________________
२५५ ___ अनेकान्तजयपताका
(તૃતીયઃ स्वाभाविकत्वात् समयादर्शनेऽभावात्, पुरुषेच्छातः अर्थानां स्वभावापरावृत्तेर्न समय
વ્યારા पपन्नमिति मन्यते । अर्थाभिपातस्य स्मृतिजनकत्वं निराकुर्वन्नाह-न, तत्सम्बन्धस्येत्यादि । यदेतदुक्तम्-'अभिपतन्नेवार्थः प्रबोधयत्यान्तरं संस्कारम्' इति तन्न । कुत इत्याह-तत्सम्बन्धस्य तयोः-शब्दार्थयोः सम्बन्धस्तत्सम्बन्धस्तस्य अस्वाभाविकत्वात्, पौरुषेयत्वादित्यर्थः । कथमवसेयमित्याह-समयादर्शने सङ्केतस्याग्रहणे सति अभावात्, स्मृतिसंस्कारप्रबोधस्य, अर्थप्रतीतेर्वेति वाक्यशेषः । एतदुक्तं भवति-ययोः स्वाभाविकः सम्बन्धो न तयोः समयं प्रति काचिदपेक्षा, यथा चक्षू-रूपयोः, विपर्ययस्त्वत्र इति नाकृतिमत्त्वं सम्बन्धस्येति । तत्रैतत् स्यात् समयादुत्तरकालं स्वाभाविकः शब्दार्थसम्बन्धः, न पूर्वम्, अतः कृतसमयस्याभिपतन्नेवार्थः प्रबोधयत्यान्तरं संस्कारमित्याह-पुरुषेच्छातः सकाशात् अर्थानां स्वभावापरावृत्तेः-पूर्वस्वभावपरित्यागेन विशिष्टस्वभावान्तरानुत्पत्तेः कारणात् न समयकालोत्पत्तिः, न समयकाले स्वाभाविकत्वेन शब्दार्थसम्बन्धस्य प्रादुर्भाव इत्यर्थः । दोषान्तराभिधित्सयाऽभ्युपगम्यापि स्वभावाજ
અનેકાંતરશ્મિ પરંતુ શબ્દ-અર્થ વચ્ચે, સ્વાભાવિક સંબંધ જ અઘટિત છે, કારણ કે પુરુષ દ્વારા સંકેત કરેલ હોય, તો જ તે શબ્દ પદાર્થનો વાચક બને છે, સ્વાભાવિક રીતે નહીં. એટલે જ તો અસંકેતિત વ્યક્તિને, શબ્દસ્મારક સંસ્કારનો પ્રબોધ કે અર્થપ્રતીતિ નથી થતી, બાકી જો સ્વાભાવિક સંબંધ જ હોત, તો તેવા વ્યક્તિને પણ, સંસ્કારપ્રબોધ કે પદાર્થપ્રતીતિ થવી જોઈએ.
આશય એ છે કે, ચક્ષુ-રૂપની જેમ, જે બંને વચ્ચે સ્વાભાવિક સંબંધ હોય, ત્યાં તે બેનો સંબંધ થવા માટે બીજા કોઈની અપેક્ષા ન રહે, પણ શબ્દ-અર્થના સંબંધ માટે સંકેતની અપેક્ષા રહેતી હોવાથી સિદ્ધ થાય છે કે, તે બંનેનો સ્વાભાવિક સંબંધ નથી.
સવિકલ્પવાદી: શબ્દ-અર્થ વચ્ચે, સંકેતકાળની પૂર્વે સ્વાભાવિક સંબંધ નથી, કારણ કે, ત્યારે તો સંકેતની અપેક્ષા રહે છે, પણ સંકેતકાળ પછી તો બિલકુલ અપેક્ષા ન રહેવાથી, સ્વાભાવિક સંબંધ માનવામાં કોઈ બાધ નથી અને તેથી જ તે પદાર્થ, સંકેતકાળ પછી જ સંકેતિત વ્યક્તિમાં આંતરિક સંસ્કાર જગાડે છે.
નિર્વિકલ્પવાદી - પુરુષની ઇચ્છાથી પદાર્થનો સ્વભાવ બદલાઈ જાય - એવું નથી, અર્થાત્ સંકેત પહેલાં – સ્વાભાવિક સંબંધ ન હોવાથી – પદાર્થ સંસ્કારઅપ્રબોધકસ્વભાવી/શબ્દ અર્થઅપ્રત્યાયકસ્વભાવી અને પુરુષે સંકેત કર્યો - એટલે સ્વાભાવિક સંબંધ આવી જવાથી – પદાર્થ સંસ્કારપ્રબોધકસ્વભાવી/શબ્દ અર્થપ્રત્યાય,સ્વભાવી બની જાય - એવું નથી, કારણ કે સંકેત કરે તેટલા માત્રથી પૂર્વ સ્વભાવ છૂટીને નવો સ્વભાવ પેદા થઈ જાય - એવું ન બને.
૨. રપ૪તને પૂછે . ૨. “મવિશçા' ત વ-પd:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org