________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५४८
- > मण्यर्थेन प्रतिबन्धः, अस्ति च मणिप्रभायाः, न चैवमनित्येतरादिविकल्पानां केषाञ्चिदेव वस्तुना प्रतिबन्धो नान्येषामिति वैषम्यमपि दार्टान्तिकेन । (२०७) अयोनिशोमनस्कारपूर्वकत्वान्नित्यादिविकल्पानां न वैषम्यमिति चेत्, न, अस्यापि तुल्यत्वात्,
न चेत्यादिना । न च दीपप्रभाया मण्यर्थेन सह प्रतिबन्धोऽस्ति, अस्ति च मणिप्रभाया इत्युभयसिद्धमेतत् । न चैवमनित्येतरादिविकल्पानाम्-अनित्य-नित्यादिविकल्पानाम्, केषाञ्चिदेव-अनित्यादिविकल्पानामेव वस्तुना प्रतिबन्धो नान्येषां-नित्यादिविकल्पानाम् । किं तर्हि ? अविशेषेण, 'नान्येषां तद्भेदप्रसवे सत्यपि' इत्यादिवचनात् इति-एवं वैषम्यमपि दार्टान्तिकेन । अयोनिशोमनस्कारपूर्वकत्वात् नित्यादिविकल्पानां सर्वथा वस्तुशून्यत्वादित्यर्थः, न वैषम्यमिति चेत् दालन्तिकेन । एतदाशङ्क्याह-न, अस्यापि तुल्यत्वात् ।
અનેકાંતરશ્મિ .... ઉદાહરણ જ નથી...
બીજી વાત, તમે જે દૃષ્ટાંત આપો છો, તેમાં અને દાન્તિકમાં ઘણો તફાવત છે. તે આ રીતે – મણિરૂપી પદાર્થની સાથે પ્રતિબંધ=સંબંધ દીપપ્રભાનો નથી, પણ માત્ર મણિપ્રભાનો જ છે' - આવું કથન દાષ્ટ્રન્તિકમાં ઘટતું નથી, કારણ કે “પદાર્થની સાથે સંબંધ નિત્યવિકલ્પનો નથી, પણ માત્ર અનિત્યવિકલ્પનો જ છે' - એવું તો તમે પણ નથી માનતા...
પ્રશ્ન : શું બૌદ્ધો એવું નથી માનતાં?
ઉત્તરઃ ના, કારણ કે પૂર્વપક્ષમાં તેઓએ જ કહ્યું હતું કે, - “યદ્યપિ નિત્ય-અનિત્ય બંને પ્રકારનાં વિકલ્પો વસ્તુથી પ્રતિબદ્ધ-સંબદ્ધ છે, પણ..” ટૂંકમાં, દૃષ્ટાંત અને દાન્તિકમાં ઘણો તફાવત છે...
(૨૦૭) બૌદ્ધ : જેમ દીપપ્રભા મણિશૂન્ય છે, તેમ નિત્યાદિવિકલ્પો પણ વસ્તુશૂન્ય છે. (અયોનિશમનસ્કારપૂર્વક છે.) અને જેમ મણિપ્રભા મણિપ્રતિબદ્ધ છે, તેમ અનિત્યાદિ વિકલ્પો પણ વસ્તુપ્રતિબદ્ધ છે... એ રીતે તો દષ્ટાંત-
દાન્તિકમાં સમાનતા જ થઈ ને? સ્યાદ્વાદીઃ આ વાત પણ યુક્ત નથી, કારણ કે તેવું તો નિત્યવાદી પણ કહી શકે કે - ખરેખર તો બૌદ્ધને થનારા અનિત્યાદિ વિકલ્પો, અયોનિસોમનસ્કારપૂર્વક હોવાથી વસ્તુશૂન્ય જ છે...”
બૌદ્ધ પણ આવું કહેવા માટે, તેઓ પાસે કોઈ તર્ક તો જોઈએ ને?
અયોનિશમનસ્કારપૂર્વક' એનું તાત્પર્ય એ જણાય છે કે – મનસ્કાર અયોનિશ છે. એટલે કે, દર્શન અનિત્યનું થયું છે, નિત્યનું નહીં. હવે નિત્યદર્શન વિના થયેલ મનસ્કાર ( વિકલ્પની ઉપાદાનભૂત જ્ઞાનક્ષણ) એ અયોનિશમનસ્કાર કહેવાય અને તપૂર્વક થયેલ નિત્યાદિ વિકલ્પો વસ્તુશુન્ય (વસ્તુઅજન્ય) જ કહેવાય... (કારણ કે, તેવી વસ્તુના દર્શનરૂપ યોનિ વિના જ, મનસ્કારથી તેવો વિકલ્પ થઈ ગયો છે...)
१. द्रष्टव्यं ५०१तमं पृष्ठम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org