્રતિભાસનો અનુભવ થાય છે. એટલે પણ તે યોગ્યતાનો અનુભવ વચ્ચે માની શકાય નહીં. (આશય એ કે, પહેલા ધૂમપ્રતિભાસનો અનુભવ, પછી કારણમાં રહેલ અગ્નિપ્રતિભાસજનનયોગ્યતાનો અનુભવ અને તે પછી અગ્નિપ્રતિભાસનો અનુભવ... એવો અનુભવ કોઈને થતો નથી. અનુભવ તો, ધૂમપ્રતિભાસ પછી તરત જ અગ્નિપ્રતિભાસનો થાય છે. એટલે વચ્ચે યોગ્યતાનો અનુભવ માનવાની વાત, પ્રતીતિબાધિત જણાઈ આવે છે...)
(૨૫૭) બૌદ્ધ : ધૂમપ્રતિભાસ પછી, જે તરત જ અગ્નિપ્રતિભાસનો અનુભવ થાય છે, ત્યારે પણ વચ્ચે તો હેતુપ્રતિભાસની (=અધિકૃત અનગ્નિનિર્ભાસની) તેવી (=અગ્નિનિર્ભાસજનન) યોગ્યતાનો અનુભવ થાય છે જ... (ભાવ એ કે, તે યોગ્યતાના અનુભવને છોડીને સીધી જ અગ્નિપ્રતિભાસની અનુભૂતિ થઈ જતી નથી. એટલે વચ્ચે યોગ્યતાનો અનુભવ માનવો ન્યાયસંગત જ છે...)
Jain Education International
સ્યાદ્વાદી : તેમ હોય તો પણ આપણને તો ધૂમપ્રતિભાસ પછી તરત જ અગ્નિપ્રતિભાસની અનુભૂતિ થાય છે, વચ્ચે તેવી યોગ્યતાની પ્રતીતિ કદી થતી નથી... તો આપણા જેવા છદ્મસ્થ પ્રમાતા, તે યોગ્યતાને તે પ્રમાણે શી રીતે જાણી શકે ? (એટલે યોગ્યતાનો અવગમ માનવો પ્રતીતિબાધિત જ
છે.)
(અવામેઽપિ=) જો તેવી યોગ્યતાનો અનુભવ માની પણ લેશો, તો'ય તમને મોટી આપત્તિ એ
For Personal & Private Use Only
www.jainelibrary.org