________________
९३८
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
(८४) एवं सर्वथैकस्वभाववस्तुवादिनो रूपादय एव घट इत्ययुक्तम् । रूपादय एव रूपादय इति वाक्यार्थापत्तेः भिन्नशब्दप्रयोगायोगात्, प्रवृत्तिनिमित्ताभावात्, (८५)
- વ્યારા
... एवं च कृत्वा सर्वथैकस्वभाववस्तुवादिनः-बौद्धस्य रूपादय एव घट इत्येतदप्ययुक्तम् । कथमित्याह-रूपादय एव रूपादय इति-एवं वाक्यार्थापत्तेः कारणात् । आपत्तिश्च भिन्नशब्दप्रयोगायोगात् भिन्नौ चैतौ रूपादय एव घट इति च । अयोगश्च प्रवृत्तिनिमित्ताभावात् । न हि यदेव रूपादिशब्दस्य प्रवृत्तिनिमित्तं तदेव घटशब्दस्यापि भवितुमर्हत्यतिप्रसङ्गादिति भावनीयम् । इतश्चायुक्तं रूपादय एव घट इत्येतत् कार्यभेदानुपपत्तेः कारणात्,
- અનેકાંતરશ્મિ .... - બૌદ્ધમતે રૂપાદિઓની ઘટરૂપતાનો અભાવ (૮૪) બૌદ્ધો, વસ્તુને સર્વથા એકસ્વભાવી કહે છે, એટલે તેઓના મતમાં “રૂપાદિ જ ઘટ છે”- એવું કથન પણ સંગત થતું નથી, કારણ કે એકાંત એકસ્વભાવી વસ્તુ વિશે (૧) રૂપ, અને (૨) ઘટ એવો બે જુદા જુદા શબ્દપ્રયોગ પણ ન જ થઈ શકે, એટલે તો કોઈ એક શબ્દનો જ પ્રયોગ થતાં “રૂપાદિ જ રૂપાદિ છે” – એવો વાક્યર્થ માનવાની આપત્તિ આવશે... (પણ શું એવો વાક્યર્થ કદી થાય છે ?)
બૌદ્ધ : પણ એકસ્વભાવી વસ્તુ વિશે, બે શબ્દપ્રયોગ ન થવાનું કારણ શું?
સ્યાદ્વાદીઃ કારણ એ જ કે, તે એકસ્વભાવી વસ્તુમાં જુદું જુદું પ્રવૃત્તિનિમિત્ત નથી... (અર્થાત્ જુદા જુદા શબ્દોને પ્રવર્તાવનાર જુદા જુદા અનેકસ્વભાવરૂપ નિમિત્ત નથી...)
બૌદ્ધઃ જે સ્વભાવ રૂપશબ્દની પ્રવૃત્તિનું કારણ છે, તે જ સ્વભાવ જો ઘટશબ્દની પણ પ્રવૃત્તિનું કારણ માની લઈએ તો?
સ્યાદાદીઃ અરે ! તો તો અતિપ્રસંગ એ આવશે કે, તે એકસ્વભાવથી દુનિયાના તમામ શબ્દોની પ્રવૃત્તિ થઈ જશે ! એટલે તે એકસ્વભાવથી અનેક શબ્દોની પ્રવૃત્તિ માની શકાય નહીં... તેથી તમારા મતે “રૂપાદિ જ ઘટ છે” – એવું કથન સંગત થતું નથી...
એકાંતવાદીમતે કાર્યભેદની અસંગતિ એકાંત એકસ્વભાવવાળા રૂપાદિથી, (૧) પાણી લાવવાદિરૂપ સામાન્ય કાર્ય, અને (૨) રૂપાદિ જ્ઞાનને ઉત્પન્ન કરવારૂપ પ્રતિનિયત કાર્ય... એમ જુદા જુદા અનેક કાર્યો થઈ શકે નહીં, કારણ કે જુદા કાર્યો કરવા તેમાં જુદો જુદો સ્વભાવ હોવો જોઈએ, જે એકાંતવાદીમતે અઘટિત છે..
બૌદ્ધઃ જો ન ઘટે, તો તે કાર્યભેદનો પ્રતિક્ષેપ કરી દઈએ?
સ્યાદ્વાદીઃ તેવું ન કરાય, કારણ કે કાર્યભેદ તો સર્વલોકપ્રસિદ્ધ છે... અને એટલે જ તો, સામાન્યશક્તિથી ઉદકાહરણાદિરૂપ કાર્ય અને પ્રતિનિયતશક્તિથી રૂપાદિજ્ઞાનરૂપ કાર્ય - એમ જુદા જુદા કાર્યો થાય છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org