SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ १०६१ अनेकान्तजयपताका (પગ્નમ: (૨૨૦) માનોનમાત્નોવા રૂતિ માવસથાપક્ષેપ સ્વભાવાત્નોનાતિ (૨૨) વ્યારણ્ય - स्वभावालोकनात्-आत्मभावालोकनादित्यात्मन एव कर्मत्वम्, भिन्नकर्माभावं त्वधिकृत्य शाब्दिकैरकर्मकत्वं प्रतिज्ञातम् । न तु तदेकान्तत एव । स्वपरिणामापेक्षया चानन्तपर्याये वस्तुनि व्यतिरिक्तकर्मापेक्षयाऽपि कादिभावोऽव्यतिरिक्तकर्मापेक्षयाऽपीति । तथा च भज्यते वृक्षः स्व - અનેકાંતરશ્મિ (૨૧૦) અરે ! કઠૂંસાધન અર્થ તો જવા દો, પણ ભાવસાધન અર્થમાં પણ તેની અકર્મકતા જણાઈ આવે છે. શું; માનોનસ્બાનો.=જોવું તે આલોક” – એવો શબ્દાર્થ, ભાવસાધન અર્થમાં થાય છે. તો અહીં પણ આલોકથી આત્મસ્વરૂપનું આલોકન જ ફલિત થાય છે અને તેમાં “આત્મસ્વરૂપ તે જ કર્મ તરીકે સાબિત થાય છે. એટલે આલોકને પણ સકર્મક માનવો જ રહ્યો.. તે પોતાના સ્વરૂપને જાણે ત્યારે પોતે જ પોતાનો કર્મ બને છે. એ શાબ્દિકમતે અકર્મક માનવાનું તાત્પર્ય પૂર્વપક્ષ : અરે ! આ રીતે તો તમે અકર્મક પણ આલોકને સકર્મક સિદ્ધ કરી દીધો ! તો વ્યાકરણકારોએ તેને જે અકર્મક માનવાની પ્રતિજ્ઞા કરી છે, તેનું શું? (ઉપરોક્ત રીતે તો બધા સકર્મક થઈ જશે...) ઉત્તરક્ષઃ તમે શાબ્દિકોનો અભિપ્રાય પકડવામાં થાપ ખાધી છે. બાકી વાસ્તવિકતા એ છે કે, જયાં પોતાથી જુદો કર્મ ન જણાતો હોય, ત્યાં તેનું અકર્મકપણું સમજવું, એવી જ શાબ્દિકોની (=વ્યાકરણકારોની) પ્રતિજ્ઞા છે. બાકી તે બધા એકાંતે અકર્મક જ છે – એવું નથી. બીજી વાત, દરેક વસ્તુઓ, પોતાના જુદા જુદા પરિણામને આશ્રયીને અનંત પર્યાયરૂપ છે. એટલે તેમાં, જેમ જુદા કર્મને આશ્રયીને સકર્મકપણું છે, તેમ પોતાથી અભિન્ન કર્મને આશ્રયીને અકર્મકપણું પણ આવે છે... (ભાવઃ ઘટજ્ઞાન, ઘટ અને સ્વસ્વરૂપ બંનેને વિષય કરે છે. એટલે બંને તેના કર્મ છે – તેમાં ઘટ ભિન્નકર્મ અને સ્વરૂપ અભિન્નકર્મ... તો અહીં જ્ઞાનમાં, જેમ ભિન્નકર્મરૂપ ઘટને લઈને ગ્રહણકર્તુત્વ છે, તેમ અભિન્નકર્મરૂપ સ્વરૂપને લઈને પણ ગ્રહણકર્તુત્વ આદિ છે જ અને વસ્તુ અનંત પર્યાયરૂપ હોવાથી, જુદા-જુદા તત્ત્વને આશ્રયીને તેનું, કર્ત-આદિપણું અવિરુદ્ધ છે.) એટલે આલોક જયારે પોતાને જાણે, ત્યારે પોતે જ પોતાનું કર્મ બને છે અને તેને લઈને તેની સકર્મકતા પણ નિબંધ ઘટે છે... જો કે ભાવપ્રયોગમાં કર્મનો અભાવ હોય છે, પણ ગ્રંથકારશ્રી અહીં એક નવું ચિંતન રજૂ કરી, ત્યાં પણ કર્મની સિદ્ધિ કરે છે. દા. ત. ચૈત્ર: પfeતો મવતિ' અહીં પોતાથી અતિરિક્ત કોઈ કર્મ જણાતું નથી. એટલે જ શાબ્દિકોએ ભૂધાતુને “અકર્મક' કહ્યો... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy