________________
6
।। શ્રી શદ્ધેશ્વરપાર્શ્વનાથાય નમઃ ।।
।। શ્રી-પ્રેમ-ભુવનભાનુ-નયઘોષ-વેિ-ગુરા-મિરસૂરિસષ્ણુરુોનમ:॥
॥ છેં નમઃ ।
અનેકાંત : યથાર્થવાદ (પ્રાસ્તાવિક)
રત્ન ઘણું કીમતી છે, પણ તેને જોનાર બાળક છે.. શું એ બાળક, રત્નનું યથાર્થ મૂલ્ય આંકી શકે ? નહીં જ.
કારણ ? એ જ કે, રત્ન શું છે? એનાથી શું ફળ પ્રાપ્ત થાય ? એ બાબતની સમજણ જ એને નથી.. એના માટે તો રત્ન પણ એક કાચનો ટુકડો જ છે..
આને કહેવાય અજ્ઞાન ! અસમજ !
પછી એ બાળક મોટો થાય અને તેને રત્નનું યથાર્થ મૂલ્ય સમજાવાય, પછી પણ જો એ તેના વિશે કાચના ટુકડા જેવો જ વ્યવહાર રાખે, તો પછી તો તેને મૂર્ખ જ કહેવાય..
આ તેનો વિપર્યાસ છે !
અજ્ઞાન અને વિપર્યાસ – આ બેમાંથી વિપર્યાસ એ ખૂબ જ ખતરનાક દોષ છે. પહેલામાં અસમજ છે, જ્યારે બીજામાં ઊંધી સમજ છે. . ઊંધી સમજવાળાને સમજાવવું અત્યંત આકરું છે અને તેની પક્કડ છોડાવવી અત્યંત મુશ્કેલ છે..
ઉપદેશરહસ્યની વૃત્તિમાં પણ એ જ વાત જણાવી છે કે - “સંશય અને અનધ્યવસાયની અપેક્ષાએ વિપર્યાસ બળવાન દોષ છે અને એ વિપર્યાસ - અસગ્રહ મિથ્યાત્વથી ઊભો થનાર દોષ છે..”
આ વિપર્યાસ, એકાંતનો સહભાવી છે. . તેનાથી (૧) જે નથી તેનો આરોપ, અને (૨) જે રીતે નથી તે રીતનો આરોપ થાય છે.. અને તેના કારણે મિથ્યાજ્ઞાન - મિથ્યાવ્યવહાર વગેરે પ્રવર્તે છે. → તરસ્યો માણસ, ઝાંઝવાના જળને ‘પાણી’ માનીને દોડે તો શું થાય? થાકનો જ અનુભવ થાય ને ?
* "निश्चयतः मिथ्यात्वकृते विपर्यासेऽसद्ग्रहे ... संशयानध्यवसायापेक्षया विपर्यासदोषस्यैव बलीयस्त्वात् ।" उपदेशरहस्यवृत्तौ श्लोक ६ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org