________________
– લાડવા વગેરે રૂપ-રસાદિને આશ્રયીને સુંદર છે, પણ પરિણામને આશ્રયીને આસક્તિ વગેરે કરાવવા
દ્વારા દુર્ગતિ-સર્જક હોવાથી અસુંદર છે.. હવે વિપર્યાસગ્રસ્ત મૂઢ જીવો, વસ્તુના એક અંશને પકડી લઈને, એ એક અંશને જ સમસ્ત વસ્તુના સ્વરૂપ તરીકે માની લે છે..
એટલે જ તો કંડરિક ઋષિ હજાર વરસોના સંયમ પછી પણ “આ રસઝરતી વાનગીઓ સારી છે એવું માનીને દુર્ગતિ પામ્યા ને? બાકી “અપેક્ષાએ સારી પણ આ પરિણામે અત્યંતદુઃખદાયક છે” એવી જાણકારી હોવામાં તો અવશ્ય તેઓ બચી જાત.. પણ નહીં, અપેક્ષાએ તેનું સારાપણું સમસ્ત વસ્તુમાં સમજી લીધું અને વસ્તુ સંપૂર્ણ સારી છે – એવો વિપર્યાસ બંધાઈ ગયો ! પછીનું ફળ તો પ્રસિદ્ધ
છે જ..
આ છે વિપર્યાસ ! અને તેનાથી થયેલો એકાંત !
અનેકાંત યથાર્થ સમજણ આપે છે અને જણાવે છે કે, દરેક વસ્તુઓ તે તે અપેક્ષાએ પ્રતિનિયત સ્વરૂપવાળી હોવા છતાં પણ બીજી અપેક્ષાએ તેઓ બીજા સ્વરૂપવાળી પણ હોઈ જ શકે છે.. – ગરમીમાં અત્યંત સુખ આપનાર માટીનો ઠંડો ઘડો પણ, શિયાળામાં અત્યંત કફ કરનાર બની શકે
છે, તો આ શું જુદા જુદા કાળની અપેક્ષાએ વસ્તુનું જુદું જુદું સ્વરૂપ ન થયું? – વિદ્વાનોના દેશમાં આદરણીય પણ વ્યક્તિ, મૂર્ખલોકોના દેશમાં તિરસ્કરણીય અને ઉપેક્ષાપાત્ર બને
છે જ.. * યુવાવસ્થામાં દોડતો માણસ પણ, ઘડપણમાં લાકડી પકડીને પણ ચાલી શકતો નથી. એટલે એક જ વસ્તુ જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા સ્વરૂપવાળી હોય છે – એ નિર્વિવાદ હકીકત છે...
આ અનેકાંતને જ સચોટ તર્કો અને દાખલા-દલીલોથી સમજાવવા, સૂરિપુરંદર ૧૪૪૪ ગ્રંથના રચયિતા પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ‘અનેકાંતજયપતાકા’ એવું યથાર્થનામા જૈનદાર્શનિક રત્નાકરતુલ્ય ગ્રંથનું સર્જન કર્યું..
તેમાં, ભાગ ચોથો ! અધિકાર પાંચમો ! “જગતમાં દેખાતા પદાર્થો હકીકતમાં તો છે જ નહીં, માત્ર જ્ઞાન જ વાસ્તવિક છે” એવી કેટલાકની એકાંતમાન્યતા છે. ગ્રંથકારશ્રીએ અનેક અકાઢ્ય તર્કોથી ‘બાહ્યાર્થ છે જ એ વાતની નિબંધ સ્થાપના કરી છે.
અને અનેક સ્થળે અનેકાંતની સ્થાપના કરીને અનેકાંત કેટલો બધો વ્યાપક છે? તેની સતર્ક સાબિતી કરી છે.
આ અધિકારમાં રહેલા સુંદર પદાર્થોના અધ્યયન – અધ્યાપન દ્વારા માર્ગાભિમુખ ક્ષયોપશમ વિશદ બનાવીએ, જિનવચન પરની શ્રદ્ધા મજબૂત બનાવીએ, પરંપરાએ અવિચલ સુખને પામીએ, એ જ અંતરની અભિલાષા..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org