________________
(તિ
अनेकान्तजयपताका "पररूपं स्वरूपेण यया संवियते धिया । एकार्थप्रतिभासिन्या भावानाश्रित्य भेदिनः ॥१॥ तया संवृत्तनानात्वाः संवृत्त्या भेदिनः स्वयम् । अभेदिन इवाभान्ति भावा रूपेण केनचित् ॥२॥
भासतया तु यथोक्तलक्षणया अस्त्येव । उक्तं च न्यायवादिना-धर्मकीर्तिना-पररूपंव्यावृत्तस्वलक्षणं स्वरूपेण प्रतिभासेन यया संव्रियते-प्रच्छाद्यते धिया-बुद्ध्या एकार्थप्रतिभासिन्या एकाकारया भावानाश्रित्य भेदिनः स्वलक्षणान्यधिकृत्योत्पन्नया तया-धिया संवृत्तनानात्वाः किंविशिष्टया संवृत्त्या संव्रियतेऽनया स्वलक्षणमिति कृत्वा भेदिनः स्वयमसाधारणात्मानः अभेदिन इव-संसृष्टा इव आभान्ति भावा रूपेण केनचित्-विजातीय
અનેકાંતરશ્મિ ... અર્થાતુ અવાસ્તવિક જ છે... પણ તે તે પ્રકારે =બુદ્ધિ તિરિક્તરૂપે/સાધારણરૂપે/અર્થક્રિયારૂપે) પ્રતિભાસ થતો હોવાથી, પ્રતિભાસરૂપે તો તેનું અસ્તિત્વ છે જ... એટલે તેનું અસ્તિત્વ પરમાર્થથી નથી, પ્રતિભાસરૂપે છે...
(૬૮) આ જ વાત, ન્યાયવાદી ધર્મકીર્તિએ પ્રમાણવાર્તિકમાં કહી છે –
“(૧) સ્વલક્ષણરૂપ અત્યંત ભિન્ન-ભિન્ન પદાર્થને આશ્રયીને, તે બધા પદાર્થોનો એકાકારરૂપે પ્રતિભાસ કરનારી એવી જે બુદ્ધિ વડે, પોતાના (=સામાન્ય કારરૂપના) પ્રતિભાસ દ્વારા, પરરૂપ= પરસ્પરભિન્ન એવા સ્વલક્ષણો ઢાંકી દેવાય છે... (આ બુદ્ધિ સામાન્યાકારપ્રતિભાસી હોવાથી, સ્વલક્ષણોની વ્યાવૃત્તતા=પરસ્પરવિસદશતાને ઢાંકી દે છે અને એટલે જ તે પદાર્થોનો વ્યાવૃત્તરૂપે બોધ થતો નથી.)
(૨) તે સંવૃત્તિ બુદ્ધિ વડે આચ્છાદિત કરાયેલી ભિન્નતાવાળા, પોતે જ અસાધારણસ્વરૂપે ( ભિન્નરૂપે) રહેલા એવા ભિન્ન-ભિન્ન સ્વલક્ષણો પણ જાણે અભેદરૂપે=એકાકારરૂપે ભાસે છે...
પ્રશ્ન : પણ કઈ અપેક્ષાએ તેનો તેવો ભાસ થાય છે?
ઉત્તર ઃ ઘટવાદિની અપેક્ષાએ... એટલે ઘટત્વની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન પણ ઘટોનો સાધારણરૂપે ભાસ થાય છે. આ ઘટત્વ વિજાતીય એવા પટાદિની વ્યાવૃત્તિરૂપ છે અને એટલે જ તે વાસ્તવિક નથી. (કારણ કે વ્યાવૃત્તિ અભાવરૂપ હોઈ અસત્ છે...) પણ બધા જ ઘટો, પટાદિથી વ્યાવૃત્ત હોવાથી, વિજાતીયવ્યાવૃત્તિરૂપ આ ઘટત્વ, બધા ઘટોનું એકીકરણ કરે છે...
* આ બુદ્ધિ સ્વલક્ષણોને સંવરે (ઢાંકે) છે, માટે તેને “સંવૃત્તિ” કહેવાય છે...
-૨. મનુષ્ટ્રમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org