________________
→ એકાંત અભિલાપ્ય-અનભિલાપ્ય માનવામાં દોષ શું ? આ બધી બાબતોનું સુવિશદ નિરૂપણ છે..
→ ‘કડવું કહેવું’ એ જૈનસિદ્ધાંત નથી..
→ ‘માત્ર સાચું કહેવું' એ પણ જૈનસિદ્ધાંત નથી..
→ ‘હિત-મિત ને પથ્ય કહેવું’ એ જૈનસિદ્ધાંત છે..
અર્થાત્ બધું બોલવું એવું નહીં, પણ ઉચિત સ્થળે ઉચિત શબ્દોથી ઉચિત રીતે ઉચિત વ્યક્તિને શાસ્રસાપેક્ષ રીતે કહેવું એવું હોવું જોઈએ..
આને જ અભિલાપ્ય-અનભિલાપ્ય કહેવાય.. અમુક શબ્દોથી અભિલાપ્ય પણ વસ્તુ, શબ્દાંતરથી અનભિલાપ્ય હોય છે.. અમુક અવસ્થામાં અભિલાપ્ય પણ વાત, અન્ય અવસ્થામાં અનભિલાપ્ય હોય છે.
આ વિષયમાં સાવદ્યાચાર્યનું સર્વશ્રેષ્ઠ દૃષ્ટાંત છે..
સાવઘાચાર્ય, જેમનું પૂર્વનામ હતું કમલપ્રભાચાર્ય.. ખૂબ જ શાસનપ્રભાવક અને ગીતાર્થ - સંવિગ્ન આચાર્ય હતા એ ! એક વાર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પાર્શ્વસ્થભાવિત ક્ષેત્રમાં જવાનું થયું.. ત્યાં ચૈત્યવાસી-શિથિલાચારી સાધુઓનું ખૂબ જોર હતું..
બધા લોકોએ અને તે સાધુઓએ, પૂ. કમલપ્રભાચાર્યને આદરપૂર્વક વિનંતી કરી કે ‘જિનાલય વિશે ફ૨માવો..'
પણ શાસનપ્રભાવક કમલપ્રભાચાર્ય અનેકાંતમય જિનશાસનને વરેલા હતા.. તેઓશ્રીએ વિચાર્યું કે - ‘જિનાલય વિશે કહેવામાં કોઈ વાંધો નથી, પણ આ ક્ષેત્રમાં કહેવાથી, ચૈત્યવાસીઓના મિથ્યામતનું પોષણ થશે.. એટલે અભિલાપ્ય પણ વાત અહીં અનભિલાપ્ય છે..’
અને પછી સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું : ‘જો કે આ વાત જિનાલય વિશે છે, તો પણ આ સાવઘ છે, એટલે હું એક શબ્દ પણ અહીં બોલીશ નહીં.' આ પ્રમાણે યથાર્થ - નિઃશંક - અવિપરીત કહેવા દ્વારા, તેમના વડે જિનનામકર્મનું ઉપાર્જન કરાયું !
અભિલાપ્ય-અનભિલાખનો સંદેશ સ્પષ્ટ છે..
ખરેખર અનેકાંતથી વચન-ઔચિત્ય, વ્યવહાર-ઔચિત્ય, વ્યવસ્થા-ઔચિત્ય વગેરે અનેક પ્રકારનું ઔચિત્ય શીખવા મળે છે.. (ક્યાં બોલવું ? કેવું બોલવું ? કેવી રીતે બોલવું ? એ બધું અનેકાંતને પામેલો જ વિચારી શકે..)
આ અભિલાપ્ય-અનભિલાપ્યરૂપેનો અનેકાંત, વ્યવહારમાં પણ અત્યંત ભળેલો છે.. → ઘટ શબ્દથી અભિલાપ્ય પણ ઘડો, ‘કપડાં’ શબ્દથી અનભિલાપ્ય હોય છે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org