________________
१०१९
अनेकान्तजयपताका
(પગ્નમ:
**
विज्ञानानामपि भेदको भेदः समभ्युपगन्तव्यः । स च भैदकोऽर्थ एवास्तु, किमन्येन स्वहेतुपरम्पराजनितहेतुभेदिना कल्पितेन ? (१६५) बोधमात्रतत्त्ववादिनोऽस्य प्रदीर्घपरम्परायामपि तन्मात्रातिरेकेण विशेषासिद्धितोऽभिधानमात्रत्वादिति ।(१६६) अर्थस्तु
વ્યારહ્યા . भेदकः कश्चिद् भेदः समभ्युपगन्तव्यो येन तानि तदन्येभ्यो बुद्धादिविज्ञानेभ्यो भिद्यन्त इति । स च भेदकः-भेदः अर्थ एव अस्तु बाह्यः, किमन्येन स्वहेतुपरम्पराजनितहेतुभेदादिना कल्पितेन ? 'आदि'शब्दाद् वासनाशक्त्यादिग्रहः । किमिति तत्कल्पनाऽयुक्तेत्याह-बोधमात्रतत्त्ववादिनः-वादिनः अस्य-स्वहेतुपरम्पराजनितहेतुभेदादेः प्रदीर्घपरम्परायामपि सत्यां तन्मात्रातिरेकेण-बोधमात्रातिरेकेण विशेषासिद्धितः कारणादभिधानमात्रत्वादस्येति ।
- અનેકાંતરશ્મિ માનવો પડશે, કારણ કે જુદા જુદા બુદ્ધપુરુષોની જ્ઞાનવ્યક્તિઓ પણ જુદી જુદી જ છે અને તો તેમની પણ વિજાતીયતા થાય જ... પણ તમે તો તેવું માનતા નથી...
(બૌદ્ધો, દરેક બુદ્ધોનાં જ્ઞાનો, ગ્રાહ્ય-ગ્રાહકાકારથી રહિત શુદ્ધબોધરૂપે સમાન માને છે, એટલે તેઓની વિસદશતા અસ્વીકૃત છે... તો જેમ અહીં વિસશિતા સ્વીકૃત નથી, તેમ પ્રમાણ-પ્રમાણાભાસ અંગે પણ સમજવું... અર્થાત્ તેઓની વિસદશતા પણ સિદ્ધ થાય નહીં...)
સાર : આ પ્રમાણે (૧) દ્વિચન્દ્રવિષયક ભ્રાન્તજ્ઞાન અને અભ્રાન્તજ્ઞાન, (૨) છદ્મસ્થજ્ઞાન બુદ્ધજ્ઞાન, (૩) પ્રમાણ/પ્રમાણાભાસ... આ બધા વિસદશ જ્ઞાનોનો ભેદ કરનાર કોઈ વસ્તુ માનવી જ રહી, કે જેથી તે જ્ઞાનોની પોતાના વિજાતીયજ્ઞાનોથી વિસદશતા સાબિત થાય...
તો એ ભેદક તરીકે, ઘટાદિરૂપ બાહ્ય પદાર્થ જ થાઓ. (તે બાહ્ય પદાર્થ જ તે તે વિજ્ઞાનોનો ભેદ કરશે...) તે સિવાય (૧) પોતાની હેતુપરંપરાથી થયેલ હેતુભેદ, (૨) વાસનાશક્તિ... એ બધાની ભેદકરૂપે કલ્પના કરવાથી શું?
(૧૬૫) બૌદ્ધઃ પણ તેઓની તે રૂપે કલ્પના કરવામાં અયુક્ત શું? (આશય એ કે, તે વિજ્ઞાનોના બોધરૂપ હેતુઓ જુદા જુદા છે. આ હેતુભેદ તે ઍનાદિસિદ્ધ હેતુપરંપરાથી થાય છે. તો આ હેતુભેદથી જ વિજ્ઞાનોનો ભેદ માની લઈએ તો? અથવા તો તે તે વ્યક્તિમાં રહેલ જુદી જુદી વાસનાશક્તિથી જ તે વિજ્ઞાનનો ભેદ માની લઈએ તો? આમ, ભેદકરૂપે હેતુભેદાદિ માનવામાં અયુક્ત શું?)
સ્યાદ્વાદી : જુઓ, તમે શુદ્ધબોધમાત્રને જ તત્ત્વ તરીકે કહેનારા છો, એટલે તમારા મતે તો, પોતાની હેતુપરંપરાથી થયેલ તે હેતુભેદ આદિની લાંબી પરંપરા પણ માત્ર શુદ્ધબોધરૂપ છે, તે સિવાય તેમાં કોઈ એવી વિશેષતા જ સિદ્ધ નથી, કે જે વિજ્ઞાનોનો ભેદ કરાવે...
જ તે હેતુભેદ પોતાના પૂર્વ હતુર્ભદથી સિદ્ધ છે અને પૂર્વ હેતુભેદ પણ પોતાના પૂર્વ હતુભેદથી સિદ્ધ છે – એમ અનાદિસિદ્ધ હેતુપરંપરા સમજવી...
૨. “મેદ્રાર્થ' રૂતિ વ-પાત:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org