________________
७१५
अनेकान्तजयपताका
( ચતુર્થ:
–
प्रवर्तनं युक्तम्, यथा केसरादिमति भावे गोशब्दात्, ततश्च निष्प्रयोजन एव सङ्केतः, तत्समयोपलब्धस्यासंसारमपि पुनरनुपलम्भाच्च ॥
(६५) स्यादेतत् न हि स्वसंविद्रूपेषु बोधमात्रविशेषेषु सङ्केतः, अपि तु बुद्धि
* વ્યાધ્યા
भावयन्नाह-न ह्यन्यत्र कृतसमयाद् ध्वनेः - शब्दादन्यत्र प्रवर्तनं युक्तं, यथा केसरादिमति भावे - सिंहादौ गोशब्दात्, ततश्च एवं च सति निष्प्रयोजन एव सङ्केतः । उपचयमाह - तत्समयोपलब्धस्य-सङ्केतसमयोपलब्धस्य आसंसारमपि - यावदपि संसारः । तावदपि पुनरनुपलम्भाच्च इति ॥
स्यादेतत् न हि स्वसंविद्रूपेषु बोधमात्रविशेषेषु सङ्केतः, अपि तु बुद्धिपरिकल्पिते ... અનેકાંતરશ્મિ ..
ભવિષ્યમાં પણ ઘટ વિશેની પ્રવૃત્તિ વગેરે આ સંકેતથી શક્ય બને...)
(૬૪) પણ બૌદ્ધમતે ઉપરોક્ત એકે લાભ ઘટતો નથી. એટલે તેઓના મતે સંકેત કરવો નિષ્પ્રયોજન જણાય છે. આ રીતે -
(૧) તમે અનેક વિકલ્પોમાં અનુગત કોઈ આકાર માનતાં નથી, તેથી સંકેત વખતે ઉપલબ્ધ ઘટવિકલ્પમાં જ ઘટશબ્દનો સંકેત થશે એટલે સંકેતાનુસારે ઘટશબ્દથી માત્ર તે જ (=સંકેતકાલોપલબ્ધ જ) ઘટવિકલ્પ વિશે પ્રવૃત્તિ થશે, બીજા ઘટવિકલ્પો વિશે નહીં, કારણ કે, યથાસંકેત પ્રવૃત્તિ થવી જ યોગ્ય છે, ગાયમાં સંકેતિત ગોશબ્દથી સિંહ વિશે પ્રવૃત્તિ થાય એ ઉચિત નથી.
તેથી ઘટશબ્દથી બીજા ઘટવિકલ્પો વાચ્ય નહીં બને અને એટલે બીજા ઘટાદિ વિશે પ્રવૃત્તિ પણ નહીં થાય, તો પછી સંકેત કરવાથી લાભ શું ? (આશય એ કે, ઘટશબ્દથી, કદી પણ કોઈપણ ઘટ વિશે પ્રવૃત્તિ થતી હોય તો તે સંકેત લેખે લાગે, પણ તેવું તો તમારા મતે ઘટતું નથી...)
(૨) ઘટવિકલ્પ તો ક્ષણિક હોવાથી, તેની સંસારમાં ફરી કદી ઉપલબ્ધિ થવાની નથી, તો પછી તેવા (સંકેતકાળે ઉપલબ્ધ) ઘટવિકલ્પમાં સંકેત કરવાથી લાભ શું ? જો તે પદાર્થની ફરી ઉપલબ્ધિ થવાની હોય, તો તે વિશે શબ્દસંકેત ક૨વો વ્યાજબી ગણાય, કે જેથી ભવિષ્યમાં ઘટશબ્દથી તે વિશે પ્રવૃત્તિ થાય... પણ તે પદાર્થની સ્થિરતા તો તમે માનતાં નથી...
સાર ઃ તેથી બૌદ્ધમતે, વિકલ્પબુદ્ધિપ્રતિભાસરૂપ ત્રીજા અપોહમાં સંકેત કરવો નિષ્પ્રયોજન છે.. * અવસ્તુમાં સંકેતની અસિદ્ધતા (૬૫) બૌદ્ધ : અમે ઘટશબ્દનો સંકેત, સ્વસંવેદનરૂપ માત્ર બોવિશેષમાં નથી કહેતાં, પણ
"तत्र स्वलक्षणे न तावत् समयः संभवति शब्दस्य । समयो हि व्यवहारार्थं क्रियते न व्यसनितया, तेन यस्यैव संकेतव्यवहारकालव्यापकत्वमस्ति तत्रैव स व्यवहर्तॄणां युक्तो नान्यत्र । न च स्वलक्षणस्य संकेतव्यवहारकालव्यापकत्वमस्ति । तस्मान्न तत्र समयः | संकेतव्यवहारकालाव्यापकत्वमशाबलेयादिव्यक्तीनां देशादिभेदेन परस्परतोऽत्यन्तव्यावृत्ततयाऽनन्वयात् तत्रैकत्र कृतसमयस्य पुंसोऽन्यैर्व्यवहारो न स्यादिति तत्र समयाभावऽसिद्धता हेतोः ।" इति सन्मतितर्क० तत्त्वबोधविधायिन्याम् का० २ / खं० २ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org