________________
अनेकान्तजयपताका
(પશ્ચમ:
ग्राह्यमस्ति' इत्ययुक्तम्, तस्यैव ग्राह्यत्वात्, तथाऽनुभूतेः, अद्वयस्य चाननुभवात्, अनुभवे वा सर्वेषां तत्त्वदर्शितैव स्यात् त्वन्नीतितः 'तथा चायनमुक्ताः स्युर्देहिनः' इत्युक्तम् । (१९० ) स्यादेतदद्वयमेव बोधरूपं स्वसंवित्सिद्धम् । न च सर्वेषां तत्त्वदर्शिताप्रसङ्गो
१०४३
–
*વ્યાછા *
नेकात्मकस्य नीलादेर्विज्ञानव्यतिरिक्तस्य ग्राह्यत्वात् । ग्राह्यत्वं च तथाऽनुभूतेर्बहिर्मुखावभासतया । अद्वयस्य चाननुभवात् विज्ञानस्य अनुभवे वाऽद्वयस्य सर्वेषां तत्त्वदर्शितैव स्यात् प्रेमातॄणां त्वन्नीतितः । तथा चायनमुक्ताः स्युर्देहिन इत्युक्तं प्राक् । स्यादेतदद्वयमेव बोधरूपं स्वसंवित्सिद्धम् । न च सर्वेषां प्रमातॄणां तत्त्वप्रदर्शिताप्रसङ्गः । कथमित्याह-यतो गृहीतेऽपि * અનેકાંતરશ્મિ
નથી’’ – તે વાત પણ અયુક્ત જણાઈ આવે છે, કારણ કે જ્ઞાનથી જુદા એવા એકાનેકરૂપ નીલાદિ પદાર્થ જ ગ્રાહ્યરૂપે સિદ્ધ છે. તેનું કારણ એ કે, બહિર્મુખ અવભાસરૂપે જ્ઞાનની અનુભૂતિ થાય છે.
(આશય : જ્ઞાનનો બહિર્મુખાવભાસરૂપે, બાહ્ય પદાર્થના બોધરૂપે અનુભવ થાય છે. હવે જ્ઞાનનો આ બહિર્મુખાવભાસ બાહ્ય નીલાદિરૂપ ગ્રાહ્ય અર્થને માન્યા વિના ન જ ઘટે. એટલે તેઓનું ગ્રાહ્યરૂપે અસ્તિત્વ સિદ્ધ જ છે.)
અને તમે જે આકારદ્વયથી રહિત અયરૂપ વિજ્ઞાન કહો છો, તેનો તો કદી અનુભવ જ થતો નથી. (અનુભવ તો ગ્રાહ્ય-ગ્રાહકાકારવાળા વિજ્ઞાનનો જ થાય છે)
અથવા જો તે અદ્વય વિજ્ઞાનનો અનુભવ માનો, તો તો તમારી નીતિ પ્રમાણે, બધા પ્રમાતાઓ ‘તત્ત્વદર્શી’ જ થઈ જશે ! (કારણ કે તેઓ બધા, વિજ્ઞાનના યથાર્થ સ્વરૂપને જોનારા થઈ ગયા છે...) અને આમ તત્ત્વદર્શી થઈ જવાથી તો તે પ્રાણીઓ પ્રયત્ન વિના જ મુક્ત થઈ જશે.... એ બધું પૂર્વે અમે કહી જ દીધું છે.
ફલિતાર્થ : અદ્રય વિજ્ઞાન અનુભવસિદ્ધ નથી, એટલે તેને ન મનાય અને અનુભવસિદ્ધ વિજ્ઞાન પ્રમાણે તો ગ્રાહ્યરૂપે નીલાદિની સિદ્ધિ થશે જ. (એટલે બાહ્યાર્થનો અપલાપ ન થાય.)
(હવે બૌદ્ધ, ઉપરોક્ત દોષો નિવારવા અને અયવિજ્ઞાનની અનુભવસિદ્ધતા સાબિત કરવા, પોતાનું વક્તવ્ય જણાવે છે -)
* અયવિજ્ઞાન વિશે બૌદ્ધવક્તવ્ય
(૧૯૦) બૌદ્ધ ઃ અરે ! આકારદ્વયથી રહિત અદ્વયવિજ્ઞાન જ સ્વસંવેદનસિદ્ધ બોધરૂપ છે, તે જ ખરેખર અનુભવસિદ્ધ છે. (અર્થાત્ ખરેખર તો દરેક પ્રાણીઓને, તે અયજ્ઞાનનો જ અનુભવ થાય છે. તમે આકારયવાળા જ્ઞાનનો અનુભવ માનો, તે તો તમારી ભ્રમણા છે.)
પ્રશ્ન ઃ અયના અનુભવથી તો (ઉપ૨ કહ્યા પ્રમાણે) બધા પ્રમાતાઓને તત્ત્વદર્શી માનવા
१. द्रष्टव्यं १०३९तमं पृष्ठम् । ૨. ૧૦૩૬તમે પૃઃ । રૂ. ‘સ્વાવેતર્ દ્વય૦’ કૃતિ -પાઇ: 1 ૪. ‘પ્રમાતૃોત્વ’ કૃતિ -પાઇ: । ૬. ૧૦૨૬તમે પૂછે ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org