________________
७०९ अनेकान्तजयपताका
(ચતુર્થ: (५७) किञ्च तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनकः' इत्येतदप्ययुक्तम्, क्वचिदसम्भवात्, गम्भीरशास्त्रश्रवणादौ तथोपलब्धेः, अन्यथा तदनवगमाभावात्, अभ्युपगमे च प्रतीतिविरोधः, (५८) क्वचित् सम्भवे अपि तदवगमासम्भवाच्च, परचेतसो
- વ્યારહ્યા છે. अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनकः शब्द इत्येतदप्ययुक्तम् । कुत इत्याह-क्वचिदसम्भवात् तथाभूतस्यैव श्रोत्रुविकल्पस्य, असम्भवश्च गम्भीरशास्त्रश्रवणादौ गम्भीरशास्त्रमतिगहनम् । 'आदि'शब्दान्निपुणाभिधानग्रहः । तथोपलब्धेः-वक्तृविकल्पसदृशश्रोतृविकल्पासम्भवोपलब्धेः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाएवमनभ्युपगमे तदनवगमाभावात् तस्य-श्रोतुरनवगमाभावो वक्तृविकल्पसदृशविकल्पोत्पादे । अभ्युपगमे च अनवगमाभावस्य प्रतीतिविरोधः, क्वचिदनवगमप्रतीतेः । दूषणान्तरमाह
અનેકાંતરશ્મિ નિષ્કર્ષ : એટલે શબ્દ/વિકલ્પની જન્ય-જનકતાનું ગ્રહણ કરનાર, પરમાર્થસત્ કોઈ જ્ઞાન જ નથી કે જે બંનેની જન્ય-જનતાનો નિશ્ચય કરે. ફલતઃ “આ શબ્દ આવા વિકલ્પથી જન્ય છે” - એવું કથન અસંગત જ સાબિત થાય..
ને વસ્તૃશ્રોતૃવિકલ્પની સમાનતાનો નિરાસ - (૫૭) બીજું તમે તેમાં જે કહ્યું હતું કે - “શબ્દ તે વક્તાના વિકલ્પ જેવો જ શ્રોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે..” - તે વાત પણ યુક્ત નથી, કારણ કે કેટલેક ઠેકાણે તેવું નથી પણ બનતું..
બૌદ્ધઃ પણ એવું ક્યાં નથી બનતું ? બતાવો તો ખરા...
સ્યાદ્વાદીઃ જુઓ - ગંભીર શાસ્ત્રશ્રવણાદિ વખતે તેવું સ્પષ્ટપણે દેખાય છે... આશય એ કે, ગંભીર શાસ્ત્ર એકદમ ગહન હોય છે અને કોઈક કથન તો વળી સૂક્ષ્મ યુક્તિઓથી પરિપૂર્ણ હોય છે... હવે પાઠક, જયારે ગંભીરશાસ્ત્ર કે કોઈ સૂક્ષ્મયુક્તિપરિપૂર્ણ કથન કરતાં હોય, ત્યારે તે કથન સાંભળી, શ્રોતાને પણ વક્તા જેવો જ વિકલ્પ થાય એવું ઘણું ઓછું બને છે (કારણ કે આવા ગંભીર શાસ્ત્રના શ્રવણ વખતે, વક્તાનો આશય સમજવો અઘરો પડે એવું સ્પષ્ટ દેખાય છે...).
જો શબ્દથી વક્તાના વિકલ્પ જેવો જ, શ્રોતૃવિકલ્પ થઈ જતો હોય, તો આવા ગંભીરશાસ્ત્ર શ્રવણ વખતે પણ, શ્રોતાને અનવગમ-અબોધ=અસમજણ નહીં રહે, વક્તાની જેમ શ્રોતાને પણ તે પદાર્થનો સ્પષ્ટ બોધ થઈ જશે...
બૌદ્ધઃ તો ભલે ને અનવગમ=અસમજણ ન રહે (અર્થાત્, વક્તાની જેમ સ્પષ્ટબોધ થઈ જાય) તેમાં વાંધો શું?
સ્યાદ્વાદી : અરે ! તેમાં તો પ્રતીતિવિરોધ છે, કારણ કે તેવા ગંભીરશાસ્ત્રશ્રવણ વખતે, બધા શ્રોતાને વક્તાની જેમ જ તે દરેક પદાર્થ યથાવસ્થિતપણે સમજાઈ જાય એવી પ્રતીતિ કદી થતી નથી...
૨. દ્રષ્ટટ્ય ૬૬૬તમ પૃષ્ઠમ્ | ૨. ‘છત્પાપાટુન કમ્યુ' તિ ટુ-પd: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org