SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મધક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ७३० सर्वथाऽसतः प्रतिभासनायोगात्, वियत्केशादिबुद्धेरपि सदालम्बनत्वात् तथाविधतिमिररेण्वादिभावत उत्पत्तेः अन्धतमसेऽभावादिति वक्ष्यामः । (७९) एवमपि तुल्य ચાડ્યા છે स्वलक्षणाकारस्यापि प्रतिक्षेपापत्तेः । सविषयोऽयं स तु निर्विषय इत्याशङ्कापोहायाह-तन्निविषयत्वासिद्धेः । असिद्धिश्च प्रमाणाभावात् निविषयः अयमिति नात्र प्रत्यक्षं नानुमानमिति परिभावनीयम् । सर्वथाऽसत:-पदार्थस्य प्रतिभासनायोगात् वियत्केशादिबुद्धया व्यभिचार इति विभ्रमापोहायाह-वियत्केशादिबुद्धेरपि, ‘आदि'शब्दाद् द्विचन्द्रादिबुद्धिग्रहः, सदालम्बनत्वात् । सदालम्बनत्वं च तथाविधतिमिररेण्वादिभावत उत्पत्तेः कारणात् । इत्थं चैतदङ्गी અનેકાંતરશ્મિ .... સંવેદિત આકારનો પણ અપલાપ કરો, તો સ્વલક્ષણાકારનો પણ અપલાપ કરવાની આપત્તિ આવે ! પછી ભલે ને તે આકાર પણ બુદ્ધિમાં સ્પષ્ટપણે સંવેદિત હોય... (૭૮) બૌદ્ધ : તમે જરા બંને આકારનો તફાવત વિચારો – (૧) બુદ્ધિમાં સંવેદિત સ્વલક્ષણાકાર તો સવિષયક છે, કારણ કે તે આકારના સ્વલક્ષણરૂપ વિષયનું નિબંધ અસ્તિત્વ છે, જ્યારે (૨) બુદ્ધિમાં સંવેદિત સામાન્યાકાર તો નિર્વિષયક છે, કારણ કે તે આકારનાં સામાન્યરૂપ વિષયનું ખરેખર તો અસ્તિત્વ જ નથી... સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે “સામાન્યાકાર નિર્વિષયક (=વિષયરહિત) છે” – એ વાતમાં કોઈ પ્રમાણ નથી. તે આ રીતે - (૧) “આ નિર્વિષયક છે' - એ વિશે પ્રત્યક્ષ તો પ્રમાણ ન બની શકે, કારણ કે પ્રત્યક્ષનો એ વિષય જ નથી, પ્રત્યક્ષ તો નિરંશ વસ્તુને ગ્રહણ કરવામાં જ વ્યાકૃત છે... (૨) “આ નિર્વિષયક છે' - એ વિશે અનુમાન પણ પ્રમાણ નથી, કારણ કે અનુમાન તો પોતે જ સામાન્યાકારને વિષય કરીને પ્રવર્તક બને છે... (એટલે જો તે અનુમાનથી ખ્યાલ આવી જાય છે, ભાસિત થતો સામાન્યાકાર નિર્વિષયક છે, તો તે અનુમાનથી વસ્તુ વિશે પ્રવૃત્તિ જ ન થાય...) તેથી, બુદ્ધિમાં સંવેદિત સામાન્યાકારને નિર્વિષયક ન માની શકાય... અને એક વાત સમજી રાખો કે તે જે પદાર્થ સાવ જ અસતું હોય, તે પદાર્થનો પ્રતિભાસ કદી પણ થાય નહીં... શું ખપુષ્પનો પ્રતિભાસ કદી થાય છે? - તેથી સામાન્યાકારને વાસ્તવિક માનવામાં જ, તેનો પ્રતિભાસ સંગત થાય. બૌદ્ધ : કોઈક વાર, આંખોથી આકાશમાં વાળ જેવા લીટા દેખાય છે... એ વખતે થતી આકાશકેશવિષયક બુદ્ધિ, શું અસતું પણ આકાશકશનો પ્રતિભાસ નથી કરતી ? (તમ સામાન્યાકારબુદ્ધિ પણ અસત્પ્રતિભાસી કેમ ન મનાય ?) સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ ! તેવી (૧) આકાશકેશબુદ્ધિ, (૨) દ્વિચન્દ્રની બુદ્ધિ પણ સતપદાર્થવિષયક જ છે, કારણ કે તેવા પ્રકારનો અંધકાર, રેણુ-ધૂળ વગેરે કારણોથી જ તેની ઉત્પત્તિ થાય છે, બાકી ૨. “માનમિતિ મવિ' ત ટુ-પ4િ: . ૨. ‘વિપક્ષે દેશ’િ તિ -પઢિ: 1 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy