________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५३० स्वभावताऽपराधः, अन्यथोभयोस्तुल्यतापत्तेः, तत्कार्ययोरपि तुल्यता, सामस्त्येनो
ચારડ્યા मालोकादयो निमित्तम्, अपरत्रालोकादय उपादानं रूपं निमित्तमिति सामग्रीभेदः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-तत्स्वभावभेदमन्तरेण तेषां-समग्राणां स्वभावभेदमन्तरेण तदसिद्धेः-सामग्रीभेदासिद्धेः । उक्तं च
"रूपं येन स्वभावेन रूपोपादानकारणम् । निमित्तकारणं ज्ञाने तत् तेनान्येन वा भवेत् ।। यदि तेनैव विज्ञानं बोधरूपं न युज्यते । अथान्येन बलाद् रूपं द्विस्वभावं प्रसज्यते ॥” इति । तद्भेद च-स्वभावभेदे च समग्राणाम् अनेकस्वभावताऽपराधः महानयमेकान्तैक
- અનેકાંતરશ્મિ . જ્યારે ઉપાદાન-નિમિત્તરૂપે ભેદ થાય, ત્યારે તે સામગ્રીનો પણ ભેદ થાય છે. તે આ રીતે તે રૂપઆલોકાદિ સામગ્રીમાં (૧) કોઈક રૂપાદિ પદાર્થનાં કાર્ય માટે, રૂપ તે ઉપાદાન બને અને આલોકાદિ નિમિત્ત બને, અને (૨) આલોકાદિનાં કાર્ય માટે, આલોકાદિ ઉપાદાન અને રૂપાદિ નિમિત્ત બને છે - આમ, ઉપાદાન-નિમિત્તના ભેદે રૂપાદિ સમગ્રોનો ભેદ થવાથી, સામગ્રીનો પણ ભેદ થાય છે... આ રીતે સામગ્રીભેદ=કારણભેદ અબાધિત હોવાથી, તમે શી રીતે કહી શકો કે, તમારું કથન ભાવાર્થશૂન્ય છે...
સ્યાદ્વાદી: તમારી આ વાત પણ યુક્ત નથી, કારણ કે એક જ રૂપાદિ અમુક ઠેકાણે ઉપાદાન અને અમુક ઠેકાણે નિમિત્ત ત્યારે જ બની શકે, કે જયારે તે રૂપાદિઓમાં (ઉપાદાનસ્વભાવ નિમિત્તસ્વભાવાદિ) જુદા જુદા અનેક સ્વભાવ હોય... બાકી સ્વભાવભેદ વિના એક જ પદાર્થને જુદા જુદા ઠેકાણે ઉપાદાન-નિમિત્ત માની, સામગ્રીનો ભેદ ઘટાવવો બિલકુલ સિદ્ધ નથી.
આ વિશે કહ્યું છે કે –
“રૂપ તે જે સ્વભાવે રૂપમાં ઉપાદાનકારણ બને, (૧) તે જ સ્વભાવે જ્ઞાનમાં બને, કે (૨) કોઈ બીજા સ્વભાવે ?
(૧) જો તે સ્વભાવે જ્ઞાનમાં નિમિત્ત બને, તો જ્ઞાનની બોધરૂપતા શી રીતે યોગ્ય ગણાય ? (કારણ કે તે સ્વભાવે ઉત્પન્ન થયેલું જેમ રૂપ જડ છે, તેમ જ્ઞાન પણ જડ બને) અને (૨) જો બીજા સ્વભાવથી જ્ઞાનમાં નિમિત્ત બને, તો – તેમાં જુદો સ્વભાવ આવવાથી – રૂપને બલાત્ દ્વિસ્વભાવી માનવો પડશે...” (શાસ્ત્રવાર્તાસમુચ્ચય - સ્ત, ૪/૭૯-૮૦)
બૌદ્ધઃ તો ભલે ને એક જ રૂપાદિના ઉપાદાન-નિમિત્તરૂપે જુદા જુદા સ્વભાવ માનવા પડે,
૨-૨. મનુષ્ટ્રમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org