________________
अनेकान्तजयपताका
(તૃતીય
भ्रान्तमिति वाच्यम् । (२०९) कल्पनायामिति चेत्, न, तस्यास्तदव्यतिरेकात्; अन्यथा विकल्पज्ञानायोगात् स्वसंवित्तेर्भेदकासिद्धेर्बोधमात्रा बोधमात्रभावात् तदतिरिक्तदोषा
............... ચાડ્યા ...... अभ्रान्तमेवेति चेत् ततश्च किलोक्तदोषानुपपत्तिः इति । एतदाशयाह-क्व तर्हि भ्रान्तमिति वाच्यम् । कल्पनायामिति चेद् भ्रान्तम्, अत्राह-न, तस्याः-कल्पनायाः तदव्यतिरेकात्स्वसंवित्त्यव्यतिरेकात् । इत्थं चैतदित्याह-अन्यथा व्यतिरेके सति स्वसंवित्तेः कल्पनाया विकल्पज्ञानायोगात् । अयोगश्च स्वसंवित्तेः-चिद्रूपाया भेदकासिद्धेः-अञ्जकासिद्धेः । असिद्धिश्च बोधमात्रात् सकाशात् कारणगताद् बोधमात्रभावात् । तत्कार्ये तदेव दोषसम्पृक्तं જ
અનેકાંતરશ્મિ .... બૌદ્ધઃ અમે વિકલ્પને સર્વથા બ્રાન્ત નથી માનતાં, પરંતુ સ્વસંવિત્તિ – સ્વસંવેદન અંશે તો તેને પણ અભ્રાન્ત જ માનીએ છીએ..
સ્યાદ્વાદીઃ જો સ્વસંવેદન વિશે અભ્રાન્ત છે, તો પછી તે કયા વિશે ભ્રાન્ત છે? (૨૦૯) બૌદ્ધઃ કલ્પના વિશે. સ્યાદ્વાદીઃ અરે ! સ્વસંવેદન એ જ તો કલ્પના છે, તે સિવાય ક્યાં કોઈ જુદી કલ્પના જ છે... બૌદ્ધઃ કલ્પનાને સ્વસંવેદનથી જુદી માની લઈએ તો?
સ્યાદ્વાદીઃ તો તો વિકલ્પજ્ઞાન જ નહીં ઘટે, કારણ કે એ રીતે તો સ્વસંવેદન શુદ્ધબોધરૂપ હોવાથી, તેનો કોઈ ભેદક જ સિદ્ધ નહીં થાય. આશય એ કે, પૂર્વની નિર્વિકલ્પ સંવિત્તિ કરતાં આ સ્વસંવિત્તિમાં જો કોઈ વિશેષતા હોય, તો તેને વિકલ્પ કહેવું વ્યાજબી છે, પણ કલ્પનારૂપ વિશેષતાને તો તમે માનતાં નથી... (કલ્પનાને સ્વસંવિત્તિ કરતાં જુદી માનો છો...)
પ્રશ્નઃ શું બૌદ્ધો કલ્પનારૂપ વિશેષતાને નથી માનતાં?
ઉત્તર : ના, કારણ કે તેઓનું માનવું છે કે, બોધરૂપ કારણથી શુદ્ધબોધરૂપ જ સ્વસંવિત્તિની ઉત્પત્તિ થાય છે, કલ્પનામિશ્રિત સ્વસંવિત્તિની નહીં... તો તેવી વિશેષતા વિનાની સ્વસંવિત્તિનો વિકલ્પ તરીકે ઉલ્લેખ શી રીતે કરી શકાય?
(આશય પૂર્વેક્ષણ નિર્વિકલ્પ અને ઉત્તરક્ષણ સવિકલ્પ... હવે વિકલ્પમાં કલ્પના + સ્વસંવિત્ છે, એ બંને જો જુદા હોય, તો કલ્પના તો અસત-અવસ્તુ થશે એટલે તો માત્ર સ્વસંવિત્તિ જ શેષ રહેશે અને તેવી સ્વસંવિત્તિ તો પૂર્વેક્ષણમાં હતી જ) તો પૂર્વલણથી માત્ર ઉત્તરક્ષણ જ ઉત્પન્ન થઈ, તો ઉત્તરની સ્વસંવિત્ વિકલ્પ અને પૂર્વની સ્વસંવિત્ નિર્વિકલ્પ એવો ભેદ શેનાથી? તે ભેદ કરનાર કોઈપણ વસ્તુ માનશો તો કલ્પના પણ વસ્તુ તરીકે સિદ્ધ થઈ જશે અને તો તે વિકલ્પથી અભિન્ન જ થશે..)
૨. ‘ત્યાશાદ' રૂતિ ઘ-પાવ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org