________________
(પઝમ:
१०२७
अनेकान्तजयपताका __ (१७३) ग्राहकरूपत्वेऽप्यभिधानान्तरेणास्यैवानुवृत्तेरिति । (१७४) ग्राहकमेव
....................
ग्राहकरूपत्वेऽपि ज्ञानस्यैकान्तेनाभ्युपगम्यमाने किमित्याह-अभिधानान्तरेणास्यैवअनन्तरोदितस्य अनुवृत्तेः कारणात् प्रतीत्यादिबाधेति । इह चाभिधानान्तरयोजनैवं कार्या-तत्र ग्राहकरूपत्वे सकलविज्ञानानामेव रूपान्तराभावादेकस्वभावत्वाद् ग्राह्यविज्ञानानुपपत्तेः ग्राहकरूपत्वायोगानिमित्ताभावादतिप्रसङ्गापत्तेः तदभावप्रसङ्गतः प्रतीत्यादिबाधा इति । ग्राहकमेव सत्
અનેકાંતરશ્મિ ..
- દ્વિતીયવિકલ્પની અસંગતતા - (૧૭૩) (૨) જો જ્ઞાનને એકાંતે ગ્રાહકરૂપ માનો, તો માત્ર શબ્દો બદલીને પ્રથમવિકલ્પભાવી દોષોનું જ અનુવર્તન થશે. (અર્થાત્ પહેલા વિકલ્પની જેમ અહીં પણ પ્રતીતિ આદિનો બાધ આવશે જ.).
પ્રશ્નઃ શબ્દો બદલીને, પૂર્વોક્ત દોષ જ અહીં યથાવત્ આવે, તે વાત સ્પષ્ટ સમજાવો...
ઉત્તરઃ સાંભળો, જ્ઞાનને ગ્રાહકરૂપ માનો, તો તેનો માત્ર એક સ્વભાવ હોવાથી, બધા વિજ્ઞાનો માત્ર ગ્રાહક જ બનશે અને તે સિવાય વિજ્ઞાનોમાં બીજું કોઈ જ રૂપ ન રહેવાથી, અનુભવસિદ્ધ ગ્રાહ્યવિજ્ઞાનની અસંગતિ થશે.
(તાત્પર્ય : ગ્રાહ્ય તરીકે તમે અર્થ તો માનતા નથી, એટલે તમારા મતે તો વિજ્ઞાન જ ગ્રાહ્ય બને. પણ હવે તે પણ નહીં બને, કારણ કે એકસ્વભાવી વિજ્ઞાનના એકસ્વભાવ તરીકે તમે ગ્રાહકસ્વભાવ માન્યો. એટલે તો ગ્રાહ્યસ્વભાવી વિજ્ઞાન અસંગત જ થાય..)
અને ગ્રાહ્યવિજ્ઞાન ન રહે તો તે વિજ્ઞાનની ગ્રાહકતા પણ ન ઘટે, કારણ કે ત્યારે જ તેનો ગ્રાહક તરીકે વ્યપદેશ થાય, કે જ્યારે તેના દ્વારા કોઈનું ગ્રહણ થતું હોય. (અર્થાત્ ગ્રાહ્યરૂપ સંબંધી-નિમિત્તને લઈને, તેનો ગ્રાહકરૂપે વ્યપદેશ થાય છે.) પણ ઉપરોક્ત રીતે ગ્રાહ્યના અભાવે ગ્રાહકતા પણ ન જ ઘટે.
જો ગ્રાહ્ય વિના પણ તેને ગ્રાહક માનો, તો નિમિત્ત વિના જેમ તમે તેને ગ્રાહકરૂપ માનો છો, તેમ ગ્રાહ્યરૂપ માનવાનો પણ અતિપ્રસંગ આવશે ! (પછી ભલે ગ્રાહ્યતાનું પણ કોઈ જ નિમિત્ત ન હોય...) અને એ રીતે તેમાં ગ્રાહ્યતાનું આપાદન થવાથી તો, તે એકાંત એકસ્વભાવી વિજ્ઞાનની ગ્રાહકરૂપતા જ અસંગત થઈ જશે.
આમ, જ્યારે (૧) ગ્રાહ્યતા, (૨) ગ્રાહકતા – બંનેનો અભાવ થશે, ત્યારે તો પ્રતીતિબાધ અને અભ્યપગમબાધ થશે જ... (ભાવ એ કે, એકાંતે ગ્રાહક હોય, તો ગ્રાહ્ય કોઈ ન રહે અને તો ગ્રાહક પણ કોઈ ન રહે, કારણ કે ગ્રાહકત્વ, ગ્રાહ્યને સાપેક્ષ છે, ગ્રાહ્યના અભાવમાં ગ્રાહક પણ ન હોય... જો ગ્રાહ્ય વિના ગ્રાહક માનો, તો અતિપ્રસંગ આવે. એટલે ગ્રાહકત્વ નથી અને તો પ્રતીતિબાધાદિ
૨. “ધનાન્તોૌવાનુવૃતિ' કૃતિ T-2: ‘ધાનાન્તરેખાથર્યવાહ' તિપૂર્વમુદ્રિતપાd:, a c-પ્રતા:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org