SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) . व्याख्या-विवरण-विवेचनसमन्विता ६४८ अतिप्रसङ्गात् ॥ ____ (३) स्यादेतत् अन्यापोहाभिधायकाः शब्दा इति ततस्तं प्रतिपद्यते, ततश्च दृश्य જ વ્યારહ્યા છે .... तथानिवेदनम्-'अयमसौ यस्त्वयोक्तोऽनलः स आनीतः' इत्यादि । इति-एवं कथञ्चिदभिलाप्यसिद्धिः । अन्यथा-एवमनभ्युपगमे तदनुपपत्तिः-तत्प्रतीत्याद्यनुपपत्तिः । कुत इत्याहअतिप्रसङ्गात् उदकादिवदनलस्यापि तच्छब्देनानभिलाप्यत्वात् । एतदविशेषतस्तत्रापि प्रतीत्याઘાઘરતિપ્રસફર . स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे-अन्यापोहाभिधायकाः शब्दा इति कृत्वा અનેકાંતરશ્મિ ... કહેવાયો હતો, તે લવાયો છે.” પણ હવે જો અગ્નિશબ્દથી અગ્નિવસ્તુ વાચ્ય જ ન બનતી હોય, તો તે માણસના કહેવાથી કોઈપણ વ્યક્તિને પ્રતીતિ-પ્રવૃત્તિ આદિ થઈ શકશે નહીં... તેથી વસ્તુને કથંચિત્ અભિલાપ્ય (=શબ્દવાચ્ય) માનવી જ રહી, નહીંતર ઉપરોક્ત રીતે પ્રતીતિ આદિ અસંગત ઠરશે.. પ્રશ્નઃ “અગ્નિ' શબ્દથી, તે અગ્નિ વાચ્ય ન હોવા છતાં પણ, તેનાથી અગ્નિની પ્રતીતિ આદિ માની લઈએ તો? ઉત્તર : અરે ! તો તો અતિપ્રસંગ એ આવશે કે, અગ્નિશબ્દથી અભિલાપ્ય ન હોવા છતાં પણ, જેમ તમે અગ્નિની પ્રતીતિ આદિ માનો છો, તેમ તેનાથી ઉદકની પ્રતીતિ આદિ પણ માનવી પડશે... (પછી ભલે ને તે ઉદક પણ અગ્નિશબ્દથી અભિલાપ્ય ન બનતો હોય !) પણ તેવું તો કોઈને ઇષ્ટ નથી. તેથી દરેક વસ્તુને તે તે શબ્દોથી વાચ્ય માનવી જ જોઈએ... (૩) હવે બૌદ્ધ પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજુ કરે છે, જેની એકેક વાતોનું આગળ સચોટ નિરાકરણ કરાશે. - વસ્તુની અભિલાપ્યતા અંગે બૌદ્ધકૃત પૂર્વપક્ષ (બૌદ્ધ કહે છે કે, વસ્તુને અભિલાપ્ય ન મનાય, કારણ કે વસ્તુ અભિલાપ્ય ત્યારે બને, કે જ્યારે તે શબ્દથી વાચ્ય બનતી હોય... પણ વસ્તુ તે શબ્દનો વિષય જ નથી, કારણ કે શબ્દનો વિષય “અન્યાપોહ” મનાયો છે. ભાવ એ કે, “અગ્નિ' એવા શબ્દનો વિષય, કોઈ અગ્નિ પદાર્થ નથી, અગ્નિનો અપોહ (=અગ્નિ સિવાયના બધાનો વ્યવચ્છેદ) છે - આવું બૌદ્ધ માને છે, એનું કારણ એ કે, શબ્દના વિષયરૂપે જો વાસ્તવિક પદાર્થ માને, તો શબ્દોને પ્રમાણ માનવા પડે, જે બૌદ્ધને ઇષ્ટ નથી. એટલે જ તેઓ શબ્દનો વિષય વસ્તુ નહીં, પણ અન્યાપોહ કહે છે (અર્થાત્ અગ્નિ નહીં, પણ અનગ્નિનો વ્યવચ્છેદ કહે છે.) આમ વસ્તુ, શબ્દનો વિષય ન હોવાથી, તે અભિલાપ્ય ન બને... આવો બૌદ્ધનો ગર્ભિત આશય છે. એ આશય સિદ્ધ કરવા જ, બૌદ્ધ પોતાની માન્યતા પૂર્વપક્ષરૂપે રજુ કરે છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy