SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ५६३ अनेकान्तजयपताका निर्देशसामान्यवृत्तिरपि प्रत्युक्ता ॥ *વ્યાબા भावः क्वचिन्न इति स्वदर्शनस्थित्याऽपि अवगमे निवेश्यतां चित्तमित्यलं प्रसङ्गेन । एतेनेत्यादि । एतेन - एकसामान्यवृत्तिनिराकरणेन नित्यव्यापिनिर्देशसामान्यवृत्तिरपि प्रत्युक्ता विशेषेषु, नित्यस्यैकस्वभावतया कालभिन्नासु व्यक्तिषु वृत्त्ययोगः, व्यापिनः सर्वगतत्वेन निर्देशस्य देशाभावेनेति भावनीयम् ॥ ( તૃતીયઃ ... અનેકાંતરશ્મિ હવે આવી જો સ્વદર્શનની માન્યતા હોય, તો એક જ નિર્વિભાગ આકાશમાં અમુક ઠેકાણે વિન્ધ્યનું અસ્તિત્વ અને અમુક ઠેકાણે વિન્ધ્યનું નાસ્તિત્વ શી રીતે ઘટે ? તેથી જે ભાગમાં વિન્ધ્યનો વિશિષ્ટભાવ છે અને જે ભાગમાં વિન્ધ્યનો અભાવ (=વિશિષ્ટભાવ અભાવ) છે, તે બંને ભાગો આકાશના માનવા જ રહ્યા... અને એટલે તો આકાશ સભાગ=સપ્રદેશી જ સિદ્ધ થશે... આ રીતે જ્યારે, સ્વમાન્યતાથી પણ આકાશની સપ્રદેશતા સિદ્ધ થાય, ત્યારે તો તેમાં ચિત્ત રાખો !! હવે આ પ્રસંગથી સર્યું. સારાંશ : આકાશ તો સપ્રદેશી હોવાથી, જુદા જુદા પ્રદેશે તેની વૃત્તિ (=આધેયતાસંબંધથી ભાવોમાં રહેવું) સંગત છે, પણ સામાન્ય તો તેવું નથી, તો તેની ગગનની જેમ વૃત્તિ શી રીતે સંગત બને ? * નિત્યાદિરૂપ-સામાન્યની વૃત્તિનો નિરાસ (૨૧૯) ઉપ૨ોક્ત કથનથી, (૧) નિત્ય, (૨) વ્યાપી-સર્વગત, (૩) નિર્દેશ-નિરવયવ સામાન્યની પણ, ઘટાદિ વિશેષોમાં વૃત્તિ નિરસ્ત થાય છે. તે આ રીતે - (૧) નિત્ય તો એકાંત એકસ્વભાવી છે, તો જુદા જુદા કાળે થનારા વિશેષોમાં તેની વૃત્તિ શી રીતે માની શકાય ? કારણ કે, “કપાલમાં રહેવાનો સ્વભાવ-ઘટમાં રહેવાનો સ્વભાવ” એવો જુદો જુદો સ્વભાવ તો વસ્તુને અનિત્ય માન્યા વિના અસંગત છે.... (૨) વ્યાપી તો સર્વગત હોવાથી, તેઓનું પ્રતિનિયત વિશેષોમાં જ રહેવાનું નિયંત્રણ કેમ ? આશય એ કે, મૃત્ત્વ તો સર્વગત હોવાથી, તે માત્ર ઘટાદિમાં જ કેમ ? જળાદિમાં કેમ નહીં ? (૩) નિર્દેશીના તો કોઈ જ અવયવો ન હોવાથી, સામાન્ય તે અમુક-અમુક દેશથી અમુકઅમુક વિશેષમાં રહે, એવું શી રીતે મનાય ? (દા.ત. મૃત્ત્વ તે જુદા જુદા દેશથી પર્વત-પૃથ્વી-ઘટાદિમાં શી રીતે રહે ?) જો દરેક વિશેષમાં સંપૂર્ણપણે રહે, તો અનંત સામાન્યો માનવાં પડશે... તેથી એક, નિત્ય, નિરવયવાદિરૂપ સામાન્યની વૃત્તિ અઘટિત હોઈ તેવું સામાન્ય માનવું બિલકુલ યોગ્ય નથી... Jain Education International * ભાવ તો ઘણા પદાર્થોનો હોઈ શકે, પણ પ્રસ્તુતમાં તે બધાને છોડીને માત્ર વિન્ધ્યનો જ ભાવ લેવાનો છે અને માટે જ અહીં ‘વિશિષ્ટભાવ’ એમ કહ્યું. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy