________________
ધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
९६६ तद्विरोधः ? अर्थस्यैवाभावादिति चेत्, कुतस्तदभावनिश्चयः ? ज्ञानानुभवादिति
- વ્યાધ્યા જ तदवगमे-सन्तानान्तरावगमे कः खलु तथैव-तेनैव प्रकारेण अर्थे-रूपादौ तद्विरोधः-अवगमविरोध: ? अर्थस्यैवाभावात् इति चेत् अवगमविरोधः । एतदाशङ्कयाह-कुतस्तदभावनिश्चयः-अर्थाभावनिश्चयः ? ज्ञानानुभवात् एव इति चेत्, न तद्वदर्थोऽनुभूयत इत्यभिप्रायः ।
- અનેકાંતરશ્મિ .. સંતાનાંતરાદિનો અવગમ અસંભવિત જ હોય, તો દેશના શી રીતે થાય? શું સામેવાળાની મનઃસ્થિતિ જાણ્યા વિના બકવાનું છે ?)
અરે ! જો પરસંતાનનો અવગમ ન થતો હોય, તો તમે બુદ્ધને સર્વજ્ઞ શી રીતે માની શકશો? કારણ કે બુદ્ધને પરકીયજ્ઞાનનો અવગમ નહીં થાય અને તો તેમનું સર્વજ્ઞપણું જ નહીં રહે...
વળી, જો જ્ઞાન, પરસંતાન માટે (ઘટાદિ જ્ઞાનાતિરિક્ત પદાર્થ માટે) નિવ્યપાર જ હોય, તો ઘટ વગેરેનું પ્રદર્શક, પ્રવર્તક કે પ્રાપક જ્ઞાન સંભવિત નહીં રહે, અર્થાત્ કોઈ જ્ઞાન પ્રદર્શક, પ્રવર્તક કે પ્રાપક નહીં બની શકે અને તો બૌદ્ધમાન્યતામુજબ કોઈ જ્ઞાન પ્રમાણ નહીં રહે! કારણ કે કોઈપણ જ્ઞાનનું પ્રામાણ્ય ક્રમશઃ સ્વવિષયપ્રદર્શકત્વ દ્વારા સ્વવિષયપ્રવર્તત્વ અને તેના દ્વારા સ્વવિષયપ્રાપકત્વ ઉપર જ અવલંબિત હોય છે. હવે જો જ્ઞાન પોતાના વિષય અંગે નિર્વ્યાપાર હોય, તો તેનું સ્વવિષયપ્રદર્શકત્વાદિ સંગત થાય નહીં અને તો તેનું પ્રામાણ્ય જ ન રહે...
એટલે બધું શાંતિથી સમ્યગુ વિચારીને, તમારો કદાગ્રહ મૂકી દો...
(૧૧૫) બૌદ્ધ : અમે દેશનાજ્ઞાન આદિનો એવો સ્વભાવ માની લઈશું, કે જેથી તેઓ દ્વારા જ્ઞાનથી અતિરિક્ત પણ સંતાનાંતરનો બોધ થઈ જાય... (પછી તો વાંધો નહીં ને ?)
સ્યાદ્વાદીઃ જો એ રીતે યથાકથંચિત્ સંતાનાંતરનો બોધ થતો હોય, તો તેની જેમ, અર્થનો પણ બોધ કેમ ન થાય? (આશય એ કે, જ્ઞાન દ્વારા પોતાથી અતિરિક્ત જેમ સંતાનાંતરનો બોધ થાય છે, તેમ અર્થનો પણ બોધ થશે જ..)
બૌદ્ધઃ પણ ખરેખર તો કોઈ અર્થ જ નથી... (એટલે જ અમારું કહેવું છે કે, અર્થનો અવગમ અસંભવિત છે...)
સ્યાદ્વાદી: “અર્થ નથી” – એવો નિશ્ચય તમે શેના આધારે કરો છો?
બૌદ્ધઃ જ્ઞાનાનુભવના આધારે... અભિપ્રાય છે કે, માત્ર જ્ઞાનનો જ અનુભવ થાય છે, તેની જેમ કોઈ અર્થનો નહીં, એટલે જ અમે નિર્ણય કરીએ છીએ કે, અર્થ જેવી કોઈ વસ્તુ જ નથી...
- વિવરમ્ . निर्व्यापारमेव, तदा कथं देशना ? तथा प्रदर्शकप्रवर्तकप्रापकज्ञानानामपि को विषय: परसन्तानानवगमे सति इति सम्यक् पर्यालोच्य मुच्यतां कदाग्रहः ।।
.......
૧. ‘રેશાનાં તથા' રૂતિ -પઢિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org