________________
१०२५ अनेकान्तजयपताका
(પશ્ચમ: ततोऽपि न बाह्यसिद्धिरित्यवहितैर्भावनीयम् ॥
(१७१) इतश्च बाह्यार्थसिद्धिः, विज्ञानमात्रस्यैवायोगात्, विकल्पानुपपत्तेः । विज्ञानं हि ग्राह्यरूपं वा स्याद् ग्राहकरूपमुभयरूपमनुभयरूपम्, प्रकारान्तरासम्भवात् । (१७२ ) तत्र ग्राह्यरूपत्वे सकलविज्ञानानामेव रूपान्तराभावादेकस्वभावत्वाद्
............................................ વ્યારહ્યા છે सिद्धिः, किन्तु बाह्यार्थसिद्धिरेव कर्माविलचित्तजत्वेन तद्भिन्नकर्मसिद्धेरित्यवहितैर्भावनीयમિતિ ||.
अभ्युच्चयमाह इतश्च बाह्यार्थसिद्धिरित्यादिना । कथमित्याह-विज्ञानमात्रस्यैवकेवलस्य अयोगात् । अयोगश्च विकल्पानुपपत्तेः । एनामेवाह-विज्ञानं हि ग्राह्यरूपं वा स्यादेकान्तेन ग्राहकरूपमुभयरूपमनुभयरूपं वेति विकल्पा एतावत एव, प्रकारान्तरासम्भवात् । किञ्चातः ? सर्वथाऽपि दोष इत्येतदाह तत्रेत्यादिना । तत्र ग्राह्यरूपत्वे विज्ञान
· અનેકાંતરશ્મિ છે તે સ્વપ્નવિજ્ઞાન ચિત્તમાત્રથી જ ઉત્પન્ન થયેલ નથી, કારણ કે જો ચિત્તમાત્રથી (=બોધમાત્રથી) જ ઉત્પન્ન થતું હોય, તો તો બુદ્ધપુરુષોને પણ સ્વપ્નજ્ઞાન થવું જોઈએ (કારણ કે ચિત્ત તો તેઓમાં પણ રહેલું છે...) પણ તેઓને તો થતું નથી..
એટલે માનવું જ રહ્યું કે, સ્વપ્નજ્ઞાન માત્ર ચિત્તથી નહીં, પણ કર્મયુક્ત ચિત્તથી થાય છે... (આ કર્મો બુદ્ધમાં નથી, એટલે જ તેઓને સ્વપ્નજ્ઞાન થતું નથી...)
આ રીતે, (૧) મૃગતૃષ્ણાવિષયક, (૨) રજતવિષયક આદિ બીજા પણ ભ્રાન્ત જ્ઞાનો, કર્મયુક્ત ચિત્તથી જ માનવા જોઈએ... (આ વાત સૂત્રમાં નથી, પણ સુખાવબોધ માટે વ્યાખ્યાકારે બતાવેલી છે...)
બસ, તો આ કર્મયુક્ત ચિત્તમાં ‘કર્મ” તરીકે, જ્ઞાનથી અતિરિક્ત બાહ્યર્થની જ સિદ્ધિ થશે... એટલે સ્વપ્નવિજ્ઞાનથી પણ બાહ્યર્થની સિદ્ધિ થાય જ, એવું સાવધાન થઈને વિચારવું...
વિજ્ઞાનમાત્રતાનો અયોગ - (૧૭૧) ગ્રંથકારશ્રી, બાહ્યર્થની સિદ્ધિ માટે હજી એક યુક્તિ આપે છે. જુઓ - માત્ર શુદ્ધબોધરૂપ વિજ્ઞાન અસંગત છે, એટલે પણ બાહ્યર્થની સિદ્ધિ થાય છે...
પ્રશ્ન : માત્ર શુદ્ધબોધ કેમ અસંગત છે?
ઉત્તર : કારણ કે તે વિશે વિકલ્પો ઘટતા નથી. તે આ પ્રમાણે - તે શુદ્ધબોધરૂપ વિજ્ઞાન તમે કેવું માનો છો, (૧) ગ્રાહ્યરૂપ, (૨)ગ્રાહકરૂપ, (૩) ઉભયરૂપ, કે (૪) અનુભયરૂપ? આમાંથી એકે વિકલ્પો સંગત થતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org