________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
भासतया सन्नेव इति चेत्, तच्चित्रतापत्तिः । न तत्त्वत इति चेत्, सन्नित्यपार्थक उपन्यासः । तच्चित्रतायामपि को दोष इति चेत्, न कश्चिदपि, बाह्यस्यापि तद्भावाविरोध इत्येवं च अलमनेन तत्प्रतिक्षेपासदभिनिवेशेन बाह्य एवेदमस्तु तथालोकप्रतीतेः । ( ९२ ) तथा
*વ્યાબા
प्रतिभासो भेदको नाम ? तत्प्रतिभासतया - बुद्धिप्रतिभासतया सन्नेव इति चेत् प्रतिभास: । एतदाशङ्क्याह- तच्चित्रतापत्तिः, तस्याः - बुद्धेश्चित्रतापत्तिः, न तत्त्वतः तच्चित्रता । इति चेत्, एतदाशङ्क्याह-सन्नित्यपार्थक उपन्यासः । तत्प्रतिभासतया सन्नेवेत्ययम् । तच्चित्रतायामपिबुद्धिचित्रतायामपि को दोष: ? इति चेत्, एतदाशङ्क्याह - न कश्चिदपि तु बाह्यस्यापि - नीलोत्पलादेः तद्भावाविरोधः - चित्रभावाविरोध इत्येवं च कृत्वा अलमनेन तत्प्रतिक्षेपासदभिनिवेशेन-बाह्यप्रतिक्षेपासदभिनिवेशेन । बाह्य एवेदमस्तु सामानाधिकरण्यादि । कुत ... અનેકાંતરશ્મિ .
*
७४४ ->
પ્રતિભાસ ભેદક શી રીતે બને ? (આશય એ કે, બંને બુદ્ધિગત સ્વસંવિત્તિના ભેદ માટે તમે આકારભેદ કહ્યો. પણ આકાર જેવી કોઈ વાસ્તવિક વસ્તુ જ નથી, તો પછી તેનાથી વિપક્ષબુદ્ધિગત સ્વસંવત્તિને જુદી શી રીતે તારવી શકાય ?)
બૌદ્ધ : તે આકાર સર્વથા અસત્ નથી, પણ બુદ્ધિપ્રતિભાસરૂપે તો તે સત્ જ છે, બાકી તો ખપુષ્પની જેમ તે આકાર પણ બુદ્ધિમાં ન ભાસત... (આમ પ્રતિભાસરૂપે તો તે આકાર સત્ હોવાથી, તેના દ્વારા વિપક્ષબુદ્ધિગત સ્વસંવિત્તિનો ભેદ યોગ્ય જ છે...)
ઃ
સ્યાદ્વાદી : અરે ! તો તો તે બુદ્ધિને ચિત્રરૂપ=અનેકસ્વભાવી માનવાનો પ્રસંગ આવશે, કારણ કે તેમાં ભાસિત થતાં આકારને તમે (૧) બાહ્યરૂપે અસત્, અને (૨) પ્રતિભાસરૂપે સત્ – એમ સદસદ્પ માનો છો...
-
બૌદ્ધ : પણ પરમાર્થથી તે ચિત્રરૂપ=અનેકસ્વભાવવાળી નથી (કારણ કે પરમાર્થથી તો તે બુદ્ધિ અસત્ જ છે...)
સ્યાદ્વાદી : તો તો તે બુદ્ધિમાં ભાસતો આકાર પ્રતિભાસરૂપે સત્ છે - એમ સરૂપે કરાતો ઉપન્યાસ, પરમાર્થથી તો નિરર્થક જ સાબિત થશે... (કારણ કે જો તે અસત્ હોય તો તેનો સરૂપે ઉપન્યાસ કરવો વ્યર્થ છે...)
બૌદ્ધ : એવું હોય, તો બુદ્ધિને અમે ચિત્રસ્વભાવી માની લઈશું, વાંધો શું ?
સ્યાદ્વાદી : તો તો કોઈ જ વાંધો નથી, પણ તેની જેમ, બાહ્યાર્થ પણ ચિત્રરૂપ હોવામાં કોઈ વિરોધ નહીં રહે, અર્થાત્ બાહ્યાર્થમાં પણ ચિત્રતા=અનેકધર્મકતા અવિરોધપણે ઘટશે ! તો પછી બાહ્યાર્થનો પ્રતિક્ષેપ કરવાનો, ખોટો અભિનિવેશ (=કદાગ્રહ) શા માટે રાખો છો ? ઉપરથી તો આ બાહ્યાર્થમાં જ સમાનાધિકણતા માની લો ને ! (એટલે કે બાહ્ય પદાર્થ અનેકધર્મક છે, તેના જુદા-જુદા ધર્મોને લઈને પ્રવર્તતા, ભિન્નફલવાળા નીલ-ઉત્પલ-શબ્દ એક જ વસ્તુને વિષય કરે છે... આમ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org