________________
– સાકર કેવી ? તો કહી શકાય કે “મધુર', પણ મધુરતા કેવી? તો તે વિશે કંઈ કહી શકાતું નથી. – તીર્થકરની અપ્રતીમ સમૃદ્ધિનું અમુક શબ્દોથી વર્ણન કર્યા પછી છેવટે તો કહેવું જ પડે કે “તદઈ નૈવ
શ ..”
પૂજ્ય ગ્રંથકારશ્રીએ આ અધિકારમાં એકાંત અનભિલાષ્યવાદી બૌદ્ધ વગેરેની અને એકાંત અભિલાષ્યવાદી ભર્તુહરિ વગેરેની એકાંત કુમાન્યતાઓનો સચોટ તર્કોથી નિરાસ કરીને અભિલાખઅનભિલાષ્યવાદને સુવિશદ શૈલીથી રજૂ કર્યો છે.
તેના અધ્યયન-અધ્યાપન દ્વારા માર્ગસ્થ ક્ષયોપશમ ઉવલ બનાવીએ, જિનવચન પરની શ્રદ્ધા અવિચલ બનાવીએ, પરંપરાએ મુક્તિસુખને પામીએ એ જ શુભાભિલાષા..
આ અધિકારમાં કયા પદાર્થો મહત્ત્વપૂર્ણ છે? તેનો ઉલ્લેખ અમે “રસાસ્વાદ' નામના એક સ્વતંત્ર નિબંધમાં કર્યો છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ.
આ અધિકારની જ શબ્દ-અપોહવાદની કેટલીક ચર્ચાઓ, પૂ. આ. ભ. શ્રી મલયગિરિસૂરિ મ. સા.એ નંદીસૂત્રની અને ધર્મસંગ્રહણીની ટીકામાં લીધેલ છે.. તે બંનેની ટીકા પણ અમે ફૂટનોટમાં અને પરિશિષ્ટમાં આપેલ છે. ધર્મસંગ્રહણીવૃત્તિ પરનો પ. પૂ. આ. ભ. શ્રી વિ. અજિતશેખરસૂરિ મ. સા.નો ભાવાનુવાદ પણ સાથે પરિશિષ્ટમાં સંપાદિત કરેલ છે, તેને પણ જિજ્ઞાસુઓ ઉપયોગમાં લઈ શકે..
પ્રાંતે,
ગુરુભગવંત - સંશોધક - સહવર્તી - સહાયકોની કૃપાથી, આ અધિકાર પરનું ગુજરાતી વિવેચન તૈયાર થયું છે.. અજ્ઞાનતાવશાત્ મારાથી જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈપણ લખાયું હોય, તો તેનું સાÁહદયે મિચ્છા મિ દુક્કડમ્ ..
વિવેચક
પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણરત્ન-મ૨નસૂરિચરણલવ
મુનિ યા૨વિજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org