________________
७२७ अनेकान्तजयपताका
(ચતુર્થ: त्वेन तत्प्रकाशनात् संवरणासिद्धेः । (७६) पारम्पर्योत्पत्तेः अस्या अतदाकारतेति चेत्, न, न्यायानुपपत्तेः पारम्पर्येणापि कृष्णादिभ्यः सितादिबुद्ध्यसिद्धेः, तदन्यतरमात्र
पररूपेभ्यः तत्प्रतिभासित्वेन-पररूपाकारत्वेन स्वलक्षणाकारत्वेन तत्प्रकाशनात्-पररूपप्रकाशनाद्धेतोः किमित्याह-संवरणासिद्धेः । पारम्पर्योत्पत्तेः कारणात् अस्याः-अधिकृतबुद्धेः अतदाकारतेति चेत् अपररूपाकारता, न स्वलक्षणाकारता इत्यर्थः । एतदाशङ्क्याहन, न्यायानुपपत्तेः । एनमेवाह-पारम्पर्येणापि कृष्णादिभ्यः सकाशात् सितादिबुद्धयसिद्धेः। असिद्धिश्च तदन्यतरमात्रसत्तापत्त्या-कृष्णाद्यन्यतरमात्रसत्तापत्त्या हेतुभूतया तदितराभाव
એક અનેકાંતરશ્મિ . સ્વલક્ષણથી ઉત્પન્ન થયેલ છે. (ભવાનશ્રિત્ય પેનિ:) અને તેથી તો તે બુદ્ધિ વલક્ષણનો જ પ્રતિભાસ કરશે ને? કારણ કે જેનાથી ઉત્પન્ન થાય તેનો જ તે જ્ઞાન પ્રતિભાસ કરે... (ઘટથી થનારૂં જ્ઞાન ઘટનો જ પ્રતિભાસ કરે...) આમ, સાધારણાકાર બુદ્ધિ તો સ્વલક્ષણપ્રતિભાસી હોવાથી, તેના દ્વારા તો સ્વલક્ષણનો પ્રકાશ (=બોધ) થશે... એટલે તે બુદ્ધિથી સ્વલક્ષણનું સંવરણ=આચ્છાદાન તો સિદ્ધ નથી...
(આશય એ કે, ઘટપ્રતિભાસી જ્ઞાન કદી ઘટનું આચ્છાદાન ન કરે, તેમ સ્વલક્ષણપ્રતિભાસી બુદ્ધિ, કદી સ્વલક્ષણનું આચ્છાદાન ન કરે, ઉલટાનું પ્રતિભાસ જ કરે... તો પછી તે બુદ્ધિથી પરરૂપનું આચ્છાદાન તો શી રીતે કહી શકો ?)
(૭૬) બૌદ્ધઃ જુઓ ભાઈ ! સાધારણાકાર બુદ્ધિ યદ્યપિ લક્ષણથી જ જન્ય છે, પણ તેની ઉત્પત્તિ પંરપરાએ થઈ હોવાથી, તેમાં પરરૂપ–સ્વલક્ષણનો આકાર નથી... (અને એટલે જ, તેના દ્વારા સ્વલક્ષણનો પ્રતિભાસ ન થતા, સ્વલક્ષણના આકારનું આચ્છાદાન થાય છે...)
સ્વાદાદીઃ આ વાત પણ યુક્ત નથી, કારણ કે આમાં ન્યાયની અસંગતિ છે. તે આ રીતે - જો સ્વલક્ષણથી પણ અસ્વલક્ષણાકાર બુદ્ધિ થાય, તો તો કૃષ્ણાદિ કોઈ એક પદાર્થથી જ શ્વેતાદિની પણ બુદ્ધિ થઈ જશે !
એમ માત્ર એક કૃષ્ણથી જ, કૃષ્ણ-શ્વેત-નીલાદિ તમામ બુદ્ધિઓ થઈ જતાં તો, માત્ર એક કૃષ્ણનું જ અસ્તિત્વ સિદ્ધ થશે અને તે સિવાયના શ્વેતાદિ પદાર્થોનો તો વિલોપ થઈ જશે !
તાત્પર્ય એ કે, જ્ઞાનના આધારે વિષયની વ્યવસ્થા થાય... ઘટજ્ઞાનથી ઘટની, પટજ્ઞાનથી પટની, કૃષ્ણજ્ઞાનથી કૃષ્ણની... પણ જો કોઈ એક પદાર્થથી વિસદશ જ્ઞાન પણ થઈ જતું હોય, તો તો ‘ઘટથી જ ઘટજ્ઞાન-શ્વેતથી જ શ્વેતજ્ઞાન” – એવો નિશ્ચય નહીં રહે... કારણ કે ઘટજ્ઞાન-શ્વેતજ્ઞાનાદિ જ્ઞાનો તો માત્ર કૃષ્ણથી પણ શક્ય છે. ફલતઃ તે જ્ઞાનો દ્વારા કૃષ્ણની જ વ્યવસ્થા થશે, એટલે તો શ્વેતાદિ
* સાધારણાકારબુદ્ધિ પણ પરંપરાએ સ્વલક્ષણથી જન્ય હોઈ, સ્વલક્ષણપ્રતિભાસી છે – એ વાતનો ખાસ ખ્યાલ રાખવો.
૬. ‘તાવાદ' તિ ટુ-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org