________________
५४५
अनेकान्तजयपताका
(તૃતીયઃ
.
न रूपज्ञानं रसज्ञानोपादानम्, अतोऽयमदोष इति चेत्, न न भवति, क्वचित् तथाभावोपपत्तेः, रूपज्ञानसमनन्तरभाविनो रसज्ञानस्य तदनुपादानत्वे अनुपादानत्वप्रसङ्गात् । किं
ચાહ્યા .............. रूपग्रहणस्यापि रसग्रहणसदृशतापत्तेः तेन तदग्रहणाविशेषादिति भावः । एवं च-अतिप्रसङ्गे सति व्यवस्थानुपपत्तिः । न रूपज्ञानं रसज्ञानोपादानं यथा रूपज्ञानोपादानमेव, अतोऽयम्अतिप्रसङ्गदोषोऽदोषः । इति चेत्, एतदाशङ्क्याह-न न भवति रूपज्ञानं रसज्ञानोपादानम्, किन्तु भवत्यपि क्वचित् सामान्येन तथाभावोपपत्तेः-रूपज्ञानस्य रसज्ञानोपादानभावोपपत्तेः । एतदेवाह-रूपज्ञानसमनन्तरभाविनो रसज्ञानस्य तदनुपादानत्वे-रूपज्ञानानुपादानत्वे अनुपादानत्वप्रसङ्गात् । न तदपरं ज्ञानमुपादानम्, न च न भवति रूपज्ञानानन्तरं रसज्ञानमिति भाव
- અનેકાંતરશ્મિ ... બૌદ્ધ તે ક્ષણોનું ગ્રહણ ન થવા છતાં પણ, તેઓની પરસ્પર સમાનતા માની લઈએ તો?
સ્યાદ્વાદી : તો તો અતિપ્રસંગ એ આવશે કે, રૂપજ્ઞાનને પણ રસજ્ઞાન સરખું માનવું પડશે, કારણ કે જેમ પૂર્વાપર ક્ષણોને ગ્રહણ કર્યા વિના તેની સમાનતા માની લીધી, તેમ રૂપજ્ઞાન-રસજ્ઞાનની પણ સમાનતા માની શકાશે, પછી ભલે ને તે બેની સમાનતાનું ગ્રહણ કરનાર કોઈ જ્ઞાન ન હોય. આમ, જગતમાં બધું સમાન થવાથી તો કોઈ તત્ત્વવ્યવસ્થા જ નહીં રહે...
બૌદ્ધ રૂપજ્ઞાન તે કદી રસજ્ઞાનનું ઉપાદાન નથી બનતું, એથી જ સિદ્ધ થાય છે કે, બંને વિદેશ છે... બાકી જો બંને સરખા હોય, તો રૂપજ્ઞાન તેનું ઉપાદાન કેમ ન બને? (અર્થાતુ માટીથી ઘટની જેમ, રૂપજ્ઞાનથી, રસજ્ઞાનની ઉત્પત્તિ કેમ ન થાય?) એટલે પૂર્વોક્ત અતિપ્રસંગ અસંગત જ છે...
સ્યાદ્વાદીઃ અરે બૌદ્ધ! રૂપજ્ઞાન પણ રસજ્ઞાનનું ઉપાદાન ન બને એવું નથી, કારણ કે ક્યાંક વળી તેવું (=રસજ્ઞાનનાં ઉપાદાન તરીકે રૂપજ્ઞાનનું હોવું) પણ સંગત જ છે.
બૌદ્ધઃ પહેલા બતાવો કે, એવું ક્યાં બને છે?
સ્યાદ્વાદીઃ જુઓ - રૂપજ્ઞાનવાળા વ્યક્તિને પછી તરત જ રસજ્ઞાન થયું.. ધારો કે પાંચમી ક્ષણે રૂપજ્ઞાન અને છઠ્ઠી ક્ષણે રસજ્ઞાન - હવે અહીં થનાર રસજ્ઞાનનું ઉપાદાન કારણ કોણ ? તો કહેવું જ પડશે કે, પૂર્વક્ષણમાં રહેલું રૂપજ્ઞાન... કારણ કે પૂર્વેક્ષણમાં રૂપજ્ઞાન સિવાય બીજું કોઈ જ્ઞાન જ નથી, કે જે તેનું ઉપાદાન બને... હવે એ વખતે જો રૂપજ્ઞાનને પણ ઉપાદાન ન માનો, તો તો - બીજું કોઈ જ ઉપાદાન ન રહેતાં - રસજ્ઞાનને ઉપાદાનરહિત=નિર્દેતુક માનવાની આપત્તિ આવશે...
બીજી વાત, કદાચ રૂપજ્ઞાન રસજ્ઞાનરૂપે ન પરિણમતું હોય (રૂપજ્ઞાન રસજ્ઞાનનું ઉપાદાન ન બનતું હોય) તો પણ શું છે? કારણ કે તમે, પૂર્વાપર ક્ષણોમાં અન્વય જ માનતા નથી. અત્યંત અસત્
૨. ‘પારિ૦' રૂતિ વ-ટુ-પાટિ: I
૨. ‘ક્રિશ્ચિત’ તિ -પાd: I
રૂ. ‘તવા પર' રૂતિ
-ટુ-પાઠ:I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org