SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ७२५ अनेकान्तजयपताका (ચતુર્થ: (७३) एवमन्याकारेणापि योजना कार्येति । (७४) एवं च 'तदव्यतिरिक्तमपि વ્યાપદ્ય र्थाभावनिश्चयः-अस्वलक्षणार्थाभावनिश्चयः । कुतो नेत्याह-अतिप्रसङ्गात् । एनमेवाहस्वलक्षणाकारेणाप्यनेन-संवेदनेन तदभावनिश्चयापत्तेः-स्वलक्षणाभावनिश्चयापत्तेः, एवमन्याकारेणापि अस्वलक्षणचिन्तायां स्वलक्षणाकारेण स्वलक्षणचिन्तायां चास्वलक्षणाकारेण योजना कार्या । किमुक्तं भवति ? न स्वलक्षणाकारेण संवेदनेनास्वलक्षणार्थाभावनिश्चयः, अतिप्रसङ्गादिति तद्भावना कृतैव । एवं च सति तदव्यतिरिक्तमपि व्यतिरिक्तमिवेत्यादि ... અનેકાંતરશ્મિ .... માની શકાય નહીં, કારણ કે ઘટ વિના તો આવું સંવેદન થાય જ નહીં... તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. બીજી વાત, “અસ્વલક્ષણ-સાધારણાકારરૂપ વસ્તુ નથી” – એવું તમે કયા સંવેદનના આધારે કહો છો? (૧) સાધારણાકાર સંવેદનના આધારે, કે (૨) સ્વલક્ષણાકાર સંવેદનના આધારે ? (૭૩) (૧) અસ્વલક્ષણાકાર જ્ઞાનથી જ “અસ્વલક્ષણ વસ્તુ નથી” એવો નિશ્ચય તો ન માની શકાય, કારણ કે તેને જ વિષય કરતું જ્ઞાન જ, તેના જ અભાવનો નિશ્ચય શી રીતે કરે ? (ઘટજ્ઞાન તો ઘટનો જ નિશ્ચય કરે, ઘટના અભાવનો નહીં...) પ્રશ્ન : તવિષયક જ્ઞાનથી પણ તેના અભાવનો નિશ્ચય માની લઈએ તો? ઉત્તર : તો તો અતિપ્રસંગ એ આવશે કે, સ્વલક્ષણાકાર નિર્વિકલ્પસંવેદનથી પણ, સ્વલક્ષણ અભાવનો નિશ્ચય માનવો પડશે! પછી ભલે ને તે સંવેદનમાં સ્વલક્ષણનો પ્રતિભાસ પણ થતો હોય... તેથી પ્રથમવિકલ્પ તો યુક્ત નથી... (૨) સ્વલક્ષણાકાર જ્ઞાનથી પણ “અસ્વલક્ષણરૂપ વસ્તુ નથી” એવો નિશ્ચય ન માની શકાય, કારણ કે અન્યવિષયક જ્ઞાનથી અન્યજ્ઞાનના વિષયનો અપલાપ ન કરાય... (પટજ્ઞાનમાં ઘટ ન દેખાય તેટલા માત્રથી તે પટજ્ઞાન દ્વારા ઘટાભાવનો નિશ્ચય ન થઈ શકે, કારણ કે ઘટજ્ઞાનથી તો તેનું અસ્તિત્વ અબાધિત છે. તેમ અહીં પણ, અસ્વલક્ષણાકાર સંવેદનથી અસ્વલક્ષણનું અસ્તિત્વ અબાધિત છે...) પ્રશ્ન : અન્યવિષયક જ્ઞાનથી પણ, અન્યજ્ઞાનના વિષયનો અપલાપ માની લઈએ તો ? ઉત્તર : તો તો સ્વલક્ષણનો પણ અપલોપ થવાનો અતિપ્રસંગ આવશે, કારણ કે પૂર્વોક્ત રીતે સાધારણ સંવેદનથી, અન્યજ્ઞાનના (સ્વલક્ષણાકાર જ્ઞાનના) વિષયભૂત સ્વલક્ષણનો અપલોપ પણ શક્ય જ છે... એટલે બીજો વિકલ્પ પણ યુક્ત નથી... સારઃ તેથી “અસ્વલક્ષણરૂપ વસ્તુ નથી” – એવો નિશ્ચય ન થાય અને એટલે તે વસ્તુની નિબંધ સિદ્ધિ થશે... આવા વસ્તુબળે ઉત્પન્ન થયેલ સાધારણાકાર વિકલ્પબુદ્ધિ પણ વાસ્તવિકરૂપે જ સાબિત થાય... એટલે શબ્દ-વિકલ્પનો વાચ્ય-વાચકસંબંધ વાસ્તવિક માનવો રહ્યો.. (૭૪) આ કથનથી, પૂર્વપક્ષીએ જે કહ્યું હતું કે – “તે સાધારણાકાર, બુદ્ધિથી અતિરિક્ત ૨. પૂર્વમુદ્રિત તુ કૃતવ' કૃતિ પાઠ: D-પ્રતાનુસારેTa શુદ્ધપાવસ્થાપના ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy