________________
अनेकान्तजयपताका
(તૃતીયઃ ऽदर्शनात् । न चात्र किञ्चिद् भेदकम्, अनभ्युपगमात्, अभ्युपगमेऽपि ततोऽतिशयासिद्धेरिति निवेदयिष्यामः ॥ (१८०) अथान्यैव काचित् । कासाविति वाच्यम् । अनादिमदालयगतशक्तेः
વ્યારહ્યા છે. 'आदि'शब्दाद् गन्धादिग्रहः । कथं न रसादिभाव इत्याह-तथाऽदर्शनात् । न चात्र-मानसाद् विकल्पजन्मनि किञ्चिद् भेदकमस्ति । कुत इत्याह-अनभ्युपगमात् । अभ्युपगमेऽपि सति भेदकस्य वासनादेः ततः-भेदकात् अतिशयासिद्धेरिति निवेदयिष्याम ऊर्ध्वम् । गतो માનસપક્ષ: |
द्वितीयं विकल्पमधिकृत्याह-अथान्यैव काचित् तथाविधविकल्पजननशक्तिः । एतदुररीकृत्याह-कासाविति वाच्यम् । अनादिमती चासौ आलयगतशक्तिश्चेति विग्रहः,
... અનેકાંતરશ્મિ .... ઉત્પત્તિ થતી નથી.
તેનું કારણ એ કે તેવી (માત્ર નીલાદિથી રસાદિની) ઉત્પત્તિ દેખાતી નથી. એટલે અન્ય સામગ્રી રહિત, માત્ર નિર્વિકલ્પ જેવા માનસથી, વિજાતીય એવા વિકલ્પની ઉત્પત્તિ બિલકુલ સંભવિત નથી...
બૌદ્ધઃ માનસથી વિકલ્પની ઉત્પત્તિમાં એવું કોઈ ભેદક તત્ત્વ માની લઈએ તો? કે જેના આધારે માનસ દ્વારા વિલક્ષણ વિકલ્પની ઉત્પત્તિ સંગત બને? તેમાં કંઈ વાંધો?
સ્યાદ્વાદીઃ પણ તેવું ભેદક તત્ત્વ તો તમે માનતાં નથી.. કદાચ ભેદક તરીકે “વાસનાદિ તત્ત્વને માની પણ લેશો, તો પણ તે ભેદક દ્વારા માનસમાં એવા કોઈ અતિશયનું આધાન નથી થતું, કે જે અતિશયથી માનસ પોતાથી ભિન્ન-વિલક્ષણ વિકલ્પની ઉત્પત્તિ કરી શકે.. આ વાત અમે આગળ જણાવીશું...
તેથી સંવાદી-અસંવાદી વિકલ્પને ઉત્પન્ન કરનારી શક્તિને માનસરૂપ માની શકાય નહીં, નહિતર તો તેના દ્વારા વિકલ્પની ઉત્પત્તિ અસંભવિત બનશે... એટલે પ્રથમ પક્ષ તો યુક્ત નથી...
- દ્વિતીયપક્ષનો નિરાસ - (૧૮૦) (૨) હવે જો એમ કહેશો કે - “તથાવિધ શક્તિ તે માનસરૂપ નહીં, પણ બીજી જ કોઈ છે..” - તો પહેલા તો એ જ બતાવો કે આ શક્તિનું સ્વરૂપ શું?
(હવે બૌદ્ધ પહેલા તે શક્તિનું સ્વરૂપ બતાવે છે, ત્યારબાદ ગ્રંથકારશ્રી તેનું આમૂલચૂલ ઉન્મેલન કરશે...)
બૌદ્ધ : આલયવિજ્ઞાન એટલે અહંરૂપે ભાસતું જ્ઞાન... આ જ્ઞાન જ બધી વાસનાઓનો મૂળ
૨. ‘બનગુપ' રૂતિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org