________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४९८
- > प्रमाणप्रवृत्तिः प्रत्युक्ता, उक्तवत् प्रत्यक्षादेः तद्बाधकत्वायोगात् । युक्त्या तदयोगो बाधक इति चेत्, न, विकल्पानुपपत्तेः । युक्तिर्हि प्रमाणमप्रमाणं वा स्यात् । प्रमाणं चेत्, न, प्रत्यक्षादेरन्यदित्यत्र चोंक्तो दोषः । अप्रमाणत्वे तु तद्बाधकत्वानुपपत्तिः, अतिप्रसङ्गात् ॥
વ્યારા
એક तथाविधग्राह्ये बाधकप्रमाणवृत्तिनिराकृता । कुत इत्याह-उक्तवत्-यथोक्तं तथा प्रत्यक्षादेःप्रत्यक्षानुमानद्वयस्य तद्बाधकत्वायोगात्-तथाविधग्राह्यबाधकत्वायोगात्, युक्त्या तदयोगःतथाविधग्राह्यायोगः, साधारणरूपायोग इत्यर्थः बाधकः । इति चेत्, एतदाशङ्क्याह-न, विकल्पानुपपत्तेः । अनुपपत्तिश्च-युक्तिर्हि प्रमाणमप्रमाणं वा स्यात् । किञ्चात इत्युभयथाऽपि दोष इत्याह-प्रमाणं चेत्, न प्रत्यक्षादेरन्यदित्यत्र चोक्तो दोषः-'प्रत्यक्षस्य स्वलक्षणविषयत्वेन तत्राप्रवृत्ते'रित्यादिः । अप्रमाणत्वे तु युक्तेः किमित्याह-तद्बाधकत्वानुपपत्तिःतथाविधग्राह्यबाधकत्वानुपपत्तिः । कुत इति आह-अतिप्रसङ्गात् स्वलक्षणस्यापि युक्तिबाधित
અનેકાંતરશ્મિ ગ્રાહ્યનો (સામાન્યાકારનો) બાંધ થઈ જશે” – તેમનો નિરાસ થાય છે, કારણ કે પ્રત્યક્ષ કે અનુમાન તેના બાધક બની શકતા નથી (કારણ કે તે તેનો વિષય જ નથી...)
બૌદ્ધ પણ ખરેખર યુક્તિથી વિચારીએ તો વિકલ્પના વિષયભૂત સામાન્યાકારનું અસ્તિત્વ જ ઘટતું નથી – આ જ તો સામાન્યાકારનાં અસ્તિત્વનો બાધક છે...
સ્યાદ્વાદી પહેલા તો એ કહો કે, જે યુક્તિથી તમે સામાન્યાકારનો અયોગ કહો છો, તે યુક્તિ (૧) પ્રમાણ છે, કે (૨) અપ્રમાણ?
(૧) જો પ્રમાણ હોય, તો તો તે પ્રત્યક્ષાદિરૂપ જ ગણાશે, તેનાથી જુદી નહીં અને તેથી તો પૂર્વોક્ત દોષ યથાવસ્થિત જ રહેશે, અર્થાત્ પ્રત્યક્ષ તો માત્ર સ્વલક્ષણને વિષય કરે છે અને અનુમાન માત્ર ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તને વિષય કરે છે... જ્યારે બૌદ્ધમતે સામાન્યાકાર તે સ્વલક્ષણરૂપ પણ નથી અને ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત પણ નથી... ફલતઃ પ્રત્યક્ષાદિરૂપ યુક્તિની તે વિશે પ્રવૃત્તિ જ થતી નથી, તો પછી તેના અસ્તિત્વમાં તે શી રીતે બાધક બને ?
(૨) યુક્તિ જો અપ્રમાણ હોય, તો તો તે યુક્તિ કોઈ વસ્તુ વિશે બાધક બની શકે નહીં, કારણ કે જો અપ્રામાણિક યુક્તિને પણ બાધક માનશો, તો અતિપ્રસંગ એ આવશે કે, સ્વલક્ષણરૂપ વસ્તુનો પણ તે યુક્તિથી બાધ થશે ! કારણ કે જેમ અપ્રમાણ યુક્તિ પોતાના વિષયભૂત સામાન્યની બાધક બની શકે, તેમ એ જ યુક્તિ પોતાના અવિષયક એવા સ્વલક્ષણની બાધક પણ બની જ શકે, કારણ કે બંને વિષયમાં અપ્રમાણતા તો સમાન છે. તેથી અપ્રામાણિક યુક્તિઓને, વિકલ્પના વિષયભૂત સામાન્યાકારનાં અસ્તિત્વમાં બાધક માની શકાય નહીં.
૨. “વોwોપ:' રૂતિ -પઢિ: . ૨. ‘
વિત: ૨ ૩૫૦' તિ ઘ-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org