SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ७३३ अनेकान्तजयपताका (વાર્થ: विकल्पानुपपत्तेः । तथाहि-नीलोत्पलशब्दयोः एकं वा वस्तुवाच्यं स्यात्, अनेकं वा । आद्यपक्षे एकेनैव शब्देन निरंशस्य वस्तुनः सर्वात्मनाऽभिधानात्, द्वितीयस्य शब्दस्याप्रवृत्तिरभिधेयाभावात्, प्रवृत्तौ वा पर्यायतेति ने नानाफलत्वम् ॥ (८१) द्वितीयपक्षे त्वेकाधारताभावः घटपटादिशब्दवत्, नानाविषयत्वात् । अथ - ચાડ્યા . तथाहीत्यादि । तथाहीत्युपप्रदर्शने । नीलोत्पलशब्दयोरेकं वा वस्तुवाच्यं स्यादनेकं वा । किञ्चात: ? उभयथाऽपि दोषः । आद्यपक्षे एकं वस्तु वाच्यमित्यस्मिन् एकेनैव शब्देननीलादिना निरंशस्य वस्तुनः सर्वात्मनाऽभिधानात् कारणाद् द्वितीयस्य शब्दस्य-उत्पलादेः अप्रवृत्तिरभिधेयाभावात्, प्रवृत्तौ वा तत्रैवाभिधेये पर्यायताऽनयोः इति-एवं न नानाफलत्वम् ॥ द्वितीयपक्षे पुन:-अनेकं वस्तुवाच्यमित्यस्मिन्नेकाधारताभावः घटपटादिशब्दवन्ना ... અનેકાંતરશ્મિ.... પ્રશ્ન : પણ કારણ ? ઉત્તર : કારણ એ કે આ વિશે વિકલ્પો ઘટતાં નથી. તે આ પ્રમાણે – (નીલોત્પલ એટલે નીલકમળ... આ વિશે બૌદ્ધ વિકલ્પ કરે છે કે, નીલ અને ઉત્પલ એ બંને શબ્દોથી વાચ્ય (૧) એક જ વસ્તુ છે, કે (૨) અનેક વસ્તુ ? - આ બંને વિકલ્પો પ્રમાણે દોષ આવે છે... (૧) જો બંને શબ્દોથી વાચ્ય વસ્તુ એક જ કહેશો, તો તો નીલ કે ઉત્પલ બેમાંથી કોઈ એકધારો કે નીલ) શબ્દથી જ, તે નિરંશ વસ્તુનું સંપૂર્ણપણે કથન થઈ જશે ! અને તે સિવાય બીજો કોઈ જ અભિધેય ન રહેવાથી, ઉત્પલશબ્દની તો તે વિશે પ્રવૃત્તિ જ નહીં થાય.. આશય એ કે, વસ્તુ એક જ છે અને તે પણ પાછી નિરંશ છે (એટલે તે વસ્તુના અનેક અંશો પણ નથી, કે જેથી જુદા જુદા અંશોને લઈને જુદા જુદા શબ્દોની પ્રવૃત્તિ સાર્થક થાય...) એટલે તે સંપૂર્ણ વસ્તુનું કથન નીલશબ્દથી જ થઈ જશે... અને તે સિવાય બીજી કોઈ વસ્તુ તો તમે માનતાં નથી, એટલે તો ઉત્પલશબ્દની પ્રવૃત્તિ જ નહીં થાય... (કારણ કે ઉત્પલશબ્દથી જે વસ્તુનું કથન કરવાનું છે, તે વસ્તુનું કથન તો નીલશબ્દથી જ થઈ ગયું...) પ્રશ્ન : તે સંપૂર્ણ વસ્તુનું કથન, નીલશબ્દથી થવા છતાં પણ, ઉત્પલશબ્દની તે વિશે પ્રવૃત્તિ માનીએ તો? ઉત્તરઃ તો તો ઘટ-કુંભની જેમ બંને શબ્દો પર્યાયવાચી જ સિદ્ધ થશે, કારણ કે તે બંને શબ્દો એક જ વસ્તુનું એક જ રીતે પ્રતિપાદન કરે છે... એટલે તો તે બંને શબ્દોમાં જુદા જુદા વિષયને જણાવવારૂપ) ભિન્ન-ભિન્નફલતા પણ નહીં રહે, કારણ કે બંને એક જ વસ્તુનું સમાનપણે કથન કરે છે... (૮૧) (૨) જો બંને શબ્દોથી વાચ્ય વસ્તુ અનેક માનશો, અર્થાત્ બંને શબ્દોથી જુદી જુદી ૨. પૂર્વમુદ્રિતે તુ ‘પર્યાયનેતિ નાના' રૂત્યશુદ્ધપટિ:, સત્ર 7 D-પ્રતાનુસારે શુદ્ધિઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy