________________
१००३
अनेकान्तजयपताका
(પગ્નમ:
જુઓ, (૧) કરાતા પદાર્થને અપેક્ષીને જ, કર્તા તે કર્તુત્વને પ્રાપ્ત કરે છે બાકી તે વિના કર્તા તે “કર્તા” કેમ કહેવાય ?) અને (૨) કર્મ તે કર્તાને આશ્રયીને જ કર્મત્વનો વ્યપદેશ પ્રાપ્ત કરે છે (બાકી કર્તાનો તે વિષે વ્યાપાર વિના, તેનો કર્મરૂપે વ્યપદેશ અસંભવિત છે...) આમ, કર્તા-કર્મ બંને એકબીજાને સાપેક્ષ હોવાથી, એકનો વિકાર થયે બીજાનો વિકાર પણ માનવો જ પડે...
પ્રશ્ન : કઈ રીતે વિકાર થાય? એ જરા બરાબર સમજાવો...
ઉત્તરઃ કર્તા જ્યારે કાર્ય કરવા પ્રવર્તે ત્યારે તે કાર્ય દ્વારા, કર્તામાં “પોતાને ( કાર્યને) કરવાની પ્રવણતા” રૂપ વિકારનું આધાન કરાય છે... જો કર્તામાં આવો વિકાર ન માનો, તો જેમ હમણાં વિકાર વિના પણ તેનો કર્તારૂપે વ્યપદેશ થાય છે, તેમ પહેલા કાર્ય ન કરવા છતાં પણ તેનો કર્તારૂપે વ્યપદેશ માનવો પડશે ! પણ તેવું તો દેખાતું પણ નથી કે કોઈને ઈષ્ટ પણ નથી... (ટૂંકમાં કર્મ દ્વારા કર્તામાં વિકાર માનવો જ જોઈએ...) અને કર્તા દ્વારા કર્મમાં વિકાર થાય, એ વાત તો સ્પષ્ટ જ છે...
આમ, કર્તા અને કર્મ બંનેની ક્રિયા એકબીજાને સાપેક્ષ છે... (એટલે કર્મનો વિકાર થયે કર્તાનો વિકાર પણ થાય જ..)
બીજું તમે જે કહ્યું હતું કે “દાતરડાની જેમ કરણભૂત એવા જ્ઞાન દ્વારા, અર્થમાં જ વિશેષ કરાય છે, જ્ઞાતા એવા પુરુષમાં નહીં” - તે પણ ગુરુની ઉપાસના ન કરેલાનું વચન છે... (અર્થાત અસંગત વચન છે...) કારણ કે જો દાતરડા વડે કાપનાર વ્યક્તિમાં કોઈપણ અતિશયનું આધાન ન કરાતું હોય, તો તે વ્યક્તિ, જેમ દાતરડાના સંબંધ પહેલા લવનક્રિયા (=કાપવાની ક્રિયા) નહોતો કરતો, તેમ દાતરડાનાં જોડાણ પછી પણ લવનક્રિયા નહીં કરે, કારણ કે તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો પણ તેમાં વિકાર થયો નથી.
પ્રશ્ન : પણ પછી તો તેના હાથમાં દાતરડું આવી ગયું, તો તે ક્રિયા કેમ ન કરે ?
ઉત્તર : જુઓ ભાઈ, પહેલાની જેમ હમણાં પણ તે કર્તામાં કોઈ જ વિકાર નથી, એટલે જ તેના દ્વારા કાર્યકરણ અસંગત છે... તેથી માનવું જ જોઈએ કે, કરણભૂત દાતરડા વડે, પુરુષમાં પણ કોઈક વિકાર તો કરાય જ
• વિવરમ્ . कर्तुर्वा सापेक्षो यत्र स तथा । कर्ता हि क्रियमाणं पदार्थमपेक्ष्य कर्तृत्वं लभते । कर्म च कर्तारमङ्गीकृत्य कर्मत्वमाप्नोति । ततश्च कर्त्ता नियमात् कर्मणा विकारमानीयते आत्मकर्तृत्वप्रवणतालक्षणम्; अन्यथा प्रागवस्थायामकर्वाणोऽपि कर्तव्यपदेशमश्नवीत । न चैतत दृष्टमिष्टं वा । कर्म त का विकारमारोप्यत इति प्रतीतमेव । एवं चेतरेतरसापेक्ष: कर्तृकर्मक्रियाविधिरिति सिद्धं भवति । यच्च दात्रदृष्टान्तात् ज्ञानेन करणभूतेनार्थ एव विशेष: क्रियते, न ज्ञातरि पुरुषे इत्युच्यते तदप्यनुपासितगुरोर्वच: । यदि हि दात्रेण लेवितुर्न विशेष: कश्चिदाधीयत इति पक्षीक्रियते तदा दात्रसम्बन्धात् प्राग्वद् दात्रसम्बन्धेऽपि न स्याल्लवनक्रिया पुरुषस्य, तिलतुषत्रिभागमात्रस्यापि तत्र विकारस्याभावात् । तस्मादभ्युपगन्तव्यमेतद् यदुत दात्रेण साधकतमेन भूत्वा पुरुषे कश्चिद् विकार: क्रियत इति । एवं ज्ञानेनापि ज्ञातरि अर्थग्रहणप्रवणतालक्षणो विशेष: क्रियते
રૂ. ‘વિતરિ વિશેષ:' રૂતિ વી-પાઠ:I
૨. “ફર્મનો વા' રૂતિ -પતિ:. ૨. “યાત્ર' કૃતિ -પઢિ: ૪. પૂર્વમુદ્રિતે 7 વા’ રૂતિ પાઠક, મત્ર તું N-પ્રતાનુસારે વિન્યાસ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org