________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
७३८
भावस्यालीकत्वात्, यतश्च भेदान्तराप्रतिक्षेपेणोत्पलशब्दो वर्तते, ततोऽप्रतिक्षिप्तभेदान्तरापेक्षित्वाद् बुद्धर्भवति विशेषणविशेष्यभावः, उत्पलं किं नीलमिति । (८६) एतदप्यसत्,
- થોરડ્યા - विकल्पनिर्मितस्य धर्मधर्मिभावस्य अलीकत्वात् । यतश्चेत्यादि । यतश्च भेदान्तराप्रतिक्षेपेण-अनीलव्यवच्छेदाप्रतिक्षेपेण उत्पलशब्दो वर्तते, ततोऽप्रतिक्षिप्तभेदान्तरापेक्षित्वात् कारणाद् बुद्धर्भवति विशेषणविशेष्यभावः । कथमित्याह-उत्पलं किं नीलमिति व्यवच्छेद्यं विशेष्यं व्यवच्छेदकं विशेषणमिति कृत्वा । एवं पूर्वपक्षमाशङ्क्याह-एतदप्यसत्-अशोभनम् ।
... અનેકાંતરશ્મિ .. જુદા ધર્મો માન્યા: (૧) અનીલવ્યવચ્છેદ, અને (૨) અનુત્પલવ્યવચ્છેદ.. અને આ રીતે તો તમે, એક ધર્મીને અનેક ધર્મવાળો જ માન્યો ને ?).
નિરાસઃ જુઓ ભાઈ, તે ધર્મ-ધર્મભાવ તો માત્ર કલ્પનાથી ઉભો કરેલ છે, એટલે ખરેખર તો તે અલીક=મિથ્યા છે, અર્થાત્ તેવો ધર્મ-ધર્માભાવ છે જ નહીં. તો એક જ ધર્મીને અનેકધર્મ માનવાનો પ્રસંગ અમને શી રીતે આવે?
(૩) વિશેષ્ય-વિશેષણભાવઃ કોઈ કહે કે “ઉત્પલ લાવ’ તો તો ઉત્પલશબ્દ માત્ર અનુત્પલનો જ વ્યવચ્છેદ કરે, અનીલનો નહીં... એટલે વ્યક્તિને માત્ર અનુત્પલથી વ્યાવૃત્ત એવાં ઉત્પલ લાવવાનો જ બોધ થાય... પણ ઉત્પલ તો લાલાદિ ઘણા રંગનાં છે, તો તેમાંથી કયું ઉત્પલ લાવવું – એનો નિર્ણય નહીં થાય, એટલે અનીલના વ્યવરચ્છેદ માટે બીજા પણ કોઈ શબ્દની અપેક્ષા રહે... તો વક્તા કહેશે કે – “નીલ લાવ” તો તે વ્યક્તિ, તે નીલશબ્દથી લાલાદિ રંગવાળા ઉત્પલનો વ્યવચ્છેદ કરી નીલ ઉત્પલ લાવશે - અહીં ઉત્પલ વ્યવચ્છેદ્ય છે કારણ કે ઉત્પલો તો ઘણાં છે, તેમાં અમુક જ જોઈએ છે, બાકીના ઉત્પલોની બાદબાકી કરવાની છે.) અને નીલ વ્યવચ્છેદક છે કારણ કે રક્તાદિ રંગવાળા ઉત્પલનો વ્યવચ્છેદ કરે છે...)
જે વ્યવચ્છેદ્ય હોય તે વિશેષ્ય બને અને જે વ્યવચ્છેદક હોય તે વિશેષણ બને, એટલે ઉત્પલ વિશેષ્ય અને નીલ વિશેષણ... આમ બંનેનો વિશેષ્ય-વિશેષણભાવ પણ ઘટી જશે...
નિષ્કર્ષ આમ, શબ્દનો વિષય અપોહ માનવામાં, ભિન્નફલતા-સમાનાધિકરણતા વગેરે બધું ઘટી જવાથી, કોઈ દોષ રહેતો નથી... (અને શબ્દનો વિષય વસ્તુ માનવામાં પુષ્કળ દોષો આવે છે... એટલે વસ્તુને અભિલાપ્ય માનવી બિલકુલ યોગ્ય નથી....)
(આ પ્રમાણે બૌદ્ધ, પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજુ કર્યો... હવે ગ્રંથકારશ્રી પોતાના મતની નિર્દોષતા અને અપોહપક્ષની દોષિતતા બતાવવા, સચોટ યુક્તિઓ ઉપન્યાસ કરે છે... આ ઉત્તરપક્ષ પણ વિસ્તૃત છે...)
- બૌદ્ધકૃત પ્રલાપનો નિરાસ – ઉત્તરપક્ષ ને (૮૬) સ્યાદ્વાદીઃ તમારું આ કથન પણ અસત્ છે, કારણ કે શબ્દના વિષયભૂત વિકલ્પબુદ્ધિ
૨. ‘વ્યવછેટાનુપ્રતિ' કૃતિ ટુ-પાટ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org