SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट - २ शब्दार्थविचारणाधिकारः दवश्यमन्यत् ज्ञानान्तरं तत्प्रतिपत्तिनिमित्तभूतमुत्पद्यते, यतः सोऽवाप्यत इति शाब्दज्ञानस्य विषयवत्त्वाभाव इति" । (४) तदेतदयुक्तमवगन्तव्यं, विषयवत्त्वाभावासिद्धेः । परोक्षस्य तद्विषयत्वात् । यत्पुनरुक्तं -'नैवार्थेन सह शब्दस्य नान्तरीयकतानिश्चयोऽस्ति, प्रतिबन्धाभावात्, तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेरिति' । तदसमीचीनम् वाच्यवाचकभावलक्षणेन प्रतिबन्धान्तरेण नान्तरीयकतानिश्चयोपपत्तेः । शब्दो हि विवक्षितबाह्यवस्तुवाचकस्वभावतया तन्नान्तरीयकः ततश्च शब्दा નથી-તે વસ્તુનો અભાવ થઈ જતો નથી, પણ તે વસ્તુ ઉપલબ્ધ થાય જ છે. શબ્દની વસ્તુની ઉપલબ્ધિમાં કારણતા નથી, એ તો ઉપરની ચર્ચાથી સિદ્ધ થાય છે, છતાં શબ્દશ્રવણ પછી પ્રવૃત્તિ કરનાર પુરુષને અર્થની ઉપલબ્ધિ પણ થાય છે. માટે માનવું જ પડશે કે ત્યાં તે વસ્તુની ઉપલબ્ધિ જ્ઞાનમાં કારણભૂત જ્ઞાનાન્તર ઉત્પન્ન થાય છે અને તે જ્ઞાનાન્તરથી જ વસ્તુ ઉપલબ્ધ થાય છે. માટે શાબ્દજ્ઞાન વિષયવત્તાના અભાવવાળું=નિર્વિષય હોવાથી પ્રમાણભૂત નથી. - શાદજ્ઞાનની વિષયવત્તાની અને પ્રમાણતાની સિદ્ધિ : (૪) જૈનઃ બૌદ્ધની આ દલીલ યુક્તિયુક્ત નથી, કેમકે “શાબ્દજ્ઞાન વિષયવત્તાના અભાવવાળું છેનિર્વિષય છે” એવું કથન સત્યથી વેગળું છે. કારણ કે પરોક્ષ વસ્તુઓ શાબ્દજ્ઞાનના વિષય છે જ. (બધા જ પરોક્ષ અર્થો માત્ર અનુમાનગમ્ય જ છે તેવો સિદ્ધાંત પ્રમાણસિદ્ધ નથી. પરોક્ષ અર્થોમાં પણ જેટલા પદાર્થો પ્રત્યક્ષ આદિ પ્રમાણસિદ્ધ અર્થ સાથે વ્યાપ્તિ ધરાવતા હોય, અને જેઓના વિના સિદ્ધ અર્થ અન્યથાઅનુપપન્ન બનતો હોય, તેવા જ અર્થો અનુમાનયોગ્ય બને, બાકીના પરોક્ષ અર્થો અનુમાનગણ્ય નથી. વળી, અર્થોની પ્રત્યક્ષતા કે પરોક્ષતા નિશ્ચિત નથી પણ તે તે પ્રમાતાની અપેક્ષાએ તે તે દેશકાળને આશ્રયીને વસ્તુ પ્રત્યક્ષ કે પરોક્ષ બને છે. વળી, સત્ પદાર્થો પ્રત્યક્ષ આદિ સર્વે પ્રમાણોના વિષય બનવા સમર્થ છે. જે વખતે જેવા પ્રકારના પ્રતિભાસનો તે વિષય બને, તેવા પ્રકારના પ્રમાણનો વિષય બને. દા.ત. પર્વત પર રહેલો અગ્નિ ત્યાં રહેલી વ્યક્તિને પ્રત્યક્ષ પ્રમાણનો વિષય બને. દૂર રહેલી માત્ર ધૂમાડાને જોઈ શકતી વ્યક્તિ માટે અનુમાનનો વિષય બને અને આ બેમાંથી એક વ્યક્તિ બોલે કે “પર્વત પર અગ્નિ છે ત્યારે અંધ જેવી વ્યક્તિ કે જેણે અગ્નિ અને ધૂમાડો આ બંનેને જોયા નથી, તેના શાબ્દબોધનો વિષય બને. તેથી વિષયના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે વિભાગ કરી, વિષયના પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ સ્વીકારવા અને શાબ્દપ્રમાણને નિર્વિષય જાહેર કરવું વ્યાજબી નથી.) બૌદ્ધ:- શબ્દનો અર્થ સાથે તાદાત્મ કે તદુત્પત્તિ બેમાંથી એક પણ પ્રકારનો સંબંધ ઘટતો નથી. આમ, સંબંધનાં અભાવમાં શબ્દનો અર્થ સાથે અવિનાભાવનો નિશ્ચય થઈ શકે નહીં અને તેના અભાવમાં શબ્દથી નિશ્ચિત અર્થનો બોધ શી રીતે થશે? સમાધાન :- તાદાભ્ય અને તદુત્પત્તિ આ બે જ સંબંધથી અવિનાભાવનો નિશ્ચય થાય તેવું ક્યાંથી લાવ્યા? શબ્દ અને અર્થ વચ્ચે જે વાચ્યવાચકભાવસંબંધ છે, તે સંબંધથી બંને વચ્ચેના અવિનાભાવની ઉપપત્તિ થઈ શકે છે. ઘટાદિ વાચક શબ્દ તે-તે બાહ્યર્થના વાચક બનવાના સ્વભાવવાળા છે તેથી જ્યારે ઘટ’ વગેરે શબ્દ બોલાય છે, ત્યારે જગતમાં ઘટાદિ તે-તે વસ્તુ હોય જ છે. (વટાદિ બાહ્યર્થનો જો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy