________________
अनेकान्तजयपताका
( ચતુર્થ:
जनकत्वत: सामग्रीजनकत्वेन तद्भेदत एव तद्भेदः, सामग्र्ययोगात्, समग्रेभ्यस्तद्भेदाभेदविकल्पासिद्धेः । न च तत्सिद्धावपि तद्भेदः समालोच्यमानो घटते, एकसमग्राणाम
*બાબા..
जनयति वस्तु तेनैव सुखादि । कुत इत्याह- तदभेदापत्तेः-अनन्तरक्षणसुखाद्यभेदापत्तेः । आपत्तिश्च सर्वथा हेत्वभेदात् । न चैकाजनकत्वतः कारणात् सामग्रीजनकत्वेन हेतुना तद्भेदत एव-सामग्रीभेदत एव तद्भेदः - अनन्तरक्षणसुखादिभेदः । कुतो नेत्याह - सामग्र्ययोगात् । अयोगश्च समग्रेभ्यः सकाशादालोकादिभ्यः तद्भेदाभेदविकल्पासिद्धेः, तस्याः - सामग्र्याः भेदाभेदविकल्पाभ्यामसिद्धेः । प्रकटमेतत् । न च तत्सिद्धावपि सामग्रीसिद्धावपि तद्भेदःसामग्रीभेदः समालोच्यमानो घटते । कथं न घटत इत्याह-एकसमग्राणाम्-अनन्तरक्षणस* અનેકાંતરશ્મિ
७४९
–
.
આ હેતુથી પણ પદાર્થની એકાનેકસ્વભાવતા અવિરુદ્ધ છે...
બૌદ્ધ : પણ શું તે, એક જ સ્વભાવથી અનેકને ઉત્પન્ન ન કરે ?
ન
સ્યાદ્વાદી : ના, કારણ કે તે જે સ્વભાવે અનંતરક્ષણને ઉત્પન્ન કરે, તે જ સ્વભાવે સુખાદિને ઉત્પન્ન કરે - એવું માનો, તો તો (૧) અનંતરક્ષણ, અને (૨) સુખાદિ બંનેનો અભેદ થઈ જશે, કારણ કે બંનેના હેતુના સંપૂર્ણપણે અભેદ છે... (એટલે એકસ્વભાવથી જ તેઓ જન્ય હોઈ તે બેમાં કોઈ જ ફેર ન રહે...)
તેથી તેઓની ઉત્પત્તિ, વસ્તુના જુદા જુદા સ્વભાવે જ માનવી જોઈએ...
બૌદ્ધ : (ઉ૫૨ હેતુના અભેદથી ક્ષણ-સુખના અભેદની આપત્તિ આપી, તેનો ઉત્તર અમે આપીએ છીએ કે -) એક સ્વભાવ, જનક નથી. પણ સામગ્રી, જનક છે. એટલે સામગ્રીના ભેદથી ક્ષણ-સુખનો ભેદ છે જ...
સ્યાદ્વાદી : પણ આવું માની શકાય નહીં, કારણ કે પહેલી વાત તો એ જ કે ‘સામગ્રી’ જેવું કોઈ તત્ત્વ જ ઘટતું નથી. તે આ રીતે → તે સામગ્રી આલોકાદિ સમગ્ર પદાર્થોથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) ભિન્ન તો ન મનાય, કારણ કે તમે ‘સામગ્રી’નું જુદું અસ્તિત્વ નથી માન્યું. (જેમ અવયવીનું નથી માન્યું તેમ...) અને (૨) જો અભિન્ન કહેશો, તો તો તે સામગ્રી સમગ્રરૂપ જ બનશે, તે સિવાય તેનું જુદું અસ્તિત્વ સિદ્ધ નહીં થાય ← આમ, સામગ્રીનું અસ્તિત્વ, ભેદાભેદ વિકલ્પોથી અસિદ્ધ હોવાથી, તેના ભેદે કાર્યનો ભેદ ઘટી શકે નહીં...
તમે કદાચ સામગ્રીની સિદ્ધિ કરી લેશો, તો પણ સામગ્રીનો ભેદ તો વિચારતાં ઘટતો જ નથી. (અર્થાત્ ‘જુદી જુદી સામગ્રીઓ છે’ - એ વાત ઘટતી નથી...) કારણ કે જે સમગ્રો (=સામગ્રી અંતર્ગત પદાર્થો) એકને (=સ્વઅનંતર ક્ષણને) ઉત્પન્ન કરે, તે સમગ્રો અન્યને (=નીલાનંતરક્ષણ + સુખાદિને) ઉત્પન્ન કરે એવું તો ન બંને.
* અહીં પ્રશ્ન એ થાય કે - એક સમગ્રો બીજાના જનક ન બને, તો તેનાથી તો સામગ્રીભેદ સિદ્ધ થાય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org