________________
अधिकारः) - व्याख्या-विवरण-विवेचनसमन्विता
२६२ सर्वधर्मोपकारकत्वेन निश्चये तदुपकार्या अपि धर्मा निश्चिता एव, तन्निश्चयनान्तरीयकत्वादुपकारकनिश्चयस्य । न हि ये यदपेक्षस्थितयस्ते तदनिश्चये तथा निश्चीयन्ते स्वस्वामि
एवमनभ्युपगमे कल्पनामानं स्यादाधाराधेयभावः । न चैतदेवमित्युपकारसिद्धिः । तथा चेत्यादि । तथा चैवं चोपकारसिद्धौ सत्यां शक्तीनामनवस्था-यकाभिः शक्तिभिः शक्तीनामुपकरोति ता अपि ततो भिन्ना इति तत्राप्ययमेव वृत्तान्त इति अनवस्था ततः-तस्मात् स्वात्मैवास्यउपकारकस्य धर्मिणः । अशेषधर्मोपकारिकाः शक्तय इति । यतश्चैवमतः तस्य-उपकारकस्य धर्मिणः सर्वधर्मोपकारकत्वेन निश्चये सति । किमित्याह-तदुपकार्या अपि-विवक्षितोपकारकोपकार्या अपि धर्मा निश्चिता एव । कुत इत्याह-तन्निश्चयनान्तरीयकत्वात्-उपकार्यधर्मनिश्चयनान्तरीयकत्वात् । उपकारकनिश्चयस्य तदपेक्षमस्योपकारकत्वमित्यर्थः । एतत्स्पष्टनायैवाह-न हीत्यादि । न यस्माद् ये भावा यदपेक्षस्थितयः प्रकृत्या ते-भावास्तदनिश्चये
અનેકાંતરશ્મિ . અભેદની સિદ્ધિ તો નહીં જ થાય ને?
નિર્વિકલ્પવાદી કેમ નહીં? અવશ્ય થશે. તે આ રીતે - વસ્તુથી, તે શક્તિઓ (૧) ભિન્ન છે કે (૨) અભિન? (૧) જો ભિન્ન માનવામાં આવે, તો વસ્તુ વડે, જે શક્તિ (ક) દ્વારા તે શક્તિઓ પર ઉપકાર કરાય છે, તે શક્તિ પણ, જો વસ્તુથી ભિન્ન માનવામાં આવે, તો તેના પર પણ ઉપકાર જરૂરી છે અને તેથી વસ્તુ વડે જે (ખ) શક્તિ દ્વારા તે બીજી (ક) શક્તિઓ પર ઉપકાર કરાય છે, તે શક્તિ પર પણ ઉપકાર જરૂરી છે, તો તેના પર પણ જે (ગ) શક્તિથી ઉપકાર કરાશે, તે શક્તિ પર પણ ઉપકાર જરૂરી છે... એમ અનવસ્થા થશે.
(૨) તેથી શક્તિ તો વસ્તુથી અભિન્ન જ માનવી પડશે, અર્થાત્ વસ્તુસ્વરૂપ જ માનવી પડશે અને તેથી તો વસ્તુનો નિશ્ચય થયે તદભિન્ન સર્વ શક્તિઓનો પણ નિશ્ચય થશે જ, અર્થાત્ સર્વધર્મના ઉપકારકરૂપે વસ્તુનો નિશ્ચય થશે જ.
આ રીતે વસ્તુનો જયારે સર્વધર્મના ઉપકારકરૂપે નિશ્ચય થશે, ત્યારે વસ્તુથી ઉપકાર્ય ધર્મનો પણ નિશ્ચય થશે. કારણ કે ઉપકાર્ય એવા ધર્મનો નિશ્ચય થાય, તો જ “ધર્મો પર આ વસ્તુ ઉપકાર કરે છે” – એમ ઉપકારકરૂપે વસ્તુનો નિશ્ચય થઈ શકે...
જે બે પદાર્થ સાપેક્ષ (=એક-બીજાની અપેક્ષા રાખતા) હોય, તે બે પદાર્થમાંથી એકનો નિશ્ચય ન થયે, બીજાનો પણ નિશ્ચય ન થઈ શકે... દા.ત. સ્વત્વ અને સ્વામિત્વ બંને સાપેક્ષ છે... ધનની અપેક્ષાએ ચૈત્ર સ્વામી છે અને ચૈત્રની અપેક્ષાએ ધન સ્વ છે - અહીં (૧) સ્વત્વના નિશ્ચય વિના “આ આનો સ્વામી છે” એમ સ્વામીનો નિશ્ચય ન થઈ શકે, અને (૨) સ્વામીના નિશ્ચય વિના “માલિકનું આ ધન છે એમ સ્વનો નિશ્ચય ન થઈ શકે... ફલતઃ બંનેની પ્રતીતિ થયે જ, સ્વ-સ્વામીની પ્રતીતિ થઈ શકે.
૨. ‘ધર્મનિશિતા' રૂતિ
-પતિ:.
૨. ‘વસ્થાથિwifમ:' ત -પઢિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org