________________
५७७ अनेकान्तजयपताका
(તૃતીયઃ भेदमात्रत्वात् वस्तुत्वापत्तेश्च, अभेदे त एव ते । इति कथमसमानास्तद्धेतवो नाम ? (२३१) न हि रसादिभ्यः समानो रूपबुद्ध्याकारः, तथाऽननुभवाद् व्यवस्थानुपपत्तेश्च ।
- વ્યારા જ कुत इत्याह-तादात्म्याद्यसिद्धेः-तुल्यसमानजातीयकार्योत्पादिनामतत्कारिभेदस्य च तादात्म्याद्यसिद्धेः । 'आदि'शब्दात् तदुत्पत्तिपरिग्रहः । असिद्धिश्च भेदमात्रत्वात् कारणात् तादात्म्यासिद्धिः वस्तूत्वापत्तेश्च भेदस्य तदुत्पत्त्यसिद्धिः ॥
__ द्वितीयविकल्पमधिकृत्याह-अभेदे तुल्यसमानजातीयकार्योत्पादिभ्यः अतत्कारिभेदस्याभ्युपगम्यमाने । किमित्याह-त एव ते-तुल्यसमानजातीयकार्योत्पादिन एव ते केवलाः, न तदतिरिक्तं किञ्चित् । इति-एवं कथमसमानाः प्रकृत्या तद्धेतवः-समानबुद्ध्याकारहेतवो नाम ? । एतदेव प्रकटयति ने हीत्यादिना । न हि रसादिभ्यः-प्रकृत्या असमानेभ्यः समानो रूपबुद्ध्याकारः । कुतो न हीत्याह-तथाऽननुभवात्-समानरूपबुद्ध्याकारतयाऽननुभवाद् रसादीनाम् । एतत्कल्पाश्च तुल्यसमानजातीयकार्योत्पादिन इन्द्रियादय इष्यन्त इत्यर्थः । दोषान्तर
અનેકાંતરશ્મિ ... તો ન ઘટે, કારણ કે તમે તો તે બેને જુદા માન્યા છે, અને (ખ) તદુત્પત્તિ પણ ન ઘટે, કારણ કે તાદશપદાર્થથી જો અતત્કારીભેદની ઉત્પત્તિ માનશો, તો તે ભેદને (અતત્કારીભેદને) વસ્તુ માનવાની આપત્તિ આવશે ! પણ, અભાવરૂપ હોવાથી તમે તો તેને વસ્તુરૂપ માનતાં નથી.
એમ બંનેનો ભેદ માનવામાં, સંબંધની અસંગતિ થાય છે, એટલે પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી...
(૨) જો અભિન્ન કહેશો, અર્થાત્ તાદશપદાર્થથી અતત્કારીભેદનો અભેદ માનશો, તો તો બંને એક થવાથી – અતત્કારીભેદ પણ તાદશપદાર્થરૂપ જ થઈ જતાં - “અતત્કારીભેદ” - જેવું કંઈ જ નહીં રહે... (માત્ર તુલ્યસજાતીય કાર્ય કરનારા પદાર્થો જ શેષ રહેશે...) એટલે તો તમારું લક્ષણ તૂટી-ફૂટી જશે...
તેથી સમાનાકારરૂપ બુદ્ધિઆકાર તો જ સંગત થાય, જો તેના કારણ તરીકે વસ્તુમાં સમાનપરિણામ માનવામાં આવે... બાકી તે વિના તેઓ દ્વારા સમાનાકાર બુદ્ધિ ન જ થઈ શકે...
(૨૩૧) પ્રશ્નઃ શું અસમાન પદાર્થોથી સમાન બુદ્ધિઆકાર ન થાય?
ઉત્તરઃ ના, કારણ કે સ્વભાવથી જ અસમાન રસાદિ પદાર્થોથી, સમાન એવો રૂપબુદ્ધિઆકાર ન થઈ શકે, કારણ કે તેવો અનુભવ કદી થતો નથી.. (રસ પણ રૂપાકારે કદી અનુભવાતો નથી.)
આશય એ કે, રસને ચાટવાથી - ગંધને સુંઘવાથી “આ રસ-ગંધ રૂપસમાન છે' - એવો અનુભવ કોઈને થતો નથી, એનો મતલબ એ જ કે, અસમાન પદાર્થોથી સમાન બુદ્ધિઆકાર કદી ન થાય.
તુલ્ય સમાનજાતીય કાર્યને ઉત્પન્ન કરનારા ઇન્દ્રિય-આલોકાદિ પણ, રસાદિની જેમ પરસ્પર
૨. ‘ત્યાદ્રિતા' રૂતિ ઘ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org