SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ५३१ अनेकान्तजयपताका (તૃતીય भयजननस्वभावादुभयादुभयप्रसूतेः, (१९३) तत्तथात्वकल्पनायास्तद्वैचित्र्यापादनेनाછે ત્યારથી જ स्वभाववादिनः। अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे उभयोः-समग्रयोरिति सामग्रयुपलक्षणम् । किमित्याह-तुल्यतापत्तेः कारणात् तत्कार्ययोरपि-रूपालोकादिरूपयोस्तुल्यता । कुत इत्याह-सामस्त्येनोभयजननस्वभावात् उभयात्-एकस्वभावात् समग्रोभयादुभयप्रसूते:-उभयभावात् । तत्तथात्वेत्यादि। तस्य-अधिकृतस्वभावद्वयस्य तथात्वकल्पनायाः-भिन्नजातीयोभयजननैकस्वभावत्वकल्पनायाः तद्वैचित्र्यापादनेन-अधिकृतस्वभाव અનેકાંતરશ્મિ પણ પછી તો સામગ્રીભેદ ઘટશે ને? સ્યાદ્વાદી અરે એ રીતે તો રૂપાદિને અનેકસ્વભાવી માનવો પડશે, જ્યારે તમે તો તેને એકાંત એકસ્વભાવી માનો છો.. એટલે તમારા મતે તો એ (=રૂપાદિને અનેક સ્વભાવી માનવું તે) ઘણો મોટો અપરાધ કહેવાય. બૌદ્ધઃ (અન્યથા=) પણ ઉપાદાન/નિમિત્તરૂપે જુદા જુદા સ્વભાવો જ ન માનીએ તો? સ્યાદ્વાદી : તો તો રૂપ-આલોકાદિ સમગ્ર પદાર્થોમાં કોઈ ભેદ જ નહીં રહે, અર્થાત્ તે બંને સમગ્ર તુલ્ય માનવા પડશે, કારણ કે ઉપાદાન/નિમિત્ત બંને સ્વભાવો એક જ હોવાથી આલોક પ્રત્યે જેમ આલોક ઉપાદાન છે, તેમ - રૂપ ભલે નિમિત્ત હોય, પણ નિમિત્તસ્વભાવ પણ ઉપાદાનસ્વભાવ જ હોવાથી આલોક પ્રત્યે - રૂપ પણ ઉપાદાન બનશે... તે જ રીતે રૂપ પ્રત્યે જેમ રૂપ ઉપાદાન છે, તેમ – આલોક ભલે નિમિત્ત હોય, પણ નિમિત્તસ્વભાવ પણ ઉપાદાનસ્વભાવ જ હોવાથી રૂપ પ્રત્યે - આલોક પણ ઉપાદાન બનશે... આ રીતે ઉપાદાન-નિમિત્ત બંને સ્વભાવ એક થવાથી તો, રૂપ-આલોકમાં કોઈ ફેર જ નહીં રહે, બંને તુલ્ય બનશે અને તેથી તો તે બેનું રૂપ-આલોકરૂપ કાર્ય પણ તુલ્ય જ બનશે... પ્રશ્ન : પણ કારણ ? ઉત્તર : કારણ કે તે બે કાર્યોની, જે બે કારણોથી ઉત્પત્તિ થાય છે, તે બે કારણો સંપૂર્ણપણે કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે... આશય એ કે, જેમ રૂપ પ્રત્યે રૂપ-આલોક બંને ઉપાદાન અને નિમિત્તરૂપે કારણ બને છે, તેમ આલોક પ્રત્યે પણ રૂપ-આલોક બંને ઉપાદાન અને નિમિત્તરૂપે કારણ બને છે - આમ, કારણસામગ્રી તો બંનેની સમાન હોવાથી, તે બંને કાર્યો તુલ્ય જ બનશે.. (૧૯૩) બૌદ્ધ પણ કારણરૂપ રૂપ-આલોકમાં એક એવો સ્વભાવે માની લઈએ, કે જે સ્વભાવને કારણે રૂપ-આલોકની ભિન્નજાતીય (કપરસ્પર અતુલ્યરૂપે) જ ઉત્પત્તિ થાય... પછી તો વાંધો નહીં ને ? ઉપલક્ષણથી એ પણ સમજી લેવું કે, સમગ્ર ને સામગ્રીમાં પણ ભેદ નહીં રહે... & અર્થાત રૂપ-આલોક બંને રૂપ પ્રત્યે ઉપાદાન પણ છે અને નિમિત્ત પણ છે, કારણ કે ઉપાદાન-નિમિત્ત બંને સ્વભાવ એક છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy