SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ १००९ अनेकान्तजयपताका (પગ્નમ: तस्य-स्मर्त्तव्यस्यार्थस्याभावात् । अभावश्च क्वचिदपवर्गोपपत्तेविनाशसम्भवात् । ततश्च निर्विषयं तदर्थस्मरणमित्यर्थः । न च निर्विषयं ज्ञानमिष्यते परैः । अत एवाह-एतेनेत्यादि । एतेन - અનેકાંતરશ્મિ .... થાય અને પછી તે સ્મૃતિથી પૂર્વદષ્ટ અર્થને વિષય કરનાર જ્ઞાનનું અનુમાન થાય. તે આ રીતે - “અતીત અર્થને વિષય કરનારી મને સ્મૃતિ થઈ રહી છે, એટલે નિશે તે પદાર્થ મને પહેલા જણાયો હોવો જોઈએ (અર્થાત્ તદ્વિષયક બુદ્ધિ મને અવશ્ય થઈ હતી.)” આમ બુદ્ધિનું અનુમાન થયા બાદ, તે ભૂતકાલીન અર્થવિષયક બુદ્ધિનું સ્મરણ થાય છે... - આ રીતે, જ્ઞાનને સ્વસંવિદિત માન્યા વિના પણ જ્ઞાનવિષયક સ્મૃતિ સંગત છે... (ક્રમ: (૧) વર્તમાનકાલીન પદાર્થદર્શન, (૨) ભૂતકાલીન પદાર્થસ્મરણ, (૩) ભૂતાર્થવિષયક બુદ્ધિનું અનુમાન, અને (૪) તે બુદ્ધિની સ્મૃતિ...) તેથી જ્ઞાનને સ્વસંવિદિત માનવાની કોઈ જરૂર નથી, ફલતઃ તેની પરોક્ષતા જ વાસ્તવિક છે... સ્યાદ્વાદીઃ તમારું વર્તમાનકાલીન અર્થદર્શનને જ સ્મૃતિ માનવારૂપ) કથન લૌકિક નથી, પણ લોકમાર્ગથી બાહ્ય છે, કારણ કે જો પૂર્વ અર્થસ્મરણથી તદ્વિષયક જ્ઞાનની સ્મૃતિ માનો, તો વિઘુદાદિ અર્થવિષયક જ્ઞાનની સ્મૃતિ અસંગત થાય.. પ્રશ્ન : કઈ રીતે ? ઉત્તરઃ જુઓ, વર્તમાનમાં અર્થગ્રહણ વખતે પૂર્વદષ્ટ પદાર્થનું સ્મરણ ત્યારે થાય છે, જ્યારે તે પદાર્થનું અસ્તિત્વ હોય, પણ વીજળી વગેરે કેટલાક પદાર્થોનો તો તે જ કાળે વિનાશ થઈ જાય છે, એટલે તેવા સ્મર્તવ્ય પદાર્થોનું વર્તમાનકાળે અસ્તિત્વ જ રહેતું નથી અને તેથી તો તે અર્થનું સ્મરણ નિર્વિષયક જ ગણાશે. (કારણ કે પદાર્થ વિના થનારું સ્મરણ તે નિર્વિષયક જ અર્થસ્મરણ કહેવાય...) અને નિર્વિષયક જ્ઞાન તો મીમાંસકો માનતાં નથી, એટલે તો તે અર્થસ્મરણ અસંગત જ થશે ને? પ્રશ્ન : પણ તેવું થવાથી પ્રસ્તુતમાં શું? ઉત્તર : પ્રસ્તુતમાં એ જ કે, જ્યારે તે પદાર્થનું અસ્તિત્વ જ નથી, ત્યારે તે પદાર્થ, પોતાની સ્મૃતિ જ ન થવાથી, સ્વવિષયક જ્ઞાનનું અનુમાન શી રીતે કરાવે? અને તેથી તે સ્વવિષયક જ્ઞાનની સ્મૃતિ શી રીતે સંગત થાય? (એટલે તેવો ક્રમ માનવામાં જ્ઞાનવિષયક સ્મૃતિ અસંગત ઠરશે...) માટે, જ્ઞાનની પરોક્ષતા માનવી યુક્તિયુક્ત નથી... भाव:-साम्प्रतकालभाविनोऽर्थदर्शनात् प्राग्दृष्टेऽर्थे स्मृतिस्ततस्तदा बुद्ध्यनुमानं ततस्तत्स्मृतिर्भवति । यतस्ततो वार्तमानिकार्थदर्शनरुपैवेयमस्तु, तद्धेतुकत्वात् तस्या इति यदुच्यते मीमांसकेन तदलौकिकमेवेति ।। 85. विनाशसम्भवादिति । यदि प्राच्यार्थस्मरणात् तद्विषयज्ञानस्मृतिरित्यङ्गीक्रियते, तदा विद्युदादि: क्षणिक: पदार्थस्तत्कालविनष्ट: कथं साम्प्रतं स्वज्ञानस्मृतिहेतु: स्यादिति ? यदि तु ज्ञानं स्वसंविदितमभ्युपेयते तदा तस्य साम्प्रतमपि पर्यायान्तराविष्टस्य सन्निहितत्वात् स्मृतियुज्यत एवेति ।। ૨. ‘તતિ ' તિ -પઢિ: | ૨. “પ્રત્યાર્થ' રૂતિ વ-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy