SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०७८ --> तथाविधावध्यभावे तदितरावसायकमिति न स्वसंवेदनलक्षणयोरपि बुद्ध्योः कार्यकारणभावावसाये समुपायः । ततश्च सोऽनयोर्वस्तुत्वादविरोधीत्यज्ञानाभिधानम् । - વ્યારા - न हीत्यादिना । न यस्माद् भिन्नकाल( भावि )बुद्धिद्वयं निरन्वयनाशतोऽन्वयविकलतया कारणेन उपकारादिनिरपेक्षम्-उपकारवासनानिरपेक्षमन्वय-विकलतयैव तथाविधावध्यभावेइतरेतरावध्यभावे तदितरावसायकं-स्वरूपेतरावसायकम् । नहि इति न स्वसंवेदनलक्षणयोरपि बुद्धयोः कार्यकारणभावावसाये समुपायोऽस्ति । ततश्च सः-कार्यकारणभावः ~ અનેકાંતરશ્મિ .... વ્યતિરેક દ્વારા, તે બે બુદ્ધિનો કાર્ય-કારણભાવ શી રીતે નિશ્ચિત થાય?) આ જ વાતને જણાવવા ભાવાર્થ કહે છે – બીજનિર્માસ બુદ્ધિ અને અંકુરનિર્માસ બુદ્ધિ - બંને બુદ્ધિઓ, ભિન્નકાળભાવી ( જુદા જુદા કાળે થનારી) છે. પ્રથમક્ષણે બીજનિર્માસબુદ્ધિ, અને પછીની ક્ષણે તરત અંકુરનિર્માસબુદ્ધિ... હવે તે બુદ્ધિ તો નિરન્વય નષ્ટ થતી હોવાથી અન્વયથી વિકલ છે અને એટલે તો તે ઉપકાર-વાસનાથી પણ નિરપેક્ષ છે. આમ, તે બેનો પરસ્પર સાપેક્ષ-સંબંધ જ ન હોય, તો તેઓ પોતાનો અને પોતાના સંબંધી બુદ્ધિનો બોધ શી રીતે કરાવે ? તાત્પર્ય (વિવેચનઃ) તે બે બુદ્ધિનો કાર્ય-કારણભાવ છે, એવું તમે કહો છો. પણ તે કોનાથી જણાય? (ક) તે બે બુદ્ધિથી જ, કે (ખ) બીજા કોઈ જ્ઞાનથી ? (ક) તે બે બુદ્ધિથી જ તેમનો કાર્ય-કારણભાવ જણાય એવું તો ન મનાય, કારણ કે તે બંને બુદ્ધિઓ જુદા જુદા કાળે થનારી છે. તે બેમાં કોઈ એક અનુગત તત્ત્વ હોય એવું પણ નથી, કારણ કે તમે તે બુદ્ધિનો નિરન્વય નાશ માનો છો એટલે તો પહેલી બુદ્ધિ નષ્ટ થયા પછી તેનો સર્વથા ઉચ્છેદ જ થાય અને તો બીજી બુદ્ધિની ઉત્પત્તિ વખતે તેનું અંશતઃ પણ અસ્તિત્વ રહે નહીં.) એ રીતે એ બંને બુદ્ધિનું પરસ્પર મિલન જ થતું નથી, કે જેથી કારણબુદ્ધિ તે કાર્યબુદ્ધિમાં ઉપકાર કે વાસનાનું (=સંસ્કારનું) આધાન કરી શકે... (આમ બંને બુદ્ધિઓ, પરસ્પર ઉપકાર-વાસનાથી નિરપેક્ષ છે.) અને એમ નિરપેક્ષ હોવાથી, જો તે બુદ્ધિનો પરસ્પર અવધિ (=સાપેક્ષ સંબંધો ન હોય, તો તેઓ, પોતાનો અને પોતાથી અન્ય બુદ્ધિનો, કાર્ય-કારણરૂપે બોધ કરાવી શકે નહીં. (દા.ત. બીજનિર્માસ તે અંકુરનિર્માસથી અસંબદ્ધ છે. તો તે, અંકુરનિર્માસનો બોધ કરાવી શકે નહીં અને તો તેમનો કાર્ય-કારણભાવ પણ ન જ જણાય...) એટલે સ્વસંવેદનરૂપ હોવા છતાં પણ, તે બે બુદ્ધિના કાર્ય-કારણભાવને જાણવાનો કોઈ જ ઉપાય નથી. (તે બે બુદ્ધિથી તો કાર્ય-કારણભાવ નથી જ જણાતો અને બીજા કોઈ જ્ઞાનથી પણ નથી ૨. ‘જ્ઞાતાભિધાનમ્' રૂત -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy