________________
.....
ધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०२६ ग्राहकविज्ञाना-नुपपत्तेः ग्राह्यरूपत्वायोगात् निमित्ताभावादतिप्रसङ्गापत्तेस्तदभावप्रसङ्गतः પ્રતીત્યાદ્રિ-વીથા |
- વ્યારહ્યા स्यैकान्तिके किमित्याह-सकलविज्ञानानामेव अण्वादिरूपवद् रूपान्तराभावात् । अभावश्च एकस्वभावत्वात् । यदि नामैवं ततः किमित्याह-ग्राहकविज्ञानानुपपत्तेः । यद्येवं ततः किमित्याह-ग्राह्यरूपत्वायोगात् । अयोगश्च निमित्ताभावात्, सम्बन्ध्यभावादित्यर्थः । तदभावेऽपि ग्राह्यरूपत्वाभ्युपगमेऽतिप्रसङ्गापत्तेः-ग्राहकरूपत्वापत्त्या तदभावप्रसङ्गतः-ग्राह्यरूपत्वाभावप्रसङ्गतः । किमित्याह-प्रतीत्यादिबाधा उभयाभावेन । 'आदि'शब्दात् तदभ्युपगमग्रहः ॥
... અનેકાંતરશ્મિ .
પ્રથમ વિકલ્પની અસંગતતા ન (૧૭૨) (૧) વિજ્ઞાનને જો એકાંતે ગ્રાહ્યરૂપ માનશો, તો તો બધા જ વિજ્ઞાનો માત્ર ગ્રાહ્યરૂપ જ રહેશે, કારણ કે જેમ પરમાણુ આદિમાં માત્ર એક રૂપ છે, તેમ તે વિજ્ઞાન પણ એકસ્વભાવી હોવાથી તેમાં પણ માત્ર એક જ રૂપ રહેશે. હવે એ એ એક રૂપ તરીકે જો ગ્રાહ્યરૂપ માનો, તો તે સિવાય તેમાં બીજું કોઈ જ રૂપ ન હોવાથી, તે વિજ્ઞાનની ગ્રાહકરૂપતા અસંગત થશે...
(આશય એ કે, દરેક વિજ્ઞાન એકસ્વભાવી છે, એટલે જો તેઓને ગ્રાહ્યસ્વભાવી માનો, તો તો કોઈ પણ વિજ્ઞાન ગ્રાહકસ્વભાવી નહીં રહે... અર્થાત્ જ્ઞાન/અર્થનું ગ્રહણ કરનાર કોઈ વિજ્ઞાન નહીં રહે...)
પ્રશ્નઃ ગ્રાહક વિજ્ઞાન ન રહે તો વાંધો શું?
ઉત્તર : અરે ! તો તો તે વિજ્ઞાનની ગ્રાહ્યરૂપતા પણ ન ઘટે, કારણ કે તેના ગ્રાહ્ય તરીકે વ્યપદેશ ત્યારે જ થાય, કે જયારે કોઈ તેનું ગ્રહણ કરનાર હોય... (એટલે ગ્રાહકરૂપ સંબંધી-નિમિત્તને લઈને, તેનો ગ્રાહ્યરૂપે વ્યપદેશ થાય છે.) પણ ઉપરોક્ત રીતે જયારે કોઈ ગ્રાહક જ નથી, ત્યારે તેની ગ્રાહ્યરૂપતા પણ ન જ ઘટે...
પ્રશ્ન : જો ગ્રાહક વિના પણ, તેને ગ્રાહ્યરૂપ માનીએ તો ?
ઉત્તર : અરે ! નિમિત્ત ન હોવા છતાં પણ, જેમ તમે ગ્રાહ્યરૂપ માનો છો, તેમ તેને ગ્રાહકરૂપ માનવાનો પણ અતિપ્રસંગ આવશે ! (પછી ભલે ગ્રાહકતાનું પણ કોઈ જ નિમિત્ત ન હોય...) અને એ રીતે જો તેમાં ગ્રાહકતાનું આપાદન થશે, તો તો તેની ગ્રાહ્યરૂપતા જ નહીં રહે, કારણ કે તે એકાંત એકસ્વભાવી છે...
આમ, વિજ્ઞાનમાં જયારે (૧) ગ્રાહ્યતા, અને (૨) ગ્રાહકતા – બંનેનો અભાવ થશે, ત્યારે તો પ્રતીતિબાધ અને અભ્યપગમબાધ થશે.. (ગ્રાહ્ય-ગ્રાહકતા વિનાનું વિજ્ઞાન, પ્રતીતિસિદ્ધ પણ નથી અને તેવો તમારો અભ્યાગમ પણ નથી...)
એટલે વિજ્ઞાનને ગ્રાહ્ય માનવાનો પહેલો વિકલ્પ તો યુક્ત નથી...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org