________________
મધર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
७३२
नियोगसमये नियोगादिति । एवं व्यवहारानुपयोगादिति यत्किञ्चिदेतत्, इत्थमेव व्यवहारोपपत्तेः, अन्यथोक्तवदयोगात् । (૮૦) આદિ-વસ્તુવિષયત્વે શબ્દાનાં નામના ધરખ્યારિવ્યવહાર માવા, વ્યાહ્યા
, परिणामवति भावे प्रवृत्त्यविरोधात् । अविरोधश्च एवम्भूता भावा एतच्छब्दवाच्याः-घटादिशब्दवाच्या इति-एवं नियोगसमये-सङ्केतसमये नियोगादिति । एवं व्यवहारानुपयोगादिति यत्किञ्चिदेतत्-पूर्वपक्षवचनम् । कुत इत्याह-इत्थमेव-तादृशि नियोगे व्यवहारोपपत्तेः, प्रक्रमात् शब्दार्थव्यवहारोपपत्तेः, अन्यथोक्तवदयोगाद् व्यवहारस्य । आह परः-वस्तुविषयत्वे शब्दानामभ्युपगम्यमाने । किमित्याह-सामानाधिकरण्यादिव्यवहाराभावः । 'आदि'शब्दाद् विशेषणविशेष्यभावपरिग्रहः । कथमभाव इत्याह-विकल्पानुपपत्तेः । एनामेव दर्शयन्नाह
- અનેકાંતરશ્મિ . બૌદ્ધ પણ જે ઘટમાં સંકેત કરાયો હોય, તે સિવાયના ઘટમાં તો ઘટશબ્દથી પ્રવૃત્તિ નહીં થાય ને ? (અને એટલે તમારા મતે પણ સંકેત નિષ્ફળ જ થશે ને ?)
સ્યાદાદી : એક વાત ફરી સાંભળી લો - અમે માત્ર ઘટસ્વલક્ષણમાં જ સંકેત નથી કરતાં, પણ સમાનપરિણામવાળા ઘટમાં સંકેત કરીએ છીએ. એટલે ઘટશબ્દથી માત્ર તે જ ઘટ નહીં, પણ સમાનપરિણામવાળા બીજા પણ ઘટો વાચ્ય બનશે. ફલતઃ “ઘટ’ શબ્દથી સમાનપરિણામવાળા દરેક ઘડાઓ વિશે અવિરોધપણે પ્રવૃત્તિ થશે, કારણ કે સંકેત સમયે જ આવો સંકેત કર્યો હતો કે –
આવા-આવા આકારવાળા જે પણ પદાર્થો હોય, તે બધા પદાર્થોને “ઘટ’ શબ્દથી કહેવો” – અને આવા સંકેતથી તો, સંકેતિત ઘટ સિવાયના બીજા ઘટો વિશે પણ ઘટશબ્દથી પ્રવૃત્તિ થવી ઉચિત જ છે.
એટલે તમે જે કહ્યું હતું કે - “વસ્તુ તો અનંતી હોવાથી તેમાં સંકેત અશક્ય થતાં, એકાદમાં કરાયેલો સંકેત તે વ્યવહારમાં ઉપયોગી ન બને” - તે વાત પણ અસાર છે, કારણ કે આ રીતે સમાનપરિણામવાળા પદાર્થમાં સંકેત કરવાથી, શબ્દ અર્થનો વ્યવહાર સંગત જ છે... અને કારણ એ કે તેનાથી તો ઘટશબ્દથી માત્ર સંકેતકાલદંષ્ટ ઘટ વિશે જ નહીં, પરંતુ બીજા પણ સમાનપરિણામવાળા ઘટ વિશે પ્રવૃત્તિ થશે... આમ, સંકેત વ્યવહારમાં પણ ઉપયોગી બનશે જ...
આ રીતે સમાનપરિણામમાં સંકેત માનવાથી જ વ્યવહાર ઘટી શકે, સ્વલક્ષણમાં કે વિકલ્પરૂપ અપોહમાં સંકેત માનવાથી નહીં.
(હવે બૌદ્ધ, શબ્દના વાચ્ય તરીકે વસ્તુને માનવામાં દોષ અને અપોહને માનવામાં ગુણ બતાવવા, પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કરે છે –).
* શબ્દવાટ્યવસ્તુવાદીમતે દોષપરંપરા - પૂર્વપક્ષ - (૮૦) બૌદ્ધઃ શબ્દને જો વસ્તુવિષયક માનશો (અપોહવિષયક નહીં માનો) તો (૧) સામાનાધિકરણ્ય, અને (૨) વિશેષણ-વિશેષ્યભાવરૂપ વ્યવહારનો અભાવ થઈ જશે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org