SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ६८३ अनेकान्तजयपताका (ચતુર્થ: अन्यथा विषयभेदाभावात् तत्तत्स्वभावत्वेन तद्वाचकत्वापत्तेरिति सूक्ष्मधिया भावनीय शब्दानां च प्रधानादिरूपाणां किमित्याह-उपादानभेदात्, अन्यथा-उपादानभेदमन्तरेण विषयभेदाभावात्-अपोह्यापोढाश्रयेतरापोहविषयभेदाभावात् । एनमेव विषयभेदाभावमाह-तत्तत्स्वभावत्वेन तेषां-विवक्षितापोहाभिधायकोपादानस्वभावत्वेन हेतुना तद्वाचकत्वापत्तेः-विवक्षितापोहवाचकत्वापत्तेः, आगत एव मदीयोऽभ्युपगम इति सर्वत्र क्रियायोग इति । एतत् सूक्ष्मधिया भावनीयम्-न ह्यभिन्नाभिधायकोपादानस्वभावानां शब्दानामपोह्यापोढाश्रयेतरापोहवाचकत्वं અનેકાંતરશ્મિ .... જ નથી, એટલે તે વસ્તુમૂલક પણ નથી.. આમ અમારી જેમ, તમારે પણ વસ્તુસંબદ્ધતા - અસંબદ્ધતાને લઈને ઘટપ્રધાનશબ્દનો ભેદ પાડવો જ પડશે... - બંને શબ્દોના ઉપાદાનનો ભેદ (૩૪) (૧) ઘટાદિ શબ્દો, અને (૨) પ્રધાનાદિ શબ્દો - બંને પ્રકારના શબ્દોનું વર્ગણારૂપ ઉપાદાન પણ ભિન્ન-ભિન્ન જ માનવું જોઈએ. (પ્રધાનાદિ શબ્દોનું ઉપાદાન મૃષાભાષાવર્ગણા છે અને ઘટાદિ શબ્દોનું ઉપાદાન સત્યભાષાવર્ગણા છે...) બૌદ્ધ : જો ન માનીએ તો? સ્યાદ્વાદીઃ તો બંને શબ્દનો વિષય, જુદો જુદો સિદ્ધ નહીં થાય.. આશય એ કે, બંને શબ્દના વિષય જુદા જુદા છે : (૧) ઘટાદિ શબ્દો અપોહ્યઅપોઢ એવા ઘટાદિ આશ્રયગત ઘટાપોહાદિને કહે છે, જ્યારે (૨) પ્રધાનાદિ શબ્દો માત્ર પ્રધાનાપોહને કહે છે. (જે અપોહ્યઅપોઢરૂપ આશ્રયગત નથી...) પણ જો બંનેનું ઉપાદાન એક માનવામાં આવે, તો તો ઘટ-પ્રધાનાદિ બંને પ્રકારના શબ્દો એકસ્વભાવી સાબિત થાય અને એટલે તો ઘટશબ્દની જેમ પ્રધાનશબ્દ પણ વિવક્ષિત અપોહનો અભિધાયકસ્વભાવી બનવાથી, તે શબ્દ પણ વિવક્ષિત અપોહનો વાચક બનશે... અર્થાતુ, જેમ (૧) ઘટશબ્દ અપોહ્યઅપોઢગત અપોહનો જ અભિધાયક છે, તેમ (૨) પ્રધાનશબ્દ પણ અપોહ્યઅપોઢગત અપોહનો જ અભિધાયક બનશે ! જે તમને બિલકુલ ઇષ્ટ નથી... આ પદાર્થ ઘણો ગહન છે, સૂક્ષ્મબુદ્ધિથી વિચારવો... ભાવાર્થ : ત્રણ ભુવનની અંદર રહેલા પુરુષોમાંથી (૧) ભિલૂપાસકાદિ કેટલાક પુરુષો દેવપૂજનાદિ સારા કાર્યોમાં પ્રવર્તે છે, જયારે (૨) માછીમારાદિ કેટલાક પુરુષો માછલી પકડવાદિરૂપ ખરાબ કાર્યોમાં પ્રવર્તે છે... હવે આ બંને પુરુષોનું ઉપાદાન જો એક સરખું હોય, તો તેઓની જુદી ઇષ્ટ એટલા માટે નથી, કારણ કે પ્રધાનશબ્દ જો તેના અપોહનો અભિધાયક હોય, તો તે અપોહના આશ્રય તરીકે ઘટાદિની જેમ પ્રધાનનું પણ અસ્તિત્વ માનવું પડે, જે તમારે મતે અસ્વીકૃત છે... ૨. “મેદ્રમાદ' તિ -પ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy