________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
२६०
निश्चयात्मना प्रत्यक्षेण विषयीकरणे सकलधर्मोपकारकशक्त्यभिन्नात्मनो निश्चयात् । न ह्यन्य एवान्योपकारको नाम, ततो यदेवास्यैकोपकारकत्वेन निश्चयनं तदेव तदन्योपकारकत्वेनापि । न चासत्युपकार्योपकारकभावे तद्व्यवस्थाऽतिप्रसङ्गतो युक्ता ॥
એ ચાહ્યા જ सकलाश्च ते धर्माश्च तेषामुपकारिकाश्च ताः शक्तयश्चेति विग्रहः, ताभ्योऽभिन्नश्चासावात्मा चेति समासस्तस्य निश्चयात् कारणात्, सर्वधर्मवत्तया निश्चयः । एतत्समर्थनार्यवाह-न हीत्यादि । न यस्मादन्य एव, धर्मी वस्त्वात्मा इति प्रक्रमः । अन्योपकारको नामधर्मान्तरोपकारको नाम । किं तर्हि ? स एव, धर्मिण एकत्वादिति हृदयम् । ततो यदेवास्यवस्तुनो धर्मिण एकोपकारकत्वेन अन्यतरधर्मापेक्षया निश्चयनं तदेव अन्योपकारकत्वेनधर्मान्तरोपकारकत्वेनापि निश्चयनम्, अन्यथा तदेकत्वहानिरिति गर्भः । न चासत्युपकार्यो
-- અનેકાંતરશ્મિ .. એવી શક્તિઓનો પણ નિશ્ચય થાય અને શક્તિઓનો નિશ્ચય થતાં, તદુપકાર્ય ધર્મનો પણ નિશ્ચય થાય જ...
સવિકલ્પવાદી : જે ધર્મરૂપે વસ્તુનો નિશ્ચય થયો, તે વસ્તુમાં તે જ ધર્મને ઉપકાર કરવાની શક્તિ છે, તેથી ઉપકારકશક્તિતયા તે જ ધર્મનો બોધ થશે, અન્ય ધર્મોનો નહીં.
નિર્વિકલ્પવાદી : તેવું નથી, કારણ કે ધર્મી તો માત્ર એક જ છે, માટે બીજા ધર્મો પર ઉપકાર કરનાર ધર્મી બીજો છે – એવું નથી, પણ જે વસ્તુમાં એક ધર્મ પર ઉપકાર કરવાની શક્તિ છે, તે વસ્તુમાં બીજા ધર્મો પર ઉપકાર કરવાની પણ શક્તિ છે જ
તેથી વસ્તુનો, જ્યારે એકધર્મના ઉપકારકરૂપે નિશ્ચય થાય, ત્યારે તેનો બીજા ધર્મના ઉપકારકરૂપે પણ નિશ્ચય થાય જ... જો બીજા ધર્મના ઉપકારકરૂપે વસ્તુનો નિશ્ચય નહીં થાય, તો તે વસ્તુના નિશ્ચિતાંશ અને અનિશ્ચિતાંશ રૂપ બે વિભાગ પડી જવાથી, તેની એકરૂપતા જ નહીં રહે.
- પ્રશ્ન : ધર્મ-ધર્મી વચ્ચે ઉપકાર્ય-ઉપકારકભાવ માનીએ જ નહીં, તો તો ઉપકાર્યરૂપે સકળ ધર્મનો નિશ્ચય નહીં થાય ને ?
ઉત્તરઃ પણ, તેમ ન માનો, તો ધર્મ-ધર્મીની નિયત વ્યવસ્થા જ નહીં ઘટે, કારણ કે ઘડો, જેમ અનુપકાર્ય પણ ઘટત્વધર્મની અપેક્ષાએ સત્ છે, તેમ પટવધર્મની અપેક્ષાએ પણ સત્ બનશે, પછી ભલે ને તે અનુપકાર્ય હોય ! અને તેથી તો ઘડો પણ પટરૂપ બની જતાં, ઘટતત્ત્વનો જ અભાવ થશે...
(આશય એ કે, ઘટત્વ, મૃત્ત્વ વગેરે ઘડાના ધર્મો છે, પટવ વગેરે નથી, તેવું માનવાનું કોઈક કારણ હોવું જ જોઈએ. તે કારણ ધર્મોમાં રહેલ ઉપકારક શક્તિ જ છે... જો તેને માનો જ નહીં, તો પછી નિયામક ન રહેવાથી પટવાદિ પણ ઘટના ધર્મો બની જશે...)
નિષ્કર્ષ માટે ઉપકાર્ય-ઉપકારકભાવ તો માનવો જ પડશે, તેથી એકધર્મરૂપે વસ્તુનો નિશ્ચય થતાં, તદભિન્ન ઉપકારક શક્તિઓનો પણ નિશ્ચય થશે અને તે ઉપકારક શક્તિઓ ઉપકાર્યને સાપેક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org