________________
અધિક્કાર) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०२८
-> सत् तत् संवेदनान्तरग्राह्यमिति चेत्, न, तस्योभयरूपतापत्तेः । (१७५) न हि तद् येनैव स्वभावेन ग्राहकं संवेदनान्तरस्य तेनैव ग्राह्यम्, सर्वथा तदेकत्वे तद्ग्राह्यग्राहकयो
વ્યાધ્યા भवत् तत्-विज्ञानं संवेदनान्तरग्राह्यं-विज्ञानान्तरग्राह्यम् । इति चेत्, एतदाशङ्कयाह-न, तस्यविज्ञानस्य उभयरूपतापत्तेः । आपत्तिश्च न यस्मात् तत्-विज्ञानं येनैव स्वभावेन आत्मसत्ताख्येन ग्राहकं संवेदनान्तरस्य-विज्ञानान्तरस्य कर्मरूपस्य तेनैव ग्राह्यं संवेदनान्तरस्येति युज्यते । कुत इत्याह-सर्वथा-सर्वैः प्रकारैः तदेकत्वे तयोः-स्वभावयोरेकत्वे । किमित्याह
અનેકાંતરશ્મિ - આવે જ. કારણ કે, ગ્રાહ્ય-ગ્રાહકતા વિનાનું વિજ્ઞાન, પ્રતીતિસિદ્ધ પણ નથી અને અભ્યાગત પણ નથી.)
(હવે જ્ઞાનાતવાદી, વિજ્ઞાનની ગ્રાહ્ય-ગ્રાહકતા સંગત કરતા, પોતાની માન્યતા જણાવે છે, જેમાં ગ્રંથકારશ્રી પુષ્કળ દોષો બતાવશે...)
4 કથમપિ ગ્રાહ્ય-ગ્રાહકતા અસંગત * (૧૭૪) બૌદ્ધઃ વિજ્ઞાન ગ્રાહક તો છે જ અને તે જ વિજ્ઞાન બીજા સંવેદનથી ગ્રાહ્ય પણ છે. (ભાવ એ કે, વિવણિત વિજ્ઞાન (૧) કોઈક જ્ઞાનનું ગ્રહણ કરનાર છે, એટલે તેને લઈને તે ગ્રાહક સિદ્ધ થશે, અને (૨) કોઈ જ્ઞાનથી તે ગૃહીત થાય છે, એટલે તેને લઈને તે ગ્રાહ્ય સિદ્ધ થશે) આમ, તેની ગ્રાહ્ય-ગ્રાહકતા સિદ્ધ જ છે, તો પ્રતીતિબાધાદિ દોષો શી રીતે અવકાશ પામે?
સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે આવું માનવા તો તેમાં ગ્રાહ્ય ગ્રાહક બે સ્વભાવ માનવા પડે અને તેથી વિજ્ઞાનની ઉભયરૂપતા જ સિદ્ધ થાય, જે એકાંતવાદી માટે ભયાવહ આપત્તિ છે...
બૌદ્ધઃ તે વિજ્ઞાનના બે જુદા જુદા સ્વભાવ નહીં માનીએ પણ એક જ સ્વભાવથી તેને ગ્રાહ્યગ્રાહકરૂપ માનીશું. (પછી તો ઉભયરૂપતાની આપત્તિ નહીં આવે ને ?).
સ્યાદ્વાદી: પણ તેવું ન મનાય (તેવું માનવામાં તો વધુ મોટા દોષો આવશે. એટલે તેની ઉભયરૂપતા જ માનવી પડશે. હવે ઉભયરૂપ શી રીતે સિદ્ધ થાય અને તે ન માનવામાં કેવા દોષો આવે - તે ગ્રંથકારશ્રી જણાવે છે –)
(૧૭૫) જુઓ; તે વિજ્ઞાન, પોતાના જે સ્વભાવથી બીજા કૅમરૂપ વિજ્ઞાનનું ગ્રહણ કરે છે, તે જ સ્વભાવથી તે, બીજા વિજ્ઞાનનું ગ્રાહ્ય નથી બનતું. (તાત્પર્ય એ કે, વિવણિત વિજ્ઞાનમાં ગ્રાહ્યગ્રાહક રૂપ બે સ્વભાવ જુદા જુદા જ માનવા જોઈએ. એટલે એક જ સ્વભાવથી તે જ્ઞાનને ગ્રાહ્યગ્રાહકરૂપ ન માનવું.)
વિવક્ષિત જ્ઞાન તેનું ગ્રહણ કરે છે, તેને વિષય બનાવે છે. તેથી તેમાં વિષયતારૂપ કર્મતા આવે અને એટલે જ તે વિજ્ઞાનનો ‘કર્મ તરીકે ઉલ્લેખ થાય છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org