________________
७९५ अनेकान्तजयपताका
(ચતુર્થ: इति तदङ्गत्वेऽपि नार्थतादात्म्यमस्य, न च न तदभावेऽपि स्पर्शनेन अर्थग्रहः, तथाप्रतीतेः, न चैवं शब्दाननुविद्धन बोधेन तद्ग्रहस्तत एव हेतोरिति शब्दार्थयोस्तादात्म्यसिद्धिः, नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनात्' इत्याद्यप्युपन्यासमात्रफलमेव, अभीष्टफलविकलत्वात् । अत्र हि बोधा( ङ्गा)र्थयोस्तादात्म्यप्रतिषेधो बोधमात्रेण चार्थाग्रहः, चाक्षुषस्य चार्थस्य स्पर्शनेन ग्रह इत्यैदम्पर्यम् । (१४०) एतच्च सर्वमपि सूक्ष्मेक्षिकया निरूप्यमाणं
- ચહ્યા છે मालोकाद्यनुविद्धोऽवबोध इति तदङ्गत्वेऽपि नार्थतादात्म्यमस्येत्यादि पूर्वपक्षवचनं यावत् नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनादित्याद्यपि किमित्याह-उपन्यासमात्रफलमेव । कुत इत्याहअभीष्टफलविकलत्वात् । एतदेवोपदर्शयति अत्र हीत्यादिना । अत्र यस्माद् बोधा( ङ्गा)र्थयोस्तादात्म्यप्रतिषेधः । तथा बोधमात्रेण चार्थाग्रहः । तथा चाक्षुषस्य चार्थस्य स्पर्शनेन ग्रह इत्यैदम्पर्यं वर्तते । एतच्च सर्वमपि सूक्ष्मेक्षिकया निरूप्यमाणं सत् किमित्याह-न भवदिष्टै
- અનેકાંતરશ્મિ - અચલાદિનો (પર્વતાદિ પદાર્થનો) અનુવેધ અલૌકિક જ ગણાય... ભાવ એ કે, તમે જ્ઞાનમાં શબ્દાનુવેધ માનો છો અને એટલે શબ્દ સાથે સૂક્ષ્મ પર્વતાદિ પદાર્થનો અનુવેધ પણ માનવો પડે.. પણ એ રીતે જ્ઞાનમાં સૂક્ષ્મ પર્વત કદી હોતો નથી.
- બોધમાં આલોકાનુવેધનું આપાદન પણ તદવસ્થ (૧૩૯) આવું હોવાથી, પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે – “બોધ શબ્દાનુવિદ્ધની જેમ આલોકાનુવિદ્ધ નથી, કારણ કે બોધનું કારણ આલોક હોવા છતાં પણ, આલોકનું બોધ સાથે તાદાભ્ય નથી... પણ તેનું કારણ ? (આલોકના અસ્તિત્વ જ પદાર્થબોધ થાય છે. તો શબ્દના અસ્તિત્વે જ બોધ થતો હોવાથી જેમ તમે શબ્દતાદાભ્ય માનો છો, તેમ આલોકતાદાભ્ય પણ કેમ માનતા નથી?) જુઓ ભાઈ, આલોક વિના પણ સ્પર્શેન્દ્રિયથી તે પદાર્થનું ગ્રહણ શક્ય જ છે, કારણ કે તેવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે... જયારે શબ્દના અનુવેધ વિના તો પદાર્થનું ગ્રહણ થતું જ નથી, કારણ કે શબ્દાનુવેધપૂર્વક જ પદાર્થપ્રતીતિ અનુભવાય છે... એટલે શબ્દ-અર્થનું તાદાભ્ય સિદ્ધ થાય છે, કારણ કે જ્ઞાનમાં જેમ નીલનો પ્રતિભાસ થાય છે, તેમ શબ્દનો પ્રતિભાસ પણ થાય છે... વગેરે” - તે બધું કથન પણ માત્ર ઉપન્યાસ પૂરતાં જ ફળવાળું છે, એટલે તેનાથી કોઈ વિશેષતત્ત્વની સિદ્ધિ ન થાય, કારણ કે તે કથન અભીષ્ટ=ઈચ્છિત ફલથી શૂન્ય છે. તે આ રીતે –
પૂર્વપક્ષીકૃત પ્રલાપની ઇષ્ટફલશૂન્યતા * તમારા ઉપરોક્ત સંપૂર્ણ કથનનો સાર આ નીકળે છે - (૧) અર્થ અને બોધના અંગભૂત આલોકનું તાદાભ્ય નથી...
(૨) માત્ર બોધથી જ અર્થગ્રહણ થતું નથી... (પણ શબ્દાનુવિદ્ધ બોધથી જ અર્થગ્રહણ થાય છે...)
(૩) આલોક વિના પણ ચાક્ષુષ (=ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત) અર્થનું સ્પર્શથી ગ્રહણ થાય છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org