SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 6 ।। શ્રી શદ્ધેશ્વરપાર્શ્વનાથાય નમઃ ।। ।। શ્રી-પ્રેમ-ભુવનભાનુ-નયઘોષ-વેિ-ગુરા-મિરસૂરિસષ્ણુરુોનમ:॥ ॥ છેં નમઃ । અનેકાંત : યથાર્થવાદ (પ્રાસ્તાવિક) રત્ન ઘણું કીમતી છે, પણ તેને જોનાર બાળક છે.. શું એ બાળક, રત્નનું યથાર્થ મૂલ્ય આંકી શકે ? નહીં જ. કારણ ? એ જ કે, રત્ન શું છે? એનાથી શું ફળ પ્રાપ્ત થાય ? એ બાબતની સમજણ જ એને નથી.. એના માટે તો રત્ન પણ એક કાચનો ટુકડો જ છે.. આને કહેવાય અજ્ઞાન ! અસમજ ! પછી એ બાળક મોટો થાય અને તેને રત્નનું યથાર્થ મૂલ્ય સમજાવાય, પછી પણ જો એ તેના વિશે કાચના ટુકડા જેવો જ વ્યવહાર રાખે, તો પછી તો તેને મૂર્ખ જ કહેવાય.. આ તેનો વિપર્યાસ છે ! અજ્ઞાન અને વિપર્યાસ – આ બેમાંથી વિપર્યાસ એ ખૂબ જ ખતરનાક દોષ છે. પહેલામાં અસમજ છે, જ્યારે બીજામાં ઊંધી સમજ છે. . ઊંધી સમજવાળાને સમજાવવું અત્યંત આકરું છે અને તેની પક્કડ છોડાવવી અત્યંત મુશ્કેલ છે.. ઉપદેશરહસ્યની વૃત્તિમાં પણ એ જ વાત જણાવી છે કે - “સંશય અને અનધ્યવસાયની અપેક્ષાએ વિપર્યાસ બળવાન દોષ છે અને એ વિપર્યાસ - અસગ્રહ મિથ્યાત્વથી ઊભો થનાર દોષ છે..” આ વિપર્યાસ, એકાંતનો સહભાવી છે. . તેનાથી (૧) જે નથી તેનો આરોપ, અને (૨) જે રીતે નથી તે રીતનો આરોપ થાય છે.. અને તેના કારણે મિથ્યાજ્ઞાન - મિથ્યાવ્યવહાર વગેરે પ્રવર્તે છે. → તરસ્યો માણસ, ઝાંઝવાના જળને ‘પાણી’ માનીને દોડે તો શું થાય? થાકનો જ અનુભવ થાય ને ? * "निश्चयतः मिथ्यात्वकृते विपर्यासेऽसद्ग्रहे ... संशयानध्यवसायापेक्षया विपर्यासदोषस्यैव बलीयस्त्वात् ।" उपदेशरहस्यवृत्तौ श्लोक ६ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy