________________
fધારે) व्याख्या-विवरण-विवेचनसमन्विता
९३४ तथाबोधभेदासिद्धेः, समानजातीयेभ्योऽतुल्येतरबुद्ध्यभावादिति रूपादीनामनेकस्वभावસિદ્ધિદા.
વ્યારહ્યા છે . विकल्पकबुद्धिनां किमित्याह-अप्रयोजकत्वात् । एतदेवाह-तद्भावेऽपि-व्यक्तिमात्रभेदभावेऽपि तथा-भिन्नविकल्पबुद्धिजनकत्वेन बोधभेदासिद्धेः । असिद्धिमेवाह-समानजातीयेभ्यः रूपाद्यविकल्पबोधभेदेभ्यः । किमित्याह-अतुल्येतरबुद्ध्यभावात् । अतुल्याश्च ता इतरबुद्धयश्च अविकल्पबोधभेदानामितरबुद्धयो विकल्पिका गृह्यन्ते, तासामभावस्तस्मात् । न हि नीलस्वलक्षणबोधभेदेभ्यो नीलानीलविकल्पबुद्धिभाव इति भावनीयम् । इति-एवं रूपादीनामनेकस्वभावत्वसिद्धिः ॥
- અનેકાંતરશ્મિ .... ઇત્યાદિ વ્યક્તિભેદ જ શું અવિકલ્પબુદ્ધિઓનો ભેદક ન બને?
સ્યાદ્વાદીઃ ના, કારણ કે તે દરેક અવિકલ્પવ્યક્તિઓ અવિશિષ્ટ એવાં રૂપાદિ સ્વલક્ષણોને વિષય કરે છે... આમ, અવિશિષ્ટ એકવિષયક જ્ઞાનો વિસદેશ શી રીતે કહેવાય? (એટલે વ્યક્તિભેદ હોવા માત્રથી અવિકલ્પોનો ભેદ અસિદ્ધ છે..)
આ જ વાતને જણાવે છે –
વ્યક્તિભેદ હોવા છતાં પણ, તે અવિકલ્પજ્ઞાનોનો ભેદ સિદ્ધ નથી, કે જેથી તેઓ જુદા જુદા ઘટ-શરાવાદિ વિકલ્પોને ઉત્પન્ન કરી શકે...
પ્રશ્નઃ વ્યક્તિભેદ હોવા છતાં, ભેદ સિદ્ધ ન થવાનું કારણ શું?
ઉત્તરઃ કારણ એ જ કે, અવિશિષ્ટ એવાં રૂપાદિ સ્વલક્ષણોને વિષય કરતાં હોવાથી સમાન જાતીય એવા અવિકલ્પોથી, પરસ્પર વિજાતીય એવાં ઘટ-શરાવાદિ વિકલ્પો થઈ શકે નહીં... શું બે નીલબુદ્ધિથી પરસ્પર વિજાતીય એવી નીલ-અનીલવિષયક વિકલ્પબુદ્ધિઓ થાય છે?
(આશય : રૂપાદિનિર્વિકલ્પમાં વ્યક્તિભેદ હોય તો પણ સમાનજાતીયતા હોવાથી ભિન્નજાતીયવિકલ્પજનત્વ ન આવે...)
એટલે અવિકલ્પોની વિસદેશતા સિદ્ધ થયે જ ઘટ-શરાવાદિ વિકલ્પબુદ્ધિઓનો ભેદ સંગત બને અને તેઓની વિસદશતા સિદ્ધ કરવા વિષયભેદ માનવો જ રહ્યો...
તેથી રૂપાદિનો જુદા જુદા અનેક સંસ્થાનરૂપે અનેકસ્વભાવ નિબંધ સિદ્ધ થશે... (સાર એ કે, સૂક્ષ્મ અવસ્થામાં અદષ્ટ પણ પરમાણુઓ, સ્થૂલ અવસ્થામાં જુદા જુદા અનેક સંસ્થાનરૂપે દષ્ટ બને એમાં કોઈ અસમંજસતા નથી...)
૨. ‘ત્યાદિ પ્રયોગ' તિ -પઢિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org